Gujaratના અંતરિયાળ વિસ્તારો આજે પણ વિકાસ માટે ઝંખે છે, Sabarkanthaથી સામે આવ્યો વીડિયો જે જોઈને દયા આવી જશે.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-21 16:14:53

ગુજરાત રાજ્યને વિકસીત રાજ્ય માનવામાં આવે છે. ગુજરાતમાં કરવામાં આવતા વિકાસના કામોનું ગુણગાન આખા દેશમાં ગવાય છે. ગુજરાત વિકાસનું પર્યાય બની ગયું હોય તેવી રીતે પ્રસ્થાપિત કરવામાં છે પરંતુ તે જ વિકસીત ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જે ગુજરાતમાં હોવા છતાંય વિકાસની ઝંખના કરે છે, વિકાસથી વંચિત છે. એક વીડિયો સાબરકાંઠાથી સામે આવ્યો છે જેમાં રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં લઈને જવું પડે છે. અંદાજીત ત્રણ કિલોમીટર સુધી ઝોળીમાં દર્દીને લઈ જવા પડે છે અને તે બાદ એમ્બ્યુલન્સ પાસે પહોંચાય છે. બે સાંસદો હોવા છતાંય રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચાડી શક્યા! રોડ બનાવવા માટે સ્થાનિકો ઉગ્ર માગ કરી રહ્યા છે.

રસ્તો ન હોવાને કારણે અનેક કિલોમીટર સુધી દર્દીને ઝોળીમાં લઈ જવા પડે છે!

ખરાબ રોડ રસ્તાની વાતો તો અનેક વખત કરી છે, રસ્તા પર ખાડા પડ્યા હોય અને લોકોને મુશ્કેલી પડી હોય તેવી વાતો પણ કરી છે. પરંતુ અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં રસ્તા જ નથી... પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. એક નહીં પરંતુ એવા અનેક અંતરિયાળ વિસ્તારો છે જે વિકાસ માટે ઝંખે છે. સારા નહીં પરંતુ માત્ર રસ્તા માટે ઝંખે છે. એક વીડિયો સામે આવ્યો છે જે સાબરકાંઠાનો છે. રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ નથી આવી શક્તી અને તેને કારણે અનેક કિલોમીટર સુધી દર્દીને ઝોળીમાં લઈ જવા પડે છે અને પછી એમ્બ્યુલન્સ સુધી પહોંચી શકે છે. દર્દીઓને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે લોકોને બોલાવવા પડે છે.આવી ઘટના, આવા વીડિયો સાબરકાંઠાથી જ નહીં પરંતુ અનેક અંતરિયાળ વિસ્તારોની પરિસ્થિતિ આવી છે.   


સારા રસ્તા તો નહીં પરંતુ અંતરિયાળ વિસ્તારમાં તો રસ્તા જ નથી!

રસ્તા માટે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તેમનો અવાજ નથી સાંભળવામાં આવતો. તેમની રજૂઆતો પર ધ્યાન નથી આપવામાં આવતું. અંતરિયાળ વિસ્તારની દુર્દશા જોઈને થાય કે શું આવા અંતરિયાળ વિસ્તારોને સરકાર ગુજરાતમાં નથી ગણતી? આવા અંતરિયાળ વિસ્તાર શું ગુજરાતમાં નથી આવતા? અંતરિયાળ વિસ્તારમાં રહેતાલોકોને સારા રસ્તા મળે તેનો હક નથી? જ્યારે સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં વિકાસ બહુ મોટા પ્રમાણમાં થયો છે ત્યારે એક વખત આવા અંતરિયાળ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. ગુજરાતમાં વિકાસના કાર્યો થયા છે પરંતુ આવા અંતરિયાળ વિસ્તાર આજે પણ વિકાસ માટે ઝંખી રહ્યા છે. 


અંતરિયાળ વિસ્તાર આજે પણ વિકાસ માટે ઝંખે છે!

એવું કહેવામાં આવે છે કે ડબલ એન્જીન સરકાર છે, મતલબ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. ડબલ એન્જીનની સરકાર હોવાને કારણે વિકાસના કામો ઝડપી થાય છે પરંતુ આવા અંતરિયાળ વિસ્તારમાં આજે પણ વિકાસ નથી પહોંચ્યો. અંતરિયાળ વિસ્તારમાં રસ્તા જલ્દી બને તેવી આશા...  



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.