વિધાનસભામાં ઉઠ્યો Ahmedabadની હોસ્પિટલનો મુદ્દો જે આયુષ્યમાન કાર્ડની માન્યતા હોવા છતાંય દર્દી પાસેથી પૈસા પડાવે, દંડની રકમ જાણી તમે ચોંકી જશો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-15 13:04:00

દરેક નાગરિકને સારી શિક્ષા અને સારૂં આરોગ્ય મેળવવાનો અધિકાર છે. લોકો સારી આરોગ્ય સુવિધા પ્રાપ્ત કરી શકે તે માટે સરકારે આયુષ્માન કાર્ડની શરૂઆત કરી હતી. ગરીબ દર્દીઓને પણ સારી સારવાર મળે તે માટે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ અનેક હોસ્પિટલો એવી છે જ્યાં દર્દી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ દર્દી પાસેથી પૈસા ખંખેરવામાં આવે છે. વિધાનસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. 


આયુષ્માન કાર્ડની માન્યતા હોવા છતાંય દર્દીઓ પાસેથી હોસ્પિટલે લીધા પૈસા 

વિધાનસભામાં અમદાવાદની હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ હોવા છતાંય દર્દી પાસેથી પૈસા લેવામાં આવે છે તે પ્રશ્ન ઉઠ્યો હતો. જવાબમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે તેમને અનેક ફરિયાદો મળી છે જેમાં આયુષ્માન કાર્ડની માન્યતા હોવા છતાયં હોસ્પિટલ દર્દી પાસેથી પૈસા વસૂલે છે. છેલ્લા બે વર્ષમાં આ મામલે 56 ફરિયાદો મળી છે. ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં લાભાર્થીઓ અને હોસ્પિટલ સંચાલકો સાથે વાતચીત કરવામાં આવી હતી. રૂબરૂ બોલાવીને રજૂઆત સાંભળવામાં આવી હતી. જો રજૂઆત યોગ્ય લાગે તો કાર્યવાહી કરવામાં આવી હતી.


અમદાવાદની અનેક હોસ્પિટલોને ફટકારાયો દંડ

આ બાદ હોસ્પિટલો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત થયેલી ફરિયાદોમાંથી અને સાચી સાબિત થયેલી  ફરિયાદોના આધારે અમદાવાદની 26 હોસ્પિટલો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ હોસ્પિટલો એવી છે જે આયુષ્માન કાર્ડની માન્યતા ધરાવે છે તે છતા પણ આયુયષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી પૈસા વસૂલે છે. નોટિસ આપી 8.04 લાખનો દંડ હોસ્પિટલ પાસેથી વસૂલવામાં આવ્યો છે. સૌથી વધારે 407700નો દંડ શિવાલિક હોસ્પિટલ પાસેથી વસૂલવામાં આવ્યો છે. 


આ હોસ્પિટલોના નામનો છે સમાવેશ 

તે ઉપરાંત એઈમ્સ પાસેથી 114790નો દંડ વસૂલવામાં આવ્યો છે. જીસીએસ પાસેથી 66914, નરાડોમાં આવેલી શેલ્બી હોસ્પિટલ પાસેથી 36950 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ લીસ્ટમાં તપન, સિંધુ ભવન, આઈકેડીઆરસી, ગ્લોબલ, આનંદ સર્જિકલ, આસ્થા ઓર્થોપેડીક, હેલ્થ વન, અર્થમ, ભાગ્યોદય, નરિત્વા હેલ્થકેર, કોઠિયા, પાર્થ, પીએસચી કુમારખાન, રાજસ્થાન હોસ્પિટલ, રૂક્ષ્મણી હોસ્પિટલ, સંત મુનિ સેવા, એસવીપી, શક્તિ જનરલ હોસ્પિટલ, શાલીન હેલ્થ કેર, એએમટી અને કેન્સર હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ હોસ્પિટલો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે જે કુલ 8 લાખનો થાય છે. 


હોસ્પિટલ પાસેથી લેવાયો 300 રૂપિયાનો દંડ

આરોગ્ય વિભાગે કાર્યવાહીના રૂપે હોસ્પિટલો પાસેથી દંડ વસૂલ્યો છે. પરંતુ અનેક હોસ્પિટલો પાસેથી જે રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે તે આશ્ચર્જનક છે. આંકડો વાંચીને તમને વિશ્વાસ નહીં થાય. કાર્યવાહીના રૂપે અનેક હોસ્પિટલો પાસેથી 300 રુપિયા વસૂલવામાં આવ્યા તો કોઈ હોસ્પિટલ પાસેથી 600 રુપિયા વસૂલવામાં આવ્યા. 


નજીવો દંડ લઈ આરોગ્ય વિભાગ આપે છે હોસ્પિટલોને પ્રોત્સાહન!

રાજસ્થાન હોસ્પિટલ પાસેથી 300 રૂપિયાનો દંડ વસૂલાયો, એમએમટી હોસ્પિટલ પાસેથી 400 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો, જ્યારે રૂક્ષ્મણી હોસ્પિટલ પાસેથી 600 રૂપિયાનો, શાલીન હોસ્પિટલ તેમજ ગુજરાત કેન્સર હોસ્પિટલ પાસેથી 600 રુપિયા દંડ તરીકે વસૂવામાં આવ્યા છે. હોસ્પિટલોને જે રકમનો દંડ ફટકારવામાં આવ્યો તે તો હેલ્મેટ ન પહેરી વાહન ચલાવીએ તેનાથી પણ ઓછો છે. દર્દી પાસે પૈસા તો પડાવ્યા પરંતુ દંડ રૂપે માત્ર આટલા પૈસા ભર્યા.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.