સુરેન્દ્રનગરમાં ફરી બની હત્યાની ઘટના, પાટડીના વડગામમાં બે શખ્સોએ કર્યો 19 વર્ષીય યુવક પર હુમલો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-18 09:47:27

જમીનને લઈ યુગો પહેલા મહાભારત ખેલાઈ હતી. જમીનને લઈ વિવાદો હંમેશા જોવા મળતા હોય છે. જમીનને કારણે સગા ભાઈઓ એક બીજાના દુશ્મનો બની જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા ખેતરની જમીનને લઈ બે દલિત ભાઈની હત્યા કરવામાં આવી હતી. આ વાતને હજી થોડો જ સમય વીત્યો છે ત્યારે ફરી એક વખત જમીનને લઈ યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે.  સુરેન્દ્રનગર જાણે હુમલાનું હબ બનતું જાય છે જો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય. 19 વર્ષના યુવાન પર ટોળા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 


તલવાર તેમજ ધારિયાના ઘાવ ઝીંકી કરાયો ઈજાગ્રસ્ત  

સમગ્ર કિસ્સાની વાત કરીએ તો પાટડી તાલુકાના વડગામમાં 19 વર્ષના યુવાનની તલવારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પોતાનું પેટ ભરવા માટે વડગામ ગામમાં છૂટક મજૂરી કામ કરતા લક્ષ્મણભાઇ ઠાકોરના 19 વર્ષના પુત્ર રાહુલભાઇ ઠાકોરને ગાડીમાં આવેલા બે શખ્સોએ તલવાર અને ધારીયાના ઘા મારીને ઈજાગ્રસ્ત કર્યો. તે બાદ આરોપી ફરાર થઈ ગયા. બાદમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 19 વર્ષના રાહુલ લક્ષ્મણભાઇ ઠાકોરને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલે લઇ જવાયો. બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલે લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબે એને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં દસાડા પીએસઆઇ વી.આઇ.ખડીયા સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ ફરાર થયેલા આરોપીઓને પકડવની કાર્યવાહી શરૂ કરી છે 


ચૂડામાં બે ભાઈઓની કરાઈ હતી હત્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા અનેક દિવસોથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જોવા મળી રહી છે. ચૂડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન બાબતે જ બે સગાભાઇઓની ખેતરમાં જ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોક યાદવે ચૂડાના બે પીએસઆઇને સસ્પેન્ડ કરવાની સાથે આ કેસમાં સીટની રચના કરી 5 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી  આ ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં પાટડી તાલુકાના વડગામ ગામે જમીનની જૂની અદાવત મામલે 19 વર્ષના યુવાનની તલવારના ઘા મારી હત્યાથી આખું ગામ સેહમી ગયું છે 


જમીનને કારણે થાય છે વિવાદ 

હાલ લોકોની માનસિકતા ખબર નહીં કેવી થઈ રહી છે. દરેક નાની મોટી વાતમાં આવેશમાં આવીને કોઈને પણ મોતને ઘાટ ઉતારી દે છે. બંને કેસમાં કોઈ વસ્તુ એક છે તો તે છે જમીન બધાને વ્હાલીજ હોય છે. પરંતુ પૈસા અને જમીનના મોહમાં કોઈને મારી નાખવા યોગ્ય નથી.  



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.