ગિરનાર પર્વત પર કચરાના ઢગલા મામલે હાઈકોર્ટ હાઈકોર્ટ લાલઘુમ, જૂનાગઢ કલેક્ટરને લગાવી ફટકાર


  • Published By :
  • Published Date : 2024-02-12 22:07:10

યાત્રાધામ જુનાગઢમાં આવેલા સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર ગંદકીના ઢગલા ખડકાયા છે. જેના કારણે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર તેમ જ દત્તાત્રેય મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓના આરોગ્યને જોખમ ઊભું થઈ રહ્યું છે.  જો કે જુનાગઢના સ્થાનિક વહીવટી તંત્રનું વલણ આ મામલે તદ્દન નિષ્ક્રિય અને ઉદાસીન રહ્યું છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થયા બાદ હાઈકોર્ટે સ્થાનિક પ્રશાસનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે.  ગિરનાર પર્વત પર ગંદકી મામલે અરજદારે રજૂઆત કરી હતી કે, અરજદારે રજૂઆત કરી હતી કે ગિરનાર પર્વતના મંદિરોની આસપાસ જે ગંદકી મુદ્દે અનેકવાર જૂનાગઢ કલેક્ટર ચીફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. 


જૂનાગઢ ક્લેકટરની એફિડેવિટ હાઈકોર્ટે ફગાવી


ગીરનાર પર્વત પર ગંદકીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. હાઇકોર્ટમાં જૂનાગઢ ક્લેકટર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. જોકે હાઈકોર્ટે તે એફિડેવિટનો સ્વિકાર કરવાથી ઇન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે નાના બાળક જેવી વૃત્તિ કોર્ટ સમક્ષ કરનારા અધિકારીનો બચાવ કરો છો? પ્લાસ્ટિક પર પ્રતિબંધના મુદ્દે કોઈ જ નક્કર સ્પષ્ટતા નહીં કરવાને લઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે જૂનાગઢ ક્લેકટરની ઝાટકણી કરવા સાથે એડિશનલ ચીફ સેક્રેટરીને તપાસ કરવા માટે નિર્દેશ કર્યો હતો. કાયદાનું પાલન નહીં કરાવનારા ક્લેકટર સામે કાર્યવાહી કરવા માટે કોર્ટની ભારોભાર નારાજગી સામે આવી છે. આ મુદ્દે વધુ સુનાવણી 27 ફેબ્રુઆરી કરવામાં આવશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.