ટ્વિટરની બદલાઈ ગઈ ઓળખ! એલોન મસ્કે ટ્વિટરે બદલ્યો ટ્વિટરનો લોગો, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2023-07-24 17:13:19

જેમ માણસ માટે પોતાનું નામ મહત્વનું હોય છે તેમ કંપની માટે તેનો લોગો તેની ઓળખ હોય છે. આપણને જો કોઈ કંપનીનો લોગો બતાવીને પૂછે કે શું તમે આ કંપનીના નામ વિશે જાણો છો તો તમે આસાનીથી ઓળખી શકો છો. પરંતુ ટ્વિટરના લોગોને એલોન મસ્ક દ્વારા બદલી દેવામાં આવ્યું છે. ટ્વિટરની કમાન જ્યારથી એલોન મસ્કે સંભાળી છે ત્યારથી ટ્વિટરની પોલીસીમાં, તેના નિયમોમાં એવા ફેરફાર કરવામાં આવી રહ્યા છે જે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હવે ટ્વિટરને નવો લોગો મળ્યો છે. ટ્વિટરના લોગોમાં પહેલા ચકલી દેખાતી હતી તેની જગ્યાએ હવે X દેખાશે. 

એલોન મસ્ક દ્વારા લેવામાં આવતા નિર્ણય હમેશાં રહ્યા ચર્ચામાં

આપણે નાના હતા ત્યારે કહેતા હતા કે ચકલી ઉડે, તો કહેતા હા ઉડે. ત્યારે ટ્વિટરના લોગોમાં રાખવામાં આવેલી ચકલી ઉડી ગઈ છે. આવી વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે ટ્વિટરે નવો લોગો લોન્ચ કર્યો છે. નવા નવા પ્રયોગો કરવા એલોન મસ્કને ગમતા લાગે છે કારણ કે જ્યારથી તેમણે ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી એવા નિર્ણયો લીધા છે જેને કારણે વિવાદો પણ છેડાયા છે. સૌથી પહેલા બ્લોક એકાઉન્ટને ફરી એક્ટિવ કરી દીધા હતા. તે બાદ બ્લૂ ટીકને લઈ નિર્ણય લેવાયો જેમાં પૈસા આપી બ્લુ ટીક ખરીદી શકાશે. એલોન મસ્ક દ્વારા એવા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા જેને લઈ તેઓ હમેશા હેડલાઈન્સમાં રહેતા હતા. 


સત્તાવાર રીતે આજે બદલાયો ટ્વિટરનો લોગો

 ટ્વિટરનો લોગો બદલવામાં આવશે તેવી હિન્ટ ગઈકાલથી મળી રહ્યો હતો. લોગોને લઈ દરેક જગ્યાઓ પર ચર્ચાઓ થતી હતી. ત્યારે આજે સત્તાવાર રીતે ટ્વિટરનો લોગો બદલાઈ ગયો છે. ચકલીની બદલીમાં X હવે ટ્વિટનો નવો લોગો હશે. નવો લોગો ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.     




23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.

૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.