મહિલાઓને લાઈસન્સ વાળું હથિયાર આપવાની ગેનીબેને કરી માગ, મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો સંસદમાં


  • Published By :
  • Published Date : 2023-03-11 18:23:43

એક સમયે ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ આજકાલ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મહિલાઓ પર બળજબરી કરવામાં આવતી હોય છે. મહિલાઓની સલામતી આજકાલ એક મહત્વનો મુદ્દો બની છે. ત્યારે આ અંગે ગેનીબેન ઠાકોરે ગૃહમાં મહિલાઓને હથિયાર આપવાની મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો છે. આત્મરક્ષણ માટે મહિલાઓને બંદુક આપવાની માગ ગૃહમાં ગેનીબેન ઠાકોરે કરી છે. 


મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ગેનીબેને સંસદમાં ઉઠાવ્યો 

મહિલાઓ પર થતો અત્યાચાર એક ગંભીર મુદ્દો બન્યો છે. ગુજરાતમાં પણ મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે મહિલાઓની સલામતીને લઈ ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક રજૂઆત કરી છે. વિધાનસભાના સત્ર દરમિયાન ગેનીબેન ઠાકોરે દીકરીઓને આત્મરક્ષણ માટે સ્વનિર્ભર બને તેવા આશયથી મહિલાઓને બંદુકનું લાયસન્સ આપવાની માગ કરી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે આ મામલામાં માત્ર 10 ટકા જ  મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે પરંતુ 90 ટકા ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી. 


મહિલાઓને લાઈસન્સ વાળા હથિયાર આપવાની કરી માગ!

અનેક વખત સમાજમાં બદનામીના ડરથી મહિલાઓ પર થતાં અત્યાચાર પ્રકાશમાં આવતા નથી. ત્યારે ભણતી દીકરીઓ તેમજ સ્વરોજગાર મેળવનાર મહિલાઓને સ્વરક્ષણ માટે તાલીમ આપવી જોઈએ. મહિલાઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરવામાં આવતી હોય છે. ગેનીબેન ઠાકોરે સવાલ કર્યો કે મહિલાઓને સુરક્ષા માટે હથિયારની મંજૂરી આપવા સરકારે શું નિર્ણય કર્યો? 


હર્ષ સંઘવી પર પણ કર્યા પ્રહાર 

તે ઉપરાંત મહિલાઓએ આત્મ સુરક્ષા માટે પોતાની પાસે રિવોલ્વર રાખવી જોઈએ. ઉપરાંત તેમણે કહ્યુંકે મહિલાઓ વિરુદ્ધ ગુનામાં તાત્કાલિક ન્યાય મળે તે માટે પણ કામ કરવું જોઈએ. કાયદા વ્યવસ્થાને લઈને તેમણે કહ્યું કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. પોતાના સંબોધનમાં તેમણે હર્ષ સંઘવી પર પણ પ્રહાર કર્યા હતા.        




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.