ફરી ઉઠ્યો કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દો, કાયમી શિક્ષકોની ભરતી કરવા C.R .Patilને કરાયો ફોન, કંટાળેલા યુવાનોએ કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-06-11 17:49:33

ગુજરાતમાં લાંબા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે.. શાળાઓમાં વિદ્યાર્થીઓ હોય છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો જ નથી.. કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત આંદોલન કર્યા, સરકારને રજૂઆત કરી. સોશિયલ મીડિયા પર મૂહિમ ચલાવી પરંતુ કાયમી શિક્ષકોની ભરતી ના થઈ.. ટેટ ટાટ પાસ ઉમેદવાર એ હદે કંટાળ્યા છે કે તેમણે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે સી.આર.પાટીલને ફોન કર્યો હતો અને રજૂઆત કરી હતી..

પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાના અનેક પ્રયત્નો કર્યા.. 

ટેટ ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કર્યા, રિવર્ઝ દાંડી યાત્રાનું આયોજન કર્યું.. તે સિવાય અનેક વખત સચિવાલયને ઘેરવાનો પ્રયત્ન કર્યો.. જ્યારે જ્યારે ધરણા કરવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો જતા હતા ત્યારે ત્યારે તેમનું પોલીસ સાથે ઘર્ષણ થતું હોય તેવા સમાચાર સામે આવતા. આંદોલન, રજૂઆત, ધરણા અનેક વખત કરવામાં આવ્યા પરંતુ તેનો કોઈ ઉકેલ ના આવ્યો.


કાયમી શિક્ષકોની ભરતીને લઈ સી.આર.પાટીલને કરાઈ રજૂઆત 

ઉમેદવારો આશા રાખીને બેઠા હતા કે ટેટ ટાટ પાસ કરી શિક્ષક બનીશું અને વિદ્યાર્થીઓને ભણાવીશું.. પરંતુ ટેટ ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં નથી આવતી.. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. પોતાની રજૂઆત કરવા માટે એક ઉમેદવારે સી.આર.પાટીલને ફોન કર્યો હતો અને તેમની વ્યથા રજૂ કરી હતી. વૈકલ્પિક વ્યવસ્થાને કાયમી કરવામાં આવી છે.. દર વખતે વાયદાઓ કરવામાં આવે છે પરંતુ ધીરે ધીરે કરવામાં આવેલા વાયદાઓ ભૂલાઈ જાય છે.. લોકોને adjust થવાની જાણે આદત થઈ ગઈ હોય તેવું લાગે છે.. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.