સુરેન્દ્રનગરમાં ફરી બની હત્યાની ઘટના, પાટડીના વડગામમાં બે શખ્સોએ કર્યો 19 વર્ષીય યુવક પર હુમલો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-18 09:47:27

જમીનને લઈ યુગો પહેલા મહાભારત ખેલાઈ હતી. જમીનને લઈ વિવાદો હંમેશા જોવા મળતા હોય છે. જમીનને કારણે સગા ભાઈઓ એક બીજાના દુશ્મનો બની જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા ખેતરની જમીનને લઈ બે દલિત ભાઈની હત્યા કરવામાં આવી હતી. આ વાતને હજી થોડો જ સમય વીત્યો છે ત્યારે ફરી એક વખત જમીનને લઈ યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે.  સુરેન્દ્રનગર જાણે હુમલાનું હબ બનતું જાય છે જો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય. 19 વર્ષના યુવાન પર ટોળા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 


તલવાર તેમજ ધારિયાના ઘાવ ઝીંકી કરાયો ઈજાગ્રસ્ત  

સમગ્ર કિસ્સાની વાત કરીએ તો પાટડી તાલુકાના વડગામમાં 19 વર્ષના યુવાનની તલવારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પોતાનું પેટ ભરવા માટે વડગામ ગામમાં છૂટક મજૂરી કામ કરતા લક્ષ્મણભાઇ ઠાકોરના 19 વર્ષના પુત્ર રાહુલભાઇ ઠાકોરને ગાડીમાં આવેલા બે શખ્સોએ તલવાર અને ધારીયાના ઘા મારીને ઈજાગ્રસ્ત કર્યો. તે બાદ આરોપી ફરાર થઈ ગયા. બાદમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 19 વર્ષના રાહુલ લક્ષ્મણભાઇ ઠાકોરને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલે લઇ જવાયો. બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલે લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબે એને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં દસાડા પીએસઆઇ વી.આઇ.ખડીયા સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ ફરાર થયેલા આરોપીઓને પકડવની કાર્યવાહી શરૂ કરી છે 


ચૂડામાં બે ભાઈઓની કરાઈ હતી હત્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા અનેક દિવસોથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જોવા મળી રહી છે. ચૂડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન બાબતે જ બે સગાભાઇઓની ખેતરમાં જ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોક યાદવે ચૂડાના બે પીએસઆઇને સસ્પેન્ડ કરવાની સાથે આ કેસમાં સીટની રચના કરી 5 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી  આ ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં પાટડી તાલુકાના વડગામ ગામે જમીનની જૂની અદાવત મામલે 19 વર્ષના યુવાનની તલવારના ઘા મારી હત્યાથી આખું ગામ સેહમી ગયું છે 


જમીનને કારણે થાય છે વિવાદ 

હાલ લોકોની માનસિકતા ખબર નહીં કેવી થઈ રહી છે. દરેક નાની મોટી વાતમાં આવેશમાં આવીને કોઈને પણ મોતને ઘાટ ઉતારી દે છે. બંને કેસમાં કોઈ વસ્તુ એક છે તો તે છે જમીન બધાને વ્હાલીજ હોય છે. પરંતુ પૈસા અને જમીનના મોહમાં કોઈને મારી નાખવા યોગ્ય નથી.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.