લોકસભામાં ઉઠ્યો અદાણીનો મુદ્દો અને થયો હોબાળો, અદાણી મુદ્દે Rahul Gandhiએ શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-11-28 11:45:32

દેશની સંસદમાં હાલ શિયાળું સત્ર ચાલી રહ્યું છે... શિયાળા સત્રનો આજે બીજો દિવસ હતો પરંતુ કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.. સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ જેમાં વિપક્ષે અદાણી મુદ્દે હોબાળો મચાવ્યો જેને કારણે પહેલા 12 વાગ્યા સુધી લોકસભા અધ્યક્ષે સ્થગિત કરી દીધી.. અદાણી મુદ્દે રાહુલ ગાંધી અનેક આક્રામક દેખાયા છે.. તેમનું કહેવું છે કે અદાણીને મોદી સરકાર સપોર્ટ કરી રહી છે... 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવેલી સંસદની કાર્યવાહી જ્યારે ફરી શરૂ થઈ ત્યારે હોબાળો થયો અને સંસદની કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરવામાં આવી..

અદાણી મુદ્દે લોકસભામાં હોબાળો 

સોમવારથી સંસદમાં શિયાળા સત્રની શરૂઆત થઈ ગઈ છે... આ સત્રમાં અનેક મહત્વના બિલો જેવા કે વકફ બિસ સહિતના 16 જેટલા બિલો રજૂ થવાના હતા.. મળતી માહિતી અનુસાર 16માંથી 11 બિલ ચર્ચા માટે મૂકવામાં આવશે. જ્યારે 5 કાયદા બનવા માટે મંજૂરી માટે મૂકવામાં આવશે. 20 ડિસેમ્બર સુધી સંસદનું ચોમાસું સત્ર ચાલવાનું છે, બે દિવસ પૂર્ણ થઈ ગયા છે પરંતુ સંસદની કાર્યવાહી થઈ નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી... અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા સંસદમાં હંગામો કરવામાં આવે છે અને હોબાળાને પગલે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી રહી છે... આવતી કાલ માટે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે...

રાહુલ ગાંધીએ કરી અદાણીના ધરપકડની માગ!

લોકસભાની કાર્યવાહી પહેલા ખડગેની ઓફિસમાં INDIA ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી.. જેમાં અનેક નેતાઓ હાજર રહ્યા હતા.. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા... સંસદમાં કયા મુદ્દાને ઉઠાવવા તે અંગેની ચર્ચા કરવામાં આવી.. અદાણીની ધરપકડ કરવામાં આવે તેવી માગ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહી છે.. ત્યારે આજે પણ રાહુ ગાંધીએ કહ્યું કે સરકાર તેમને બચાવી રહી છે અને તેમની ધરપકડ થવી જોઈએ.મહત્વનું છે કે આ વખતે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી બધા સંસદમાં એક સાથે છે...    



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.