મહિલાઓને લાઈસન્સ વાળું હથિયાર આપવાની ગેનીબેને કરી માગ, મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો સંસદમાં


  • Published By :
  • Published Date : 2023-03-11 18:23:43

એક સમયે ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ આજકાલ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મહિલાઓ પર બળજબરી કરવામાં આવતી હોય છે. મહિલાઓની સલામતી આજકાલ એક મહત્વનો મુદ્દો બની છે. ત્યારે આ અંગે ગેનીબેન ઠાકોરે ગૃહમાં મહિલાઓને હથિયાર આપવાની મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો છે. આત્મરક્ષણ માટે મહિલાઓને બંદુક આપવાની માગ ગૃહમાં ગેનીબેન ઠાકોરે કરી છે. 


મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ગેનીબેને સંસદમાં ઉઠાવ્યો 

મહિલાઓ પર થતો અત્યાચાર એક ગંભીર મુદ્દો બન્યો છે. ગુજરાતમાં પણ મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે મહિલાઓની સલામતીને લઈ ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક રજૂઆત કરી છે. વિધાનસભાના સત્ર દરમિયાન ગેનીબેન ઠાકોરે દીકરીઓને આત્મરક્ષણ માટે સ્વનિર્ભર બને તેવા આશયથી મહિલાઓને બંદુકનું લાયસન્સ આપવાની માગ કરી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે આ મામલામાં માત્ર 10 ટકા જ  મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે પરંતુ 90 ટકા ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી. 


મહિલાઓને લાઈસન્સ વાળા હથિયાર આપવાની કરી માગ!

અનેક વખત સમાજમાં બદનામીના ડરથી મહિલાઓ પર થતાં અત્યાચાર પ્રકાશમાં આવતા નથી. ત્યારે ભણતી દીકરીઓ તેમજ સ્વરોજગાર મેળવનાર મહિલાઓને સ્વરક્ષણ માટે તાલીમ આપવી જોઈએ. મહિલાઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરવામાં આવતી હોય છે. ગેનીબેન ઠાકોરે સવાલ કર્યો કે મહિલાઓને સુરક્ષા માટે હથિયારની મંજૂરી આપવા સરકારે શું નિર્ણય કર્યો? 


હર્ષ સંઘવી પર પણ કર્યા પ્રહાર 

તે ઉપરાંત મહિલાઓએ આત્મ સુરક્ષા માટે પોતાની પાસે રિવોલ્વર રાખવી જોઈએ. ઉપરાંત તેમણે કહ્યુંકે મહિલાઓ વિરુદ્ધ ગુનામાં તાત્કાલિક ન્યાય મળે તે માટે પણ કામ કરવું જોઈએ. કાયદા વ્યવસ્થાને લઈને તેમણે કહ્યું કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. પોતાના સંબોધનમાં તેમણે હર્ષ સંઘવી પર પણ પ્રહાર કર્યા હતા.        




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.