લોકસભામાં ઉઠ્યો અદાણીનો મુદ્દો અને થયો હોબાળો, અદાણી મુદ્દે Rahul Gandhiએ શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-11-28 11:45:32

દેશની સંસદમાં હાલ શિયાળું સત્ર ચાલી રહ્યું છે... શિયાળા સત્રનો આજે બીજો દિવસ હતો પરંતુ કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.. સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ જેમાં વિપક્ષે અદાણી મુદ્દે હોબાળો મચાવ્યો જેને કારણે પહેલા 12 વાગ્યા સુધી લોકસભા અધ્યક્ષે સ્થગિત કરી દીધી.. અદાણી મુદ્દે રાહુલ ગાંધી અનેક આક્રામક દેખાયા છે.. તેમનું કહેવું છે કે અદાણીને મોદી સરકાર સપોર્ટ કરી રહી છે... 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવેલી સંસદની કાર્યવાહી જ્યારે ફરી શરૂ થઈ ત્યારે હોબાળો થયો અને સંસદની કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરવામાં આવી..

અદાણી મુદ્દે લોકસભામાં હોબાળો 

સોમવારથી સંસદમાં શિયાળા સત્રની શરૂઆત થઈ ગઈ છે... આ સત્રમાં અનેક મહત્વના બિલો જેવા કે વકફ બિસ સહિતના 16 જેટલા બિલો રજૂ થવાના હતા.. મળતી માહિતી અનુસાર 16માંથી 11 બિલ ચર્ચા માટે મૂકવામાં આવશે. જ્યારે 5 કાયદા બનવા માટે મંજૂરી માટે મૂકવામાં આવશે. 20 ડિસેમ્બર સુધી સંસદનું ચોમાસું સત્ર ચાલવાનું છે, બે દિવસ પૂર્ણ થઈ ગયા છે પરંતુ સંસદની કાર્યવાહી થઈ નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી... અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા સંસદમાં હંગામો કરવામાં આવે છે અને હોબાળાને પગલે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી રહી છે... આવતી કાલ માટે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે...

રાહુલ ગાંધીએ કરી અદાણીના ધરપકડની માગ!

લોકસભાની કાર્યવાહી પહેલા ખડગેની ઓફિસમાં INDIA ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી.. જેમાં અનેક નેતાઓ હાજર રહ્યા હતા.. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા... સંસદમાં કયા મુદ્દાને ઉઠાવવા તે અંગેની ચર્ચા કરવામાં આવી.. અદાણીની ધરપકડ કરવામાં આવે તેવી માગ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહી છે.. ત્યારે આજે પણ રાહુ ગાંધીએ કહ્યું કે સરકાર તેમને બચાવી રહી છે અને તેમની ધરપકડ થવી જોઈએ.મહત્વનું છે કે આ વખતે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી બધા સંસદમાં એક સાથે છે...    



As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.

ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.