ટ્વિટરની બદલાઈ ગઈ ઓળખ! એલોન મસ્કે ટ્વિટરે બદલ્યો ટ્વિટરનો લોગો, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2023-07-24 17:13:19

જેમ માણસ માટે પોતાનું નામ મહત્વનું હોય છે તેમ કંપની માટે તેનો લોગો તેની ઓળખ હોય છે. આપણને જો કોઈ કંપનીનો લોગો બતાવીને પૂછે કે શું તમે આ કંપનીના નામ વિશે જાણો છો તો તમે આસાનીથી ઓળખી શકો છો. પરંતુ ટ્વિટરના લોગોને એલોન મસ્ક દ્વારા બદલી દેવામાં આવ્યું છે. ટ્વિટરની કમાન જ્યારથી એલોન મસ્કે સંભાળી છે ત્યારથી ટ્વિટરની પોલીસીમાં, તેના નિયમોમાં એવા ફેરફાર કરવામાં આવી રહ્યા છે જે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હવે ટ્વિટરને નવો લોગો મળ્યો છે. ટ્વિટરના લોગોમાં પહેલા ચકલી દેખાતી હતી તેની જગ્યાએ હવે X દેખાશે. 

એલોન મસ્ક દ્વારા લેવામાં આવતા નિર્ણય હમેશાં રહ્યા ચર્ચામાં

આપણે નાના હતા ત્યારે કહેતા હતા કે ચકલી ઉડે, તો કહેતા હા ઉડે. ત્યારે ટ્વિટરના લોગોમાં રાખવામાં આવેલી ચકલી ઉડી ગઈ છે. આવી વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે ટ્વિટરે નવો લોગો લોન્ચ કર્યો છે. નવા નવા પ્રયોગો કરવા એલોન મસ્કને ગમતા લાગે છે કારણ કે જ્યારથી તેમણે ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી એવા નિર્ણયો લીધા છે જેને કારણે વિવાદો પણ છેડાયા છે. સૌથી પહેલા બ્લોક એકાઉન્ટને ફરી એક્ટિવ કરી દીધા હતા. તે બાદ બ્લૂ ટીકને લઈ નિર્ણય લેવાયો જેમાં પૈસા આપી બ્લુ ટીક ખરીદી શકાશે. એલોન મસ્ક દ્વારા એવા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા જેને લઈ તેઓ હમેશા હેડલાઈન્સમાં રહેતા હતા. 


સત્તાવાર રીતે આજે બદલાયો ટ્વિટરનો લોગો

 ટ્વિટરનો લોગો બદલવામાં આવશે તેવી હિન્ટ ગઈકાલથી મળી રહ્યો હતો. લોગોને લઈ દરેક જગ્યાઓ પર ચર્ચાઓ થતી હતી. ત્યારે આજે સત્તાવાર રીતે ટ્વિટરનો લોગો બદલાઈ ગયો છે. ચકલીની બદલીમાં X હવે ટ્વિટનો નવો લોગો હશે. નવો લોગો ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.     




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.