આજે ખુલ્યો જના સ્મોલ ફાઈનાન્સ બેંકનો IPO, જાણો કેટલું છે ગ્રે માર્કેટ પ્રિમિયમ


  • Published By :
  • Published Date : 2024-02-07 14:18:53

આજે 7 ફેબ્રુઆરીના રોજ વધુ એક મોટી કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે અને રોકાણકારો તેમાં 9 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકશે. જના સ્મોલ ફાઈનાન્સ બેંકનો આઈપીઓનું પ્રાઈઝ બેન્ડ 399 થી 414 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. જના સ્મોલ ફાઈનાન્સ બેંકના શેરોને બિએસઈ અને એનએસઈ બંને સ્ટોક એક્સ્ચેન્જ પર લિસ્ટ કરાવવામાં આવશે. 


કંપની આઈપીઓ દ્વારા 570 કરોડ રૂપિયા એકઠા કરશે


જના સ્મોલ ફાઈનાન્સ બેંક કંપની આ આઈપીઓ દ્વારા બજારમાંથી 570 કરોડ રૂપિયા એકત્રિત કરશે. તેમાં કંપની 462 કરોડ રૂપિયાના 1.12 કરોડ ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ જારી કરશે, અને ઓફએફએસ દ્વારા કંપની 108 કરોડ રૂપિયાના 26.08 લાખ શેરો આપશે.  જના સ્મોલ ફાઈનાન્સ બેંકના શેરોનું એલોટમેન્ટ 12 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. અને લિસ્ટિંગ પણ 14 ફેબ્રુઆરીના રોજ થઈ શકે છે.  


કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડશે?


જૌ તમે આ આઈપીઓમાં પૈસા લગાવવા માંગો છો તો 399થી 414 રૂપિયા પ્રતિ શેરની પ્રાઈઝ બેન્ડ પર 36 શેરો ફાળવવામાં આવશે. આ માટે રિટેલ રોકાણકારોએ ઓછામા ઓછા 14, 904 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે મહત્તમ 13 લોટ માટે  193,752 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. હાઈ નેટવર્થ રોકાણકારો તેમાં ઓછામાં ઓછું 208,656 રૂપિયા અને મહત્તમ 998,568 રૂપિયા જેટલું રોકાણ કરી શકે છે.  


કેટલો છે ગ્રે માર્કેટ પ્રિમિયમ?


જના સ્મોલ ફાઈનાન્સ બેંકનું જીએમપી આજે પ્રાઈઝ બેન્ડથી  66 રૂપિયા વધુ જોવા મળી રહ્યું છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર  15.94% ના ઉછાળા સાથે  ટ્રેડિંગ કરી રહ્યા રહ્યા છે. આ સ્થિતીમાં કંપનીનો શેર 480 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.