પાવાગઢમાં શ્રીફળ નહીં વધેરવાના નિર્ણયનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે કર્યો વિરોધ, કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર


  • Published By :
  • Published Date : 2023-03-16 16:25:20

શક્તિપીઠ અંબાજી ખાતે ચાલતો મોહનથાળ પ્રસાદ વિવાદનો અંત તો આવી ગયો. ફરીથી મોહનથાળ પ્રસાદની વહેચણી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવતા માઈભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. અંબાજી મંદિર પ્રસાદને લઈ વિવાદ ચાલી રહ્યો હતો તો બીજી બાજુ પાવાગઢ ટ્રસ્ટ દ્વારા વધેરેલા શ્રીફળ પ્રસાદને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો વિરોધ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઈ વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

શ્રીફળ પ્રસાદ બંધ થતા ભક્તોમાં નારાજગી જોવા મળી 

મોહનથાળ પ્રસાદ વિવાદ માંડ માંડ શાંત પડ્યો છે ત્યારે એક નવો વિવાદ ઉભો થઈ ગયો છે. પાવાગઢમાં છોલેલા શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાવાગઢ પરિસરમાં છોલેલા શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈ માઈભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. મંદિરમાં ફક્ત આખા નાળિયેર જ માતાજીને અર્પણ કરવામાં આવશે. ભક્તોના જણાવ્યા અનુસાર જે ભક્તોએ નાળિયેર વધેરવાની બાધા લીધી હોય તેઓ બાધા પૂરી કરી શકશે નહીં. જેથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે છે. જો મંદિરમાં શ્રીફળ વધેરવાની વ્યવસ્થા ન હોય તો સાળંગપુર હનુમાન જેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી. 


આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર 

આ નિર્ણયનો વિરોધ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પ્રસાદ બંધ થવાના નિર્ણયને ઔરંગઝેબનો નિર્ણય ગણાવ્યો હતો. નિવેદનપત્ર આપવા જતી વખતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડોદરા મહાનગર ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે ભક્તો અહીં વર્ષોથી માનતા પૂર્ણ થતા શ્રીફળ વધેરવાની બાધા રાખતા હોય છે. ત્યારે શ્રીફળ વધેરવાની પરંપરા યથાવત રહેવી જોઈએ.               


આંદોલનની ઉચ્ચારવામાં આવી ચીમકી 

જો થોડા સમયમાં જ શ્રીફળ વધેરવા અંગે લેવાયેલા નિર્ણયને પરત નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ધરણા કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. જો આ નિર્ણય પાછો નહીં લેવામાં આવે તો ચલો પાવાગઢ આંદોલન કરવામાં આવશે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.