ગુજરાતના આ જિલ્લામાં નોંધાયો સૌથી વધુ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-19 13:21:40

રાજ્યમાં મેઘરાજા તાંડવ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. અનેક જિલ્લાઓમાં મનમૂકીને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યના ચાર એવા તાલુકાઓ છે જ્યાં 10 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૂત્રાપાડામાં સૌથી વધારે 22 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યનો કુલ સરેરાશ 55.30 ટકા વરસાદ નોંધાઈ ગયો છે. સૌથી વધારે કચ્છ ઝોનમાં વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ જગ્યાઓ પર નોંધાયો આટલો વરસાદ 

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદે અનેક રેકોર્ડ તોડી દીધા છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગીર સોમનાથના સૂત્રાપાડાને વરસાદે ધમરોળી નાખ્યું છે. સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ તથા ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં ૧૯.૨૪ ઇંચ, તાલાલા તાલુકામાં ૧૧.૯૬ ઇંચ તથા રાજકોટના ધોરાજી તાલુકામાં ૧૧.૦૮ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ કુલ રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.  ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં ૨૧૮ મિ.મી.,  માંગરોળમાં ૧૯૩ મિ.મી., જામકંડોરણામાં ૧૭૬ મિ.મી., ઉપલેટામાં ૧૧૯ મિ.મી., મેંદરડામાં ૧૦૮ મિ.મી., માળીયાહાટીનામાં અને વાપીમાં ૧૦૬ મિ.મી., સુરત શહેરમાં ૧૦૪ મિ.મી.,  પેટલાદમાં ૧૦૦ મિ.મી. આમ કુલ ૧૪ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 


વરસાદી પાણીમાં તણાઈ ગાડીઓ 

મહત્વનું છે કે એવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં વરસાદને કારણે પરિસ્થિતિ વણસી ગઈ છે. વરસાદે તારાજી સર્જી હોય તેવા પણ અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક ગાડીઓ તણાઈ ગઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. સારો વરસાદ થવાને કારણે અનેક જળાશયોમાં પાણીની બમ્પર આવક થઈ છે. અનેક ડેમોના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે પરંતુ તે પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.