ગુજરાતના હવામાનમાં દેખાઈ વાવાઝોડાની અસર! અનેક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ! જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-13 09:00:30

બિપોરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ વિકરાળ રૂપ લઈ રહ્યું છે. અનુમાન અનુસાર 15 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યારે વાવાઝોડાની અસર ગુજરાતના હવામાન પર દેખાઈ રહી છે. અનેક જિલ્લાઓમાં ભારે પવન વહી રહ્યો છે. તો ક્યાંક અનેક ઈંચ વરસાદ પણ ખાબકી ગયો છે. ચક્રવાતને પગલે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના 100 જેટલા તાલુકામાં વાવાઝોડાને પગલે વરસાદ વરસ્યો હતો. 



વાવાઝોડાને કારણે અનેક ટ્રેનો કરાઈ રદ્દ

વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ જિલ્લામાં જોવા મળી શકે છે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડાને પગલે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. અનેક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, જ્યારે અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 અને 16 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. ત્યારે વાવાઝોડાને કારણે ગુજરાતના 100 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. માળીયાહાટીનામાં અંદાજીત દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે જૂનાગઢના કેશોદમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 


આ તારીખે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ!

વાવાઝોડાને પગલે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાતને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. દરિયાઓમાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે તેમજ અનેક દરિયાઓમાં કરંટ પણ જોવા મળ્યો હતો. 13 જૂનના રોજ ગાંધીનગર, અમદાવાદ અને આણંદ સહિત દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થશે.  .


ચક્રવાતને લઈ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ કરાયું છે જાહેર 

ગુજરાત માટે 15 અને 16 જૂન મહત્વની માનવામાં આવી રહી છે. આ તારીખ દરમિયાન ત્રણ જિલ્લાઓ એટલે કે જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય  હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂનના રોજ કચ્છમાં, દેવભૂમિ દ્વારકા,જામનગર સહિત અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનને પગલે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. ચક્રવાતને કારણે અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. તેજ પવન ફૂંકાવવાને કારણે અનેક જગ્યાઓથી નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.