લોકસભામાં ઉઠ્યો અદાણીનો મુદ્દો અને થયો હોબાળો, અદાણી મુદ્દે Rahul Gandhiએ શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-11-28 11:45:32

દેશની સંસદમાં હાલ શિયાળું સત્ર ચાલી રહ્યું છે... શિયાળા સત્રનો આજે બીજો દિવસ હતો પરંતુ કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.. સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ જેમાં વિપક્ષે અદાણી મુદ્દે હોબાળો મચાવ્યો જેને કારણે પહેલા 12 વાગ્યા સુધી લોકસભા અધ્યક્ષે સ્થગિત કરી દીધી.. અદાણી મુદ્દે રાહુલ ગાંધી અનેક આક્રામક દેખાયા છે.. તેમનું કહેવું છે કે અદાણીને મોદી સરકાર સપોર્ટ કરી રહી છે... 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવેલી સંસદની કાર્યવાહી જ્યારે ફરી શરૂ થઈ ત્યારે હોબાળો થયો અને સંસદની કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરવામાં આવી..

અદાણી મુદ્દે લોકસભામાં હોબાળો 

સોમવારથી સંસદમાં શિયાળા સત્રની શરૂઆત થઈ ગઈ છે... આ સત્રમાં અનેક મહત્વના બિલો જેવા કે વકફ બિસ સહિતના 16 જેટલા બિલો રજૂ થવાના હતા.. મળતી માહિતી અનુસાર 16માંથી 11 બિલ ચર્ચા માટે મૂકવામાં આવશે. જ્યારે 5 કાયદા બનવા માટે મંજૂરી માટે મૂકવામાં આવશે. 20 ડિસેમ્બર સુધી સંસદનું ચોમાસું સત્ર ચાલવાનું છે, બે દિવસ પૂર્ણ થઈ ગયા છે પરંતુ સંસદની કાર્યવાહી થઈ નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી... અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા સંસદમાં હંગામો કરવામાં આવે છે અને હોબાળાને પગલે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી રહી છે... આવતી કાલ માટે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે...

રાહુલ ગાંધીએ કરી અદાણીના ધરપકડની માગ!

લોકસભાની કાર્યવાહી પહેલા ખડગેની ઓફિસમાં INDIA ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી.. જેમાં અનેક નેતાઓ હાજર રહ્યા હતા.. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા... સંસદમાં કયા મુદ્દાને ઉઠાવવા તે અંગેની ચર્ચા કરવામાં આવી.. અદાણીની ધરપકડ કરવામાં આવે તેવી માગ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહી છે.. ત્યારે આજે પણ રાહુ ગાંધીએ કહ્યું કે સરકાર તેમને બચાવી રહી છે અને તેમની ધરપકડ થવી જોઈએ.મહત્વનું છે કે આ વખતે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી બધા સંસદમાં એક સાથે છે...    



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.