આજથી પવિત્ર શ્રાવણ માસનો થયો પ્રારંભ, શિવાલયોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર


  • Published By :
  • Published Date : 2023-08-17 16:18:52

હિંદુ ધર્મમાં દરેક માસનું વિશેષ મહત્વ રહેલું હોય છે. અલગ અલગ મહિનાઓમાં અલગ અલગ દેવતાઓની પૂજા કરવામાં આવતી હોય છે, મહિનાઓ દેવતાઓને સમર્પિત હોય છે. આસો મહિનો માતાજીને સમર્પિત હોય છે, ભાદરવો મહિનો ગણપતિજીને સમર્પિત હોય છે તેવી રીતે શ્રાવણ મહિનો ભગવાન ભોળેનાથને સમર્પિત હોય છે. શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. દેવાધિદેવ મહાદેવની પૂજા કરવા માટે મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. શિવાલયો હર હર મદાહેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.      


શિવાલયો ગુંજ્યા હર હર મહાદેવના નાદથી

શ્રાવણ મહિનાનું હિંદુ ધર્મમાં આગવું મહત્વ રહેલું છે. દેવાધિ દેવ મહાદેવની આ મહિનામાં પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. શિવાલયોમાં શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજનો પણ કરવામાં આવતા હોય છે. જ્યોતિર્લિંગમાં શ્રાવણ મહિના દરમિયાન ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાવિકો મંદિરમાં દર્શનાર્થે જતા હોય છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે . 


શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી કરાઈ છે ખાસ વ્યવસ્થા 

એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં કરવામાં આવતી પૂજાથી ભગવાન નાગેશ્વર જલ્દી પ્રસન્ન થાય છે. ભક્તોને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ભોળેનાથને રૂદ્રાભિષેક કરવાથી તેમજ મહામૃત્યંજય વધારે ફળ આપે છે. આ મહિના દરમિયાન કરવામાં આવતી ઓમ નમ: શિવાયની માળા પણ વિશેષ ફળદાયી સાબિત થાય છે. શિવલિંગ પર દૂધ તેમજ જળનો અભિષેક કરવાનું વિધાન પણ આપણાં શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી જ્યોતિર્લિંગોમાં તેમજ શિવાલયો વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.