India-Canadaના તણાવના સંબંધો વચ્ચે ભારત સરકારે લીધો આ નિર્ણય, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-21 16:19:19

ભારત અને કેનેડામાં સંબંધોમાં સતત તણાવ આવી રહ્યો છે. બંને દેશો વચ્ચે મામલો શાંત થવાને બદલે મામલો સતત વધતો જઈ રહ્યો છે. કેનેડાના પીએમે સંસદમાં સંભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે હરદીપની હત્યા પાછળ ભારતનો હાથ હોઈ શકે છે. આ નિવેદન બાદ ભારત દ્વારા ત્વરીત એક્શન લેવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે ભારત સરકારે કેનેડિયન નાગરિકો માટે અનિશ્ચિત સમય સુધી વિઝા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ઈન્ડિયા વિઝા એપ્લિકેશન સેન્ટર, કેનેડાની વેબસાઈટમાં લખાયેલો મેસેજ.

 



કેનેડિયન નાગરિકોને નહીં આપવામાં આવે વિઝા!

કેનેડા દ્વારા ભારતના રાજદ્વારી પવન વર્માને આ મામલે સંડોવણીના આક્ષેપો સાથે મોકલી દેવામાં આવ્યા હતા. તે બાદ ભારત દ્વારા પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે બીજા એક આતંકવાદીની હત્યા આજે ગોળીમારીને કરી દેવામાં આવી છે. બંને દેશોમાં ટેન્શન સતત વધી રહ્યું છે. આ બધા વચ્ચે ભારત સરકારે એક નિર્ણય લીધો છે. ભારત સરકારે કેનેડિયન નાગરિકો માટે અનિશ્ચિત સમય સુધી વિઝા બંધ કરવાનો નિર્ણય લીધો છે. 


નોટિફિકેશન કર્યું જાહેર 

ભારતે આ અંગે નિર્ણય કર્યો છે. આ મામલે હજી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું ન હતું પરંતુ હવે કેનેડામાં વીઝી કેન્દ્રો મેનેજ કરનારા બીએલસી ઈન્ટરનેશનલે પોતાની વેબસાઈટ પર આ જાણકારી અપડેટ કરી છે . નોટિફિકેશનમાં લખવામાં આવ્યું કે ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના- ઓપરેશનલ કારણોથી ભારતની વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બરથી આગલી સૂચના ન આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવ્યું છે.  





વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.