ગુજરાતના આ જિલ્લામાં નોંધાયો સૌથી વધુ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-19 13:21:40

રાજ્યમાં મેઘરાજા તાંડવ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. અનેક જિલ્લાઓમાં મનમૂકીને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યના ચાર એવા તાલુકાઓ છે જ્યાં 10 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૂત્રાપાડામાં સૌથી વધારે 22 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યનો કુલ સરેરાશ 55.30 ટકા વરસાદ નોંધાઈ ગયો છે. સૌથી વધારે કચ્છ ઝોનમાં વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ જગ્યાઓ પર નોંધાયો આટલો વરસાદ 

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદે અનેક રેકોર્ડ તોડી દીધા છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગીર સોમનાથના સૂત્રાપાડાને વરસાદે ધમરોળી નાખ્યું છે. સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ તથા ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં ૧૯.૨૪ ઇંચ, તાલાલા તાલુકામાં ૧૧.૯૬ ઇંચ તથા રાજકોટના ધોરાજી તાલુકામાં ૧૧.૦૮ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ કુલ રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.  ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં ૨૧૮ મિ.મી.,  માંગરોળમાં ૧૯૩ મિ.મી., જામકંડોરણામાં ૧૭૬ મિ.મી., ઉપલેટામાં ૧૧૯ મિ.મી., મેંદરડામાં ૧૦૮ મિ.મી., માળીયાહાટીનામાં અને વાપીમાં ૧૦૬ મિ.મી., સુરત શહેરમાં ૧૦૪ મિ.મી.,  પેટલાદમાં ૧૦૦ મિ.મી. આમ કુલ ૧૪ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 


વરસાદી પાણીમાં તણાઈ ગાડીઓ 

મહત્વનું છે કે એવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં વરસાદને કારણે પરિસ્થિતિ વણસી ગઈ છે. વરસાદે તારાજી સર્જી હોય તેવા પણ અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક ગાડીઓ તણાઈ ગઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. સારો વરસાદ થવાને કારણે અનેક જળાશયોમાં પાણીની બમ્પર આવક થઈ છે. અનેક ડેમોના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે પરંતુ તે પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે.    




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે