મોરબીમાં સર્જાયેલ દુર્ઘટનાના પડઘા અમદાવાદમાં પડ્યા, અટલ બ્રિજ માટે તંત્રએ લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-10-31 17:06:27

દિવાળી વેકેશન દરમિયાન પોતાની રજાઓ માણવા અને ફરવા માટે લોકો પર્યટક સ્થળોની મુલાકાત લેતા હોય છે. આપણા શહેરમાં કોઈ પણ નવું પર્યટક સ્થળ બન્યું હોય ત્યારે આપણે તેની મુલાકાત લેતા હોઈએ છીએ. ત્યારે મોરબીમાં બેસતા વર્ષના દિવસે ખુલ્લો મૂકાયેલો બ્રિજ અનેક લોકો માટે મોતનો બ્રિજ બની ગયો છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક પરિવાર વિખેરાઈ ગયા છે. ત્યારે આવી ઘટના અમદાવાદમાં ન બને તે માટે તંત્રએ અગમચેતી વાપરી છે. અમદાવાદમાં બનેલ અટલ બ્રિજમાં આવી દુર્ઘટના ન બને તે માટે સરકારે ફરમાન કર્યું છે જે અંતર્ગત હવે દર કલાકે માત્ર 3000 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.           

અટલ બ્રિજ પર ટિકિટ રાખ્યા બાદ એક દિવસમાં થઇ આટલી આવક

મોરબીની ઘટના પરથી સરકારે લીધી શીખ

અમદાવાદમાં બનેલ અટલ બ્રિજ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અનેક લોકો આ બ્રિજની મુલાકાત લેતા હોય છે. ત્યારે આવી ગોઝારી ઘટના અમદાવાદમાં ન બને તે માટે તંત્રએ અગમચેતી વાપરી છે. થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ આ બ્રિજનું ઉદ્ધાટન કર્યું છે. અટલ બ્રિજ માટે ફરમાન બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત દર કલાકે માત્ર 3000 લોકોને જ બ્રિજ પર ફરવાની પરવાનગી આપવામાં આવશે. માહિતી પ્રમાણે આ બ્રિજ પર એકસાથે 12000 લોકો ફરી શકે તેવી ક્ષમતા આ બ્રિજમાં છે. પરંતુ સરકાર કોઈ રિસ્ક નથી લેવા માગતી.

Know the entry fees and rules before visiting Atal Bridge

જો તંત્ર સતર્ક થયું હોત તો દુર્ઘટના ન સર્જાઈ હોત

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકારે આ પગલા લીધા તે સારી વાત છે પરંતુ થોડી દરકાર જો મોરબી બ્રિજ માટે રાખી હોત તો આ દુર્ઘટના સર્જાઈ જ ન હોત. આવી અગમચેતી જો આ બ્રિજ માટે વાપરી હોત તો લોકોને રડવાનો વારો ન આવ્યો હોત. ત્યારે સરકારે આ ઘટનામાંથી શીખ લીધી એ સારી વાત છે. અને અમે આશા રાખીએ છીએ કે આવી દુર્ઘટના ક્યાંય પણ ન સર્જાય.      




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.