Gujaratમાં બ્રિજ તૂટવાની ઘટના સામાન્ય બની, છેલ્લા 3 વર્ષમાં તૂટ્યા આટલા બ્રિજ, બ્રિજના પાયા કરતા ભ્રષ્ટાચારના પાયા વધારે મજબૂત છે!


  • Published By :
  • Published Date : 2023-10-24 12:03:06

વિકાસ મોડલ તરીકે ગુજરાતને સમગ્ર દેશ તેમજ વિદેશમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. ગુજરાતને વિકાસનું મોડલ બનાવી દીધું છે. ગુજરાતમાં વિકાસના અનેક કાર્યો થયા છે તેની ના નહીં પરંતુ એક તરફ નવા બ્રિજો, નવા રસ્તાઓ બને છે નવી બિલ્ડીંગો બને છે તો બીજી તરફ અનેક બ્રિજો, રસ્તાઓ ધરાશાયી થાય છે.  ત્યારે ગઈકાલે પાલનપુરમાં એક નિર્માણાધીન બ્રીજ ધરાશાયી થયો હતો. સ્લેબ તૂટવાને કારણે ત્રણ લોકો કાટમાળની નીચે દટાયા હતા તેવી પ્રાથમિક હતી જે બાદ સમાચાર મળ્યા કે આ ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા છે. પહેલા બ્રિજ બનીને તૂટી પડતા હતા ત્યારે હવે નિર્માણાધીન બ્રિજો ધરાશાયી થઈ રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે.

છેલ્લા 3 વર્ષની અંદર 15 જેટલા બ્રિજ ધરાશાયી થયા!

ગુજરાતમાં બ્રિજ તૂટવાનો આ પહેલો કિસ્સો નથી પરંતુ અનેક બ્રિજો તૂટી પડ્યા છે. આ બ્રિજ તૂટવાને કારણે અનેક લોકોના મોત થયા છે. બ્રિજના નિર્માણ વખતે આચરવામાં આવતા ભ્રષ્ટાચારને કારણે આ દુર્ઘટના બનતી રહે છે તેવા આક્ષેપો અનેક વખત કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 3 વર્ષની અંદર 15 બ્રિજ તૂટી પડવાની ઘટના બની છે. વર્ષ 2021થી વર્ષ 2023 દરમિયાન આ જગ્યાઓ પર બ્રિજ તૂટવાની ઘટના બની છે જેમાં અનેક લોકોના મોત થયા છે.


આ જગ્યાઓ પર બની પુલ તૂટવાની ઘટના 

વર્ષ 2021માં અમદાવાદના શાંતિપુરાના મુમતાપુરા બ્રિજ સાથે દુર્ઘટના સર્જાઈ, રાજકોટમાં આજી ડેમ ચોકડી ફ્લાયઓવરની દિવાલ ધરાશાયી થઈ, મહેસાણા બાય પાસ પાસે પોદાર સ્કૂલની બાજુનો બ્રિજ તૂટી પડ્યો. વર્ષ 2022માં રોજકોટના માધાપર ચોકડી બ્રિજ નજીક દુર્ઘટના સર્જાઈ છે. મોરબી પર બનેલો ઝુલતો બ્રિજ તૂટી પડ્યો જેમાં 135 લકોના મોત થઈ ગયા તે તો હજી લોકોને યાદ હશે. તે ઉપરાંત અમદાવાદના બોપલ રિંગ રોડ પર મુમતાપુરા બ્રિજ દુર્ઘટનાનો શિકાર બન્યો, લુણાવાડામાં હાંડોડ, ભરૂચમાં નાંદેલાવ બ્રિજ તૂટી પડ્યો. મહેસાણા ઊંઝા હાઈવે નજીક દુર્ઘટના સર્જાઈ, તે ઉપરાંત વડોદરા સિંઘરોટ બ્રિજ સાથે દુર્ઘટના સર્જાઈ છે. 2023માં પણ અનેક બ્રિજો સાથે દુર્ઘટના સર્જાઈ છે. વઢવાણ તાલુકાના વસ્તડી ગામે પુલ તૂટી પડ્યો, રાજકોટમાં નાળા પરનો સ્લેબ તૂટી પડ્યો, જૂનાગઢના ધાંધુસરમાં જર્જરિત પુલ તૂટી પડ્યો. તે ઉપરાંત ગઈકાલે પાલનપુરમાં આરટીઓ નજીક બ્રિજના 6 સ્લેબ તૂટી પડ્યા છે. 


વર્ષ બદલાય છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં! 

આ તો થઈ 2021ની વાત પરંતુ આની પહેલા પણ અનેક બ્રિજ ભ્રષ્ટાચારનો શિકાર બન્યા છે. 2020માં રાજકોટ જિલ્લામાં આજીડેમ ચોકડી પાસે દુર્ઘટના સર્જાઈ છે. તે ઉપરાંત મહેસાણા જિલ્લામાં મહેસાણા બાયપાસ દુર્ઘટના સર્જાઈ છે. તે ઉપરાંત 2019માં રાજકોટમાં સટોડક ગામમાં બ્રિજ તૂટી પડ્યો છે. 2019માં સુરતમાં પીપોક ફ્લાયઓવર બ્રિજ દુર્ઘટનાનો શિકાર બન્યો હતો.  


નક્કર કાર્યવાહી નથી કરાતી જેને કારણે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે

ગુજરાતમાં બ્રિજ તૂટવાની ઘટના કોઈ પહેલી વાર નથી બની. છાશવારે આવી ઘટનાઓ બનતી રહે છે. ભ્રષ્ટાચારનો ભોગ  નિર્દોષ લોકોને બનવું પડે છે. અનેક લોકોના મોત આવી દુર્ધટનામાં થાય છે. આવી કોઈ દુર્ઘટના જ્યારે સર્જાય છે ત્યારે નામ પૂરતા તપાસના આદેશ આપવામાં આવે છે. તપાસના આદેશ આપ્યા બાદ જવાબદાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી એ પ્રશ્ન છે.. કડક કાર્યવાહી નથી કરવામાં આવતી જેને કારણે લોકોને ડર નથી બેસતો. તેઓ માને છે કે વધારેમાં વધારે આ લોકો શું કરી લેવાના? 


એવી કાર્યવાહી થવી જોઈએ જેને કારણે બીજા લોકોના મનમાં ડર બેસે

અનેક લોકોને એવું લાગે છે કે સિસ્ટમ તેમના પ્રમાણે ચાલે છે. તે લોકો જેમ કહેશે તે પ્રમાણે કામ થશે પરંતુ તે વાત ખોટી છે તેવા દાખલા બેસાડવા પડશે. એવા ઉદાહરણો આપણે પ્રસ્થાપિત કરવા પડશે જેને કારણે ભ્રષ્ટાચાર કરતા પહેલા લોકોના મનમાં ડર બેસે તેવા ઉદાહરણો નહીં બેસાડવામાં આવે ત્યાં સુધી ભ્રષ્ટાચાર કરતા લોકો નહીં રોકાય.    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.