મોરબીમાં સર્જાયેલ દુર્ઘટનાના પડઘા અમદાવાદમાં પડ્યા, અટલ બ્રિજ માટે તંત્રએ લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-10-31 17:06:27

દિવાળી વેકેશન દરમિયાન પોતાની રજાઓ માણવા અને ફરવા માટે લોકો પર્યટક સ્થળોની મુલાકાત લેતા હોય છે. આપણા શહેરમાં કોઈ પણ નવું પર્યટક સ્થળ બન્યું હોય ત્યારે આપણે તેની મુલાકાત લેતા હોઈએ છીએ. ત્યારે મોરબીમાં બેસતા વર્ષના દિવસે ખુલ્લો મૂકાયેલો બ્રિજ અનેક લોકો માટે મોતનો બ્રિજ બની ગયો છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક પરિવાર વિખેરાઈ ગયા છે. ત્યારે આવી ઘટના અમદાવાદમાં ન બને તે માટે તંત્રએ અગમચેતી વાપરી છે. અમદાવાદમાં બનેલ અટલ બ્રિજમાં આવી દુર્ઘટના ન બને તે માટે સરકારે ફરમાન કર્યું છે જે અંતર્ગત હવે દર કલાકે માત્ર 3000 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.           

અટલ બ્રિજ પર ટિકિટ રાખ્યા બાદ એક દિવસમાં થઇ આટલી આવક

મોરબીની ઘટના પરથી સરકારે લીધી શીખ

અમદાવાદમાં બનેલ અટલ બ્રિજ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અનેક લોકો આ બ્રિજની મુલાકાત લેતા હોય છે. ત્યારે આવી ગોઝારી ઘટના અમદાવાદમાં ન બને તે માટે તંત્રએ અગમચેતી વાપરી છે. થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ આ બ્રિજનું ઉદ્ધાટન કર્યું છે. અટલ બ્રિજ માટે ફરમાન બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત દર કલાકે માત્ર 3000 લોકોને જ બ્રિજ પર ફરવાની પરવાનગી આપવામાં આવશે. માહિતી પ્રમાણે આ બ્રિજ પર એકસાથે 12000 લોકો ફરી શકે તેવી ક્ષમતા આ બ્રિજમાં છે. પરંતુ સરકાર કોઈ રિસ્ક નથી લેવા માગતી.

Know the entry fees and rules before visiting Atal Bridge

જો તંત્ર સતર્ક થયું હોત તો દુર્ઘટના ન સર્જાઈ હોત

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકારે આ પગલા લીધા તે સારી વાત છે પરંતુ થોડી દરકાર જો મોરબી બ્રિજ માટે રાખી હોત તો આ દુર્ઘટના સર્જાઈ જ ન હોત. આવી અગમચેતી જો આ બ્રિજ માટે વાપરી હોત તો લોકોને રડવાનો વારો ન આવ્યો હોત. ત્યારે સરકારે આ ઘટનામાંથી શીખ લીધી એ સારી વાત છે. અને અમે આશા રાખીએ છીએ કે આવી દુર્ઘટના ક્યાંય પણ ન સર્જાય.      




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.