ટ્વિટરની બદલાઈ ગઈ ઓળખ! એલોન મસ્કે ટ્વિટરે બદલ્યો ટ્વિટરનો લોગો, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2023-07-24 17:13:19

જેમ માણસ માટે પોતાનું નામ મહત્વનું હોય છે તેમ કંપની માટે તેનો લોગો તેની ઓળખ હોય છે. આપણને જો કોઈ કંપનીનો લોગો બતાવીને પૂછે કે શું તમે આ કંપનીના નામ વિશે જાણો છો તો તમે આસાનીથી ઓળખી શકો છો. પરંતુ ટ્વિટરના લોગોને એલોન મસ્ક દ્વારા બદલી દેવામાં આવ્યું છે. ટ્વિટરની કમાન જ્યારથી એલોન મસ્કે સંભાળી છે ત્યારથી ટ્વિટરની પોલીસીમાં, તેના નિયમોમાં એવા ફેરફાર કરવામાં આવી રહ્યા છે જે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હવે ટ્વિટરને નવો લોગો મળ્યો છે. ટ્વિટરના લોગોમાં પહેલા ચકલી દેખાતી હતી તેની જગ્યાએ હવે X દેખાશે. 

એલોન મસ્ક દ્વારા લેવામાં આવતા નિર્ણય હમેશાં રહ્યા ચર્ચામાં

આપણે નાના હતા ત્યારે કહેતા હતા કે ચકલી ઉડે, તો કહેતા હા ઉડે. ત્યારે ટ્વિટરના લોગોમાં રાખવામાં આવેલી ચકલી ઉડી ગઈ છે. આવી વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે ટ્વિટરે નવો લોગો લોન્ચ કર્યો છે. નવા નવા પ્રયોગો કરવા એલોન મસ્કને ગમતા લાગે છે કારણ કે જ્યારથી તેમણે ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી એવા નિર્ણયો લીધા છે જેને કારણે વિવાદો પણ છેડાયા છે. સૌથી પહેલા બ્લોક એકાઉન્ટને ફરી એક્ટિવ કરી દીધા હતા. તે બાદ બ્લૂ ટીકને લઈ નિર્ણય લેવાયો જેમાં પૈસા આપી બ્લુ ટીક ખરીદી શકાશે. એલોન મસ્ક દ્વારા એવા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા જેને લઈ તેઓ હમેશા હેડલાઈન્સમાં રહેતા હતા. 


સત્તાવાર રીતે આજે બદલાયો ટ્વિટરનો લોગો

 ટ્વિટરનો લોગો બદલવામાં આવશે તેવી હિન્ટ ગઈકાલથી મળી રહ્યો હતો. લોગોને લઈ દરેક જગ્યાઓ પર ચર્ચાઓ થતી હતી. ત્યારે આજે સત્તાવાર રીતે ટ્વિટરનો લોગો બદલાઈ ગયો છે. ચકલીની બદલીમાં X હવે ટ્વિટનો નવો લોગો હશે. નવો લોગો ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.     




નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.