મહિલાઓને લાઈસન્સ વાળું હથિયાર આપવાની ગેનીબેને કરી માગ, મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો સંસદમાં


  • Published By :
  • Published Date : 2023-03-11 18:23:43

એક સમયે ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ આજકાલ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મહિલાઓ પર બળજબરી કરવામાં આવતી હોય છે. મહિલાઓની સલામતી આજકાલ એક મહત્વનો મુદ્દો બની છે. ત્યારે આ અંગે ગેનીબેન ઠાકોરે ગૃહમાં મહિલાઓને હથિયાર આપવાની મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો છે. આત્મરક્ષણ માટે મહિલાઓને બંદુક આપવાની માગ ગૃહમાં ગેનીબેન ઠાકોરે કરી છે. 


મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ગેનીબેને સંસદમાં ઉઠાવ્યો 

મહિલાઓ પર થતો અત્યાચાર એક ગંભીર મુદ્દો બન્યો છે. ગુજરાતમાં પણ મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે મહિલાઓની સલામતીને લઈ ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક રજૂઆત કરી છે. વિધાનસભાના સત્ર દરમિયાન ગેનીબેન ઠાકોરે દીકરીઓને આત્મરક્ષણ માટે સ્વનિર્ભર બને તેવા આશયથી મહિલાઓને બંદુકનું લાયસન્સ આપવાની માગ કરી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે આ મામલામાં માત્ર 10 ટકા જ  મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે પરંતુ 90 ટકા ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી. 


મહિલાઓને લાઈસન્સ વાળા હથિયાર આપવાની કરી માગ!

અનેક વખત સમાજમાં બદનામીના ડરથી મહિલાઓ પર થતાં અત્યાચાર પ્રકાશમાં આવતા નથી. ત્યારે ભણતી દીકરીઓ તેમજ સ્વરોજગાર મેળવનાર મહિલાઓને સ્વરક્ષણ માટે તાલીમ આપવી જોઈએ. મહિલાઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરવામાં આવતી હોય છે. ગેનીબેન ઠાકોરે સવાલ કર્યો કે મહિલાઓને સુરક્ષા માટે હથિયારની મંજૂરી આપવા સરકારે શું નિર્ણય કર્યો? 


હર્ષ સંઘવી પર પણ કર્યા પ્રહાર 

તે ઉપરાંત મહિલાઓએ આત્મ સુરક્ષા માટે પોતાની પાસે રિવોલ્વર રાખવી જોઈએ. ઉપરાંત તેમણે કહ્યુંકે મહિલાઓ વિરુદ્ધ ગુનામાં તાત્કાલિક ન્યાય મળે તે માટે પણ કામ કરવું જોઈએ. કાયદા વ્યવસ્થાને લઈને તેમણે કહ્યું કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. પોતાના સંબોધનમાં તેમણે હર્ષ સંઘવી પર પણ પ્રહાર કર્યા હતા.        




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.