ગુજરાતના હવામાનમાં દેખાઈ વાવાઝોડાની અસર! અનેક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ! જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-13 09:00:30

બિપોરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ વિકરાળ રૂપ લઈ રહ્યું છે. અનુમાન અનુસાર 15 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યારે વાવાઝોડાની અસર ગુજરાતના હવામાન પર દેખાઈ રહી છે. અનેક જિલ્લાઓમાં ભારે પવન વહી રહ્યો છે. તો ક્યાંક અનેક ઈંચ વરસાદ પણ ખાબકી ગયો છે. ચક્રવાતને પગલે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના 100 જેટલા તાલુકામાં વાવાઝોડાને પગલે વરસાદ વરસ્યો હતો. 



વાવાઝોડાને કારણે અનેક ટ્રેનો કરાઈ રદ્દ

વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ જિલ્લામાં જોવા મળી શકે છે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડાને પગલે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. અનેક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, જ્યારે અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 અને 16 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. ત્યારે વાવાઝોડાને કારણે ગુજરાતના 100 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. માળીયાહાટીનામાં અંદાજીત દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે જૂનાગઢના કેશોદમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 


આ તારીખે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ!

વાવાઝોડાને પગલે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાતને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. દરિયાઓમાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે તેમજ અનેક દરિયાઓમાં કરંટ પણ જોવા મળ્યો હતો. 13 જૂનના રોજ ગાંધીનગર, અમદાવાદ અને આણંદ સહિત દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થશે.  .


ચક્રવાતને લઈ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ કરાયું છે જાહેર 

ગુજરાત માટે 15 અને 16 જૂન મહત્વની માનવામાં આવી રહી છે. આ તારીખ દરમિયાન ત્રણ જિલ્લાઓ એટલે કે જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય  હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂનના રોજ કચ્છમાં, દેવભૂમિ દ્વારકા,જામનગર સહિત અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનને પગલે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. ચક્રવાતને કારણે અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. તેજ પવન ફૂંકાવવાને કારણે અનેક જગ્યાઓથી નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.