આજથી પવિત્ર શ્રાવણ માસનો થયો પ્રારંભ, શિવાલયોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર


  • Published By :
  • Published Date : 2023-08-17 16:18:52

હિંદુ ધર્મમાં દરેક માસનું વિશેષ મહત્વ રહેલું હોય છે. અલગ અલગ મહિનાઓમાં અલગ અલગ દેવતાઓની પૂજા કરવામાં આવતી હોય છે, મહિનાઓ દેવતાઓને સમર્પિત હોય છે. આસો મહિનો માતાજીને સમર્પિત હોય છે, ભાદરવો મહિનો ગણપતિજીને સમર્પિત હોય છે તેવી રીતે શ્રાવણ મહિનો ભગવાન ભોળેનાથને સમર્પિત હોય છે. શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. દેવાધિદેવ મહાદેવની પૂજા કરવા માટે મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. શિવાલયો હર હર મદાહેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.      


શિવાલયો ગુંજ્યા હર હર મહાદેવના નાદથી

શ્રાવણ મહિનાનું હિંદુ ધર્મમાં આગવું મહત્વ રહેલું છે. દેવાધિ દેવ મહાદેવની આ મહિનામાં પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. શિવાલયોમાં શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજનો પણ કરવામાં આવતા હોય છે. જ્યોતિર્લિંગમાં શ્રાવણ મહિના દરમિયાન ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાવિકો મંદિરમાં દર્શનાર્થે જતા હોય છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે . 


શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી કરાઈ છે ખાસ વ્યવસ્થા 

એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં કરવામાં આવતી પૂજાથી ભગવાન નાગેશ્વર જલ્દી પ્રસન્ન થાય છે. ભક્તોને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ભોળેનાથને રૂદ્રાભિષેક કરવાથી તેમજ મહામૃત્યંજય વધારે ફળ આપે છે. આ મહિના દરમિયાન કરવામાં આવતી ઓમ નમ: શિવાયની માળા પણ વિશેષ ફળદાયી સાબિત થાય છે. શિવલિંગ પર દૂધ તેમજ જળનો અભિષેક કરવાનું વિધાન પણ આપણાં શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી જ્યોતિર્લિંગોમાં તેમજ શિવાલયો વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.