આજથી પવિત્ર શ્રાવણ માસનો થયો પ્રારંભ, શિવાલયોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર


  • Published By :
  • Published Date : 2023-08-17 16:18:52

હિંદુ ધર્મમાં દરેક માસનું વિશેષ મહત્વ રહેલું હોય છે. અલગ અલગ મહિનાઓમાં અલગ અલગ દેવતાઓની પૂજા કરવામાં આવતી હોય છે, મહિનાઓ દેવતાઓને સમર્પિત હોય છે. આસો મહિનો માતાજીને સમર્પિત હોય છે, ભાદરવો મહિનો ગણપતિજીને સમર્પિત હોય છે તેવી રીતે શ્રાવણ મહિનો ભગવાન ભોળેનાથને સમર્પિત હોય છે. શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. દેવાધિદેવ મહાદેવની પૂજા કરવા માટે મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. શિવાલયો હર હર મદાહેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.      


શિવાલયો ગુંજ્યા હર હર મહાદેવના નાદથી

શ્રાવણ મહિનાનું હિંદુ ધર્મમાં આગવું મહત્વ રહેલું છે. દેવાધિ દેવ મહાદેવની આ મહિનામાં પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. શિવાલયોમાં શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજનો પણ કરવામાં આવતા હોય છે. જ્યોતિર્લિંગમાં શ્રાવણ મહિના દરમિયાન ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાવિકો મંદિરમાં દર્શનાર્થે જતા હોય છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે . 


શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી કરાઈ છે ખાસ વ્યવસ્થા 

એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં કરવામાં આવતી પૂજાથી ભગવાન નાગેશ્વર જલ્દી પ્રસન્ન થાય છે. ભક્તોને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ભોળેનાથને રૂદ્રાભિષેક કરવાથી તેમજ મહામૃત્યંજય વધારે ફળ આપે છે. આ મહિના દરમિયાન કરવામાં આવતી ઓમ નમ: શિવાયની માળા પણ વિશેષ ફળદાયી સાબિત થાય છે. શિવલિંગ પર દૂધ તેમજ જળનો અભિષેક કરવાનું વિધાન પણ આપણાં શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી જ્યોતિર્લિંગોમાં તેમજ શિવાલયો વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.