ફરી ઉઠ્યો કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દો, કાયમી શિક્ષકોની ભરતી કરવા C.R .Patilને કરાયો ફોન, કંટાળેલા યુવાનોએ કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-06-11 17:49:33

ગુજરાતમાં લાંબા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે.. શાળાઓમાં વિદ્યાર્થીઓ હોય છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો જ નથી.. કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત આંદોલન કર્યા, સરકારને રજૂઆત કરી. સોશિયલ મીડિયા પર મૂહિમ ચલાવી પરંતુ કાયમી શિક્ષકોની ભરતી ના થઈ.. ટેટ ટાટ પાસ ઉમેદવાર એ હદે કંટાળ્યા છે કે તેમણે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે સી.આર.પાટીલને ફોન કર્યો હતો અને રજૂઆત કરી હતી..

પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાના અનેક પ્રયત્નો કર્યા.. 

ટેટ ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કર્યા, રિવર્ઝ દાંડી યાત્રાનું આયોજન કર્યું.. તે સિવાય અનેક વખત સચિવાલયને ઘેરવાનો પ્રયત્ન કર્યો.. જ્યારે જ્યારે ધરણા કરવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો જતા હતા ત્યારે ત્યારે તેમનું પોલીસ સાથે ઘર્ષણ થતું હોય તેવા સમાચાર સામે આવતા. આંદોલન, રજૂઆત, ધરણા અનેક વખત કરવામાં આવ્યા પરંતુ તેનો કોઈ ઉકેલ ના આવ્યો.


કાયમી શિક્ષકોની ભરતીને લઈ સી.આર.પાટીલને કરાઈ રજૂઆત 

ઉમેદવારો આશા રાખીને બેઠા હતા કે ટેટ ટાટ પાસ કરી શિક્ષક બનીશું અને વિદ્યાર્થીઓને ભણાવીશું.. પરંતુ ટેટ ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં નથી આવતી.. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. પોતાની રજૂઆત કરવા માટે એક ઉમેદવારે સી.આર.પાટીલને ફોન કર્યો હતો અને તેમની વ્યથા રજૂ કરી હતી. વૈકલ્પિક વ્યવસ્થાને કાયમી કરવામાં આવી છે.. દર વખતે વાયદાઓ કરવામાં આવે છે પરંતુ ધીરે ધીરે કરવામાં આવેલા વાયદાઓ ભૂલાઈ જાય છે.. લોકોને adjust થવાની જાણે આદત થઈ ગઈ હોય તેવું લાગે છે.. 



ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.