આજે ખુલ્યો જના સ્મોલ ફાઈનાન્સ બેંકનો IPO, જાણો કેટલું છે ગ્રે માર્કેટ પ્રિમિયમ


  • Published By :
  • Published Date : 2024-02-07 14:18:53

આજે 7 ફેબ્રુઆરીના રોજ વધુ એક મોટી કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે અને રોકાણકારો તેમાં 9 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકશે. જના સ્મોલ ફાઈનાન્સ બેંકનો આઈપીઓનું પ્રાઈઝ બેન્ડ 399 થી 414 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. જના સ્મોલ ફાઈનાન્સ બેંકના શેરોને બિએસઈ અને એનએસઈ બંને સ્ટોક એક્સ્ચેન્જ પર લિસ્ટ કરાવવામાં આવશે. 


કંપની આઈપીઓ દ્વારા 570 કરોડ રૂપિયા એકઠા કરશે


જના સ્મોલ ફાઈનાન્સ બેંક કંપની આ આઈપીઓ દ્વારા બજારમાંથી 570 કરોડ રૂપિયા એકત્રિત કરશે. તેમાં કંપની 462 કરોડ રૂપિયાના 1.12 કરોડ ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ જારી કરશે, અને ઓફએફએસ દ્વારા કંપની 108 કરોડ રૂપિયાના 26.08 લાખ શેરો આપશે.  જના સ્મોલ ફાઈનાન્સ બેંકના શેરોનું એલોટમેન્ટ 12 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. અને લિસ્ટિંગ પણ 14 ફેબ્રુઆરીના રોજ થઈ શકે છે.  


કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડશે?


જૌ તમે આ આઈપીઓમાં પૈસા લગાવવા માંગો છો તો 399થી 414 રૂપિયા પ્રતિ શેરની પ્રાઈઝ બેન્ડ પર 36 શેરો ફાળવવામાં આવશે. આ માટે રિટેલ રોકાણકારોએ ઓછામા ઓછા 14, 904 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે મહત્તમ 13 લોટ માટે  193,752 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. હાઈ નેટવર્થ રોકાણકારો તેમાં ઓછામાં ઓછું 208,656 રૂપિયા અને મહત્તમ 998,568 રૂપિયા જેટલું રોકાણ કરી શકે છે.  


કેટલો છે ગ્રે માર્કેટ પ્રિમિયમ?


જના સ્મોલ ફાઈનાન્સ બેંકનું જીએમપી આજે પ્રાઈઝ બેન્ડથી  66 રૂપિયા વધુ જોવા મળી રહ્યું છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર  15.94% ના ઉછાળા સાથે  ટ્રેડિંગ કરી રહ્યા રહ્યા છે. આ સ્થિતીમાં કંપનીનો શેર 480 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.