ગુજરાતના હવામાનમાં દેખાઈ વાવાઝોડાની અસર! અનેક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ! જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-13 09:00:30

બિપોરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ વિકરાળ રૂપ લઈ રહ્યું છે. અનુમાન અનુસાર 15 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યારે વાવાઝોડાની અસર ગુજરાતના હવામાન પર દેખાઈ રહી છે. અનેક જિલ્લાઓમાં ભારે પવન વહી રહ્યો છે. તો ક્યાંક અનેક ઈંચ વરસાદ પણ ખાબકી ગયો છે. ચક્રવાતને પગલે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના 100 જેટલા તાલુકામાં વાવાઝોડાને પગલે વરસાદ વરસ્યો હતો. 



વાવાઝોડાને કારણે અનેક ટ્રેનો કરાઈ રદ્દ

વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ જિલ્લામાં જોવા મળી શકે છે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડાને પગલે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. અનેક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, જ્યારે અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 અને 16 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. ત્યારે વાવાઝોડાને કારણે ગુજરાતના 100 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. માળીયાહાટીનામાં અંદાજીત દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે જૂનાગઢના કેશોદમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 


આ તારીખે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ!

વાવાઝોડાને પગલે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાતને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. દરિયાઓમાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે તેમજ અનેક દરિયાઓમાં કરંટ પણ જોવા મળ્યો હતો. 13 જૂનના રોજ ગાંધીનગર, અમદાવાદ અને આણંદ સહિત દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થશે.  .


ચક્રવાતને લઈ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ કરાયું છે જાહેર 

ગુજરાત માટે 15 અને 16 જૂન મહત્વની માનવામાં આવી રહી છે. આ તારીખ દરમિયાન ત્રણ જિલ્લાઓ એટલે કે જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય  હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂનના રોજ કચ્છમાં, દેવભૂમિ દ્વારકા,જામનગર સહિત અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનને પગલે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. ચક્રવાતને કારણે અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. તેજ પવન ફૂંકાવવાને કારણે અનેક જગ્યાઓથી નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.