Gujaratના અંતરિયાળ વિસ્તારો આજે પણ વિકાસ માટે ઝંખે છે, Sabarkanthaથી સામે આવ્યો વીડિયો જે જોઈને દયા આવી જશે.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-21 16:14:53

ગુજરાત રાજ્યને વિકસીત રાજ્ય માનવામાં આવે છે. ગુજરાતમાં કરવામાં આવતા વિકાસના કામોનું ગુણગાન આખા દેશમાં ગવાય છે. ગુજરાત વિકાસનું પર્યાય બની ગયું હોય તેવી રીતે પ્રસ્થાપિત કરવામાં છે પરંતુ તે જ વિકસીત ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જે ગુજરાતમાં હોવા છતાંય વિકાસની ઝંખના કરે છે, વિકાસથી વંચિત છે. એક વીડિયો સાબરકાંઠાથી સામે આવ્યો છે જેમાં રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં લઈને જવું પડે છે. અંદાજીત ત્રણ કિલોમીટર સુધી ઝોળીમાં દર્દીને લઈ જવા પડે છે અને તે બાદ એમ્બ્યુલન્સ પાસે પહોંચાય છે. બે સાંસદો હોવા છતાંય રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચાડી શક્યા! રોડ બનાવવા માટે સ્થાનિકો ઉગ્ર માગ કરી રહ્યા છે.

રસ્તો ન હોવાને કારણે અનેક કિલોમીટર સુધી દર્દીને ઝોળીમાં લઈ જવા પડે છે!

ખરાબ રોડ રસ્તાની વાતો તો અનેક વખત કરી છે, રસ્તા પર ખાડા પડ્યા હોય અને લોકોને મુશ્કેલી પડી હોય તેવી વાતો પણ કરી છે. પરંતુ અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં રસ્તા જ નથી... પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. એક નહીં પરંતુ એવા અનેક અંતરિયાળ વિસ્તારો છે જે વિકાસ માટે ઝંખે છે. સારા નહીં પરંતુ માત્ર રસ્તા માટે ઝંખે છે. એક વીડિયો સામે આવ્યો છે જે સાબરકાંઠાનો છે. રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ નથી આવી શક્તી અને તેને કારણે અનેક કિલોમીટર સુધી દર્દીને ઝોળીમાં લઈ જવા પડે છે અને પછી એમ્બ્યુલન્સ સુધી પહોંચી શકે છે. દર્દીઓને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે લોકોને બોલાવવા પડે છે.આવી ઘટના, આવા વીડિયો સાબરકાંઠાથી જ નહીં પરંતુ અનેક અંતરિયાળ વિસ્તારોની પરિસ્થિતિ આવી છે.   


સારા રસ્તા તો નહીં પરંતુ અંતરિયાળ વિસ્તારમાં તો રસ્તા જ નથી!

રસ્તા માટે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તેમનો અવાજ નથી સાંભળવામાં આવતો. તેમની રજૂઆતો પર ધ્યાન નથી આપવામાં આવતું. અંતરિયાળ વિસ્તારની દુર્દશા જોઈને થાય કે શું આવા અંતરિયાળ વિસ્તારોને સરકાર ગુજરાતમાં નથી ગણતી? આવા અંતરિયાળ વિસ્તાર શું ગુજરાતમાં નથી આવતા? અંતરિયાળ વિસ્તારમાં રહેતાલોકોને સારા રસ્તા મળે તેનો હક નથી? જ્યારે સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં વિકાસ બહુ મોટા પ્રમાણમાં થયો છે ત્યારે એક વખત આવા અંતરિયાળ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. ગુજરાતમાં વિકાસના કાર્યો થયા છે પરંતુ આવા અંતરિયાળ વિસ્તાર આજે પણ વિકાસ માટે ઝંખી રહ્યા છે. 


અંતરિયાળ વિસ્તાર આજે પણ વિકાસ માટે ઝંખે છે!

એવું કહેવામાં આવે છે કે ડબલ એન્જીન સરકાર છે, મતલબ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. ડબલ એન્જીનની સરકાર હોવાને કારણે વિકાસના કામો ઝડપી થાય છે પરંતુ આવા અંતરિયાળ વિસ્તારમાં આજે પણ વિકાસ નથી પહોંચ્યો. અંતરિયાળ વિસ્તારમાં રસ્તા જલ્દી બને તેવી આશા...  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.