India-Canadaના તણાવના સંબંધો વચ્ચે ભારત સરકારે લીધો આ નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-21 16:19:19

ભારત અને કેનેડામાં સંબંધોમાં સતત તણાવ આવી રહ્યો છે. બંને દેશો વચ્ચે મામલો શાંત થવાને બદલે મામલો સતત વધતો જઈ રહ્યો છે. કેનેડાના પીએમે સંસદમાં સંભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે હરદીપની હત્યા પાછળ ભારતનો હાથ હોઈ શકે છે. આ નિવેદન બાદ ભારત દ્વારા ત્વરીત એક્શન લેવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે ભારત સરકારે કેનેડિયન નાગરિકો માટે અનિશ્ચિત સમય સુધી વિઝા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ઈન્ડિયા વિઝા એપ્લિકેશન સેન્ટર, કેનેડાની વેબસાઈટમાં લખાયેલો મેસેજ.

 



કેનેડિયન નાગરિકોને નહીં આપવામાં આવે વિઝા!

કેનેડા દ્વારા ભારતના રાજદ્વારી પવન વર્માને આ મામલે સંડોવણીના આક્ષેપો સાથે મોકલી દેવામાં આવ્યા હતા. તે બાદ ભારત દ્વારા પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે બીજા એક આતંકવાદીની હત્યા આજે ગોળીમારીને કરી દેવામાં આવી છે. બંને દેશોમાં ટેન્શન સતત વધી રહ્યું છે. આ બધા વચ્ચે ભારત સરકારે એક નિર્ણય લીધો છે. ભારત સરકારે કેનેડિયન નાગરિકો માટે અનિશ્ચિત સમય સુધી વિઝા બંધ કરવાનો નિર્ણય લીધો છે. 


નોટિફિકેશન કર્યું જાહેર 

ભારતે આ અંગે નિર્ણય કર્યો છે. આ મામલે હજી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું ન હતું પરંતુ હવે કેનેડામાં વીઝી કેન્દ્રો મેનેજ કરનારા બીએલસી ઈન્ટરનેશનલે પોતાની વેબસાઈટ પર આ જાણકારી અપડેટ કરી છે . નોટિફિકેશનમાં લખવામાં આવ્યું કે ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના- ઓપરેશનલ કારણોથી ભારતની વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બરથી આગલી સૂચના ન આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવ્યું છે.  





રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .