આજે ખુલ્યો જના સ્મોલ ફાઈનાન્સ બેંકનો IPO, જાણો કેટલું છે ગ્રે માર્કેટ પ્રિમિયમ


  • Published By :
  • Published Date : 2024-02-07 14:18:53

આજે 7 ફેબ્રુઆરીના રોજ વધુ એક મોટી કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે અને રોકાણકારો તેમાં 9 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકશે. જના સ્મોલ ફાઈનાન્સ બેંકનો આઈપીઓનું પ્રાઈઝ બેન્ડ 399 થી 414 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. જના સ્મોલ ફાઈનાન્સ બેંકના શેરોને બિએસઈ અને એનએસઈ બંને સ્ટોક એક્સ્ચેન્જ પર લિસ્ટ કરાવવામાં આવશે. 


કંપની આઈપીઓ દ્વારા 570 કરોડ રૂપિયા એકઠા કરશે


જના સ્મોલ ફાઈનાન્સ બેંક કંપની આ આઈપીઓ દ્વારા બજારમાંથી 570 કરોડ રૂપિયા એકત્રિત કરશે. તેમાં કંપની 462 કરોડ રૂપિયાના 1.12 કરોડ ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ જારી કરશે, અને ઓફએફએસ દ્વારા કંપની 108 કરોડ રૂપિયાના 26.08 લાખ શેરો આપશે.  જના સ્મોલ ફાઈનાન્સ બેંકના શેરોનું એલોટમેન્ટ 12 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. અને લિસ્ટિંગ પણ 14 ફેબ્રુઆરીના રોજ થઈ શકે છે.  


કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડશે?


જૌ તમે આ આઈપીઓમાં પૈસા લગાવવા માંગો છો તો 399થી 414 રૂપિયા પ્રતિ શેરની પ્રાઈઝ બેન્ડ પર 36 શેરો ફાળવવામાં આવશે. આ માટે રિટેલ રોકાણકારોએ ઓછામા ઓછા 14, 904 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે મહત્તમ 13 લોટ માટે  193,752 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. હાઈ નેટવર્થ રોકાણકારો તેમાં ઓછામાં ઓછું 208,656 રૂપિયા અને મહત્તમ 998,568 રૂપિયા જેટલું રોકાણ કરી શકે છે.  


કેટલો છે ગ્રે માર્કેટ પ્રિમિયમ?


જના સ્મોલ ફાઈનાન્સ બેંકનું જીએમપી આજે પ્રાઈઝ બેન્ડથી  66 રૂપિયા વધુ જોવા મળી રહ્યું છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર  15.94% ના ઉછાળા સાથે  ટ્રેડિંગ કરી રહ્યા રહ્યા છે. આ સ્થિતીમાં કંપનીનો શેર 480 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.