આજે ખુલ્યો જના સ્મોલ ફાઈનાન્સ બેંકનો IPO, જાણો કેટલું છે ગ્રે માર્કેટ પ્રિમિયમ


  • Published By :
  • Published Date : 2024-02-07 14:18:53

આજે 7 ફેબ્રુઆરીના રોજ વધુ એક મોટી કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે અને રોકાણકારો તેમાં 9 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકશે. જના સ્મોલ ફાઈનાન્સ બેંકનો આઈપીઓનું પ્રાઈઝ બેન્ડ 399 થી 414 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. જના સ્મોલ ફાઈનાન્સ બેંકના શેરોને બિએસઈ અને એનએસઈ બંને સ્ટોક એક્સ્ચેન્જ પર લિસ્ટ કરાવવામાં આવશે. 


કંપની આઈપીઓ દ્વારા 570 કરોડ રૂપિયા એકઠા કરશે


જના સ્મોલ ફાઈનાન્સ બેંક કંપની આ આઈપીઓ દ્વારા બજારમાંથી 570 કરોડ રૂપિયા એકત્રિત કરશે. તેમાં કંપની 462 કરોડ રૂપિયાના 1.12 કરોડ ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ જારી કરશે, અને ઓફએફએસ દ્વારા કંપની 108 કરોડ રૂપિયાના 26.08 લાખ શેરો આપશે.  જના સ્મોલ ફાઈનાન્સ બેંકના શેરોનું એલોટમેન્ટ 12 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. અને લિસ્ટિંગ પણ 14 ફેબ્રુઆરીના રોજ થઈ શકે છે.  


કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડશે?


જૌ તમે આ આઈપીઓમાં પૈસા લગાવવા માંગો છો તો 399થી 414 રૂપિયા પ્રતિ શેરની પ્રાઈઝ બેન્ડ પર 36 શેરો ફાળવવામાં આવશે. આ માટે રિટેલ રોકાણકારોએ ઓછામા ઓછા 14, 904 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે મહત્તમ 13 લોટ માટે  193,752 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. હાઈ નેટવર્થ રોકાણકારો તેમાં ઓછામાં ઓછું 208,656 રૂપિયા અને મહત્તમ 998,568 રૂપિયા જેટલું રોકાણ કરી શકે છે.  


કેટલો છે ગ્રે માર્કેટ પ્રિમિયમ?


જના સ્મોલ ફાઈનાન્સ બેંકનું જીએમપી આજે પ્રાઈઝ બેન્ડથી  66 રૂપિયા વધુ જોવા મળી રહ્યું છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર  15.94% ના ઉછાળા સાથે  ટ્રેડિંગ કરી રહ્યા રહ્યા છે. આ સ્થિતીમાં કંપનીનો શેર 480 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.