Gujaratના અંતરિયાળ વિસ્તારો આજે પણ વિકાસ માટે ઝંખે છે, Sabarkanthaથી સામે આવ્યો વીડિયો જે જોઈને દયા આવી જશે.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-21 16:14:53

ગુજરાત રાજ્યને વિકસીત રાજ્ય માનવામાં આવે છે. ગુજરાતમાં કરવામાં આવતા વિકાસના કામોનું ગુણગાન આખા દેશમાં ગવાય છે. ગુજરાત વિકાસનું પર્યાય બની ગયું હોય તેવી રીતે પ્રસ્થાપિત કરવામાં છે પરંતુ તે જ વિકસીત ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જે ગુજરાતમાં હોવા છતાંય વિકાસની ઝંખના કરે છે, વિકાસથી વંચિત છે. એક વીડિયો સાબરકાંઠાથી સામે આવ્યો છે જેમાં રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં લઈને જવું પડે છે. અંદાજીત ત્રણ કિલોમીટર સુધી ઝોળીમાં દર્દીને લઈ જવા પડે છે અને તે બાદ એમ્બ્યુલન્સ પાસે પહોંચાય છે. બે સાંસદો હોવા છતાંય રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચાડી શક્યા! રોડ બનાવવા માટે સ્થાનિકો ઉગ્ર માગ કરી રહ્યા છે.

રસ્તો ન હોવાને કારણે અનેક કિલોમીટર સુધી દર્દીને ઝોળીમાં લઈ જવા પડે છે!

ખરાબ રોડ રસ્તાની વાતો તો અનેક વખત કરી છે, રસ્તા પર ખાડા પડ્યા હોય અને લોકોને મુશ્કેલી પડી હોય તેવી વાતો પણ કરી છે. પરંતુ અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં રસ્તા જ નથી... પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. એક નહીં પરંતુ એવા અનેક અંતરિયાળ વિસ્તારો છે જે વિકાસ માટે ઝંખે છે. સારા નહીં પરંતુ માત્ર રસ્તા માટે ઝંખે છે. એક વીડિયો સામે આવ્યો છે જે સાબરકાંઠાનો છે. રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ નથી આવી શક્તી અને તેને કારણે અનેક કિલોમીટર સુધી દર્દીને ઝોળીમાં લઈ જવા પડે છે અને પછી એમ્બ્યુલન્સ સુધી પહોંચી શકે છે. દર્દીઓને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે લોકોને બોલાવવા પડે છે.આવી ઘટના, આવા વીડિયો સાબરકાંઠાથી જ નહીં પરંતુ અનેક અંતરિયાળ વિસ્તારોની પરિસ્થિતિ આવી છે.   


સારા રસ્તા તો નહીં પરંતુ અંતરિયાળ વિસ્તારમાં તો રસ્તા જ નથી!

રસ્તા માટે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તેમનો અવાજ નથી સાંભળવામાં આવતો. તેમની રજૂઆતો પર ધ્યાન નથી આપવામાં આવતું. અંતરિયાળ વિસ્તારની દુર્દશા જોઈને થાય કે શું આવા અંતરિયાળ વિસ્તારોને સરકાર ગુજરાતમાં નથી ગણતી? આવા અંતરિયાળ વિસ્તાર શું ગુજરાતમાં નથી આવતા? અંતરિયાળ વિસ્તારમાં રહેતાલોકોને સારા રસ્તા મળે તેનો હક નથી? જ્યારે સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં વિકાસ બહુ મોટા પ્રમાણમાં થયો છે ત્યારે એક વખત આવા અંતરિયાળ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. ગુજરાતમાં વિકાસના કાર્યો થયા છે પરંતુ આવા અંતરિયાળ વિસ્તાર આજે પણ વિકાસ માટે ઝંખી રહ્યા છે. 


અંતરિયાળ વિસ્તાર આજે પણ વિકાસ માટે ઝંખે છે!

એવું કહેવામાં આવે છે કે ડબલ એન્જીન સરકાર છે, મતલબ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. ડબલ એન્જીનની સરકાર હોવાને કારણે વિકાસના કામો ઝડપી થાય છે પરંતુ આવા અંતરિયાળ વિસ્તારમાં આજે પણ વિકાસ નથી પહોંચ્યો. અંતરિયાળ વિસ્તારમાં રસ્તા જલ્દી બને તેવી આશા...  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.