India-Canadaના તણાવના સંબંધો વચ્ચે ભારત સરકારે લીધો આ નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-21 16:19:19

ભારત અને કેનેડામાં સંબંધોમાં સતત તણાવ આવી રહ્યો છે. બંને દેશો વચ્ચે મામલો શાંત થવાને બદલે મામલો સતત વધતો જઈ રહ્યો છે. કેનેડાના પીએમે સંસદમાં સંભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે હરદીપની હત્યા પાછળ ભારતનો હાથ હોઈ શકે છે. આ નિવેદન બાદ ભારત દ્વારા ત્વરીત એક્શન લેવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે ભારત સરકારે કેનેડિયન નાગરિકો માટે અનિશ્ચિત સમય સુધી વિઝા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ઈન્ડિયા વિઝા એપ્લિકેશન સેન્ટર, કેનેડાની વેબસાઈટમાં લખાયેલો મેસેજ.

 



કેનેડિયન નાગરિકોને નહીં આપવામાં આવે વિઝા!

કેનેડા દ્વારા ભારતના રાજદ્વારી પવન વર્માને આ મામલે સંડોવણીના આક્ષેપો સાથે મોકલી દેવામાં આવ્યા હતા. તે બાદ ભારત દ્વારા પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે બીજા એક આતંકવાદીની હત્યા આજે ગોળીમારીને કરી દેવામાં આવી છે. બંને દેશોમાં ટેન્શન સતત વધી રહ્યું છે. આ બધા વચ્ચે ભારત સરકારે એક નિર્ણય લીધો છે. ભારત સરકારે કેનેડિયન નાગરિકો માટે અનિશ્ચિત સમય સુધી વિઝા બંધ કરવાનો નિર્ણય લીધો છે. 


નોટિફિકેશન કર્યું જાહેર 

ભારતે આ અંગે નિર્ણય કર્યો છે. આ મામલે હજી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું ન હતું પરંતુ હવે કેનેડામાં વીઝી કેન્દ્રો મેનેજ કરનારા બીએલસી ઈન્ટરનેશનલે પોતાની વેબસાઈટ પર આ જાણકારી અપડેટ કરી છે . નોટિફિકેશનમાં લખવામાં આવ્યું કે ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના- ઓપરેશનલ કારણોથી ભારતની વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બરથી આગલી સૂચના ન આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવ્યું છે.  





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.