લોકસભામાં ઉઠ્યો અદાણીનો મુદ્દો અને થયો હોબાળો, અદાણી મુદ્દે Rahul Gandhiએ શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-11-28 11:45:32

દેશની સંસદમાં હાલ શિયાળું સત્ર ચાલી રહ્યું છે... શિયાળા સત્રનો આજે બીજો દિવસ હતો પરંતુ કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.. સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ જેમાં વિપક્ષે અદાણી મુદ્દે હોબાળો મચાવ્યો જેને કારણે પહેલા 12 વાગ્યા સુધી લોકસભા અધ્યક્ષે સ્થગિત કરી દીધી.. અદાણી મુદ્દે રાહુલ ગાંધી અનેક આક્રામક દેખાયા છે.. તેમનું કહેવું છે કે અદાણીને મોદી સરકાર સપોર્ટ કરી રહી છે... 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવેલી સંસદની કાર્યવાહી જ્યારે ફરી શરૂ થઈ ત્યારે હોબાળો થયો અને સંસદની કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરવામાં આવી..

અદાણી મુદ્દે લોકસભામાં હોબાળો 

સોમવારથી સંસદમાં શિયાળા સત્રની શરૂઆત થઈ ગઈ છે... આ સત્રમાં અનેક મહત્વના બિલો જેવા કે વકફ બિસ સહિતના 16 જેટલા બિલો રજૂ થવાના હતા.. મળતી માહિતી અનુસાર 16માંથી 11 બિલ ચર્ચા માટે મૂકવામાં આવશે. જ્યારે 5 કાયદા બનવા માટે મંજૂરી માટે મૂકવામાં આવશે. 20 ડિસેમ્બર સુધી સંસદનું ચોમાસું સત્ર ચાલવાનું છે, બે દિવસ પૂર્ણ થઈ ગયા છે પરંતુ સંસદની કાર્યવાહી થઈ નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી... અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા સંસદમાં હંગામો કરવામાં આવે છે અને હોબાળાને પગલે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી રહી છે... આવતી કાલ માટે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે...

રાહુલ ગાંધીએ કરી અદાણીના ધરપકડની માગ!

લોકસભાની કાર્યવાહી પહેલા ખડગેની ઓફિસમાં INDIA ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી.. જેમાં અનેક નેતાઓ હાજર રહ્યા હતા.. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા... સંસદમાં કયા મુદ્દાને ઉઠાવવા તે અંગેની ચર્ચા કરવામાં આવી.. અદાણીની ધરપકડ કરવામાં આવે તેવી માગ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહી છે.. ત્યારે આજે પણ રાહુ ગાંધીએ કહ્યું કે સરકાર તેમને બચાવી રહી છે અને તેમની ધરપકડ થવી જોઈએ.મહત્વનું છે કે આ વખતે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી બધા સંસદમાં એક સાથે છે...    



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.