મહિલાઓને લાઈસન્સ વાળું હથિયાર આપવાની ગેનીબેને કરી માગ, મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો સંસદમાં


  • Published By :
  • Published Date : 2023-03-11 18:23:43

એક સમયે ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ આજકાલ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મહિલાઓ પર બળજબરી કરવામાં આવતી હોય છે. મહિલાઓની સલામતી આજકાલ એક મહત્વનો મુદ્દો બની છે. ત્યારે આ અંગે ગેનીબેન ઠાકોરે ગૃહમાં મહિલાઓને હથિયાર આપવાની મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો છે. આત્મરક્ષણ માટે મહિલાઓને બંદુક આપવાની માગ ગૃહમાં ગેનીબેન ઠાકોરે કરી છે. 


મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ગેનીબેને સંસદમાં ઉઠાવ્યો 

મહિલાઓ પર થતો અત્યાચાર એક ગંભીર મુદ્દો બન્યો છે. ગુજરાતમાં પણ મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે મહિલાઓની સલામતીને લઈ ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક રજૂઆત કરી છે. વિધાનસભાના સત્ર દરમિયાન ગેનીબેન ઠાકોરે દીકરીઓને આત્મરક્ષણ માટે સ્વનિર્ભર બને તેવા આશયથી મહિલાઓને બંદુકનું લાયસન્સ આપવાની માગ કરી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે આ મામલામાં માત્ર 10 ટકા જ  મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે પરંતુ 90 ટકા ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી. 


મહિલાઓને લાઈસન્સ વાળા હથિયાર આપવાની કરી માગ!

અનેક વખત સમાજમાં બદનામીના ડરથી મહિલાઓ પર થતાં અત્યાચાર પ્રકાશમાં આવતા નથી. ત્યારે ભણતી દીકરીઓ તેમજ સ્વરોજગાર મેળવનાર મહિલાઓને સ્વરક્ષણ માટે તાલીમ આપવી જોઈએ. મહિલાઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરવામાં આવતી હોય છે. ગેનીબેન ઠાકોરે સવાલ કર્યો કે મહિલાઓને સુરક્ષા માટે હથિયારની મંજૂરી આપવા સરકારે શું નિર્ણય કર્યો? 


હર્ષ સંઘવી પર પણ કર્યા પ્રહાર 

તે ઉપરાંત મહિલાઓએ આત્મ સુરક્ષા માટે પોતાની પાસે રિવોલ્વર રાખવી જોઈએ. ઉપરાંત તેમણે કહ્યુંકે મહિલાઓ વિરુદ્ધ ગુનામાં તાત્કાલિક ન્યાય મળે તે માટે પણ કામ કરવું જોઈએ. કાયદા વ્યવસ્થાને લઈને તેમણે કહ્યું કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. પોતાના સંબોધનમાં તેમણે હર્ષ સંઘવી પર પણ પ્રહાર કર્યા હતા.        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.