ચીનમાં વધતા કોરોના સંક્રમણને કારણે જાપાન સરકારે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-30 16:37:50

ચીનમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણને લઈ વિશ્વના અનેક દેશોમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે. અમેરિકા, જાપાન સહિતના દેશોમાં ચીનમાં કોરોના કેસ વધતા પ્રતિબંધો વધારી દેવામાં આવ્યા છે. જાપાનમાં શુક્રવારે ચીનથી આવતા લોકો માટે ટેસ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. 



જાપાનમાં કોરોના ટેસ્ટિંગ વધારાયા   

કોરોના સંક્રમણને કારણે વિશ્વના દેશોની ચિંતામાં વધારો થયો છે. લાખોની સંખ્યામાં ચીનના લોકો સંક્રમિત થઈ રહ્યા છે. વધતા કોરોના સંક્રમણને કારણે જાપાન સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જાપાને શુક્રવારે ચીનથી આવતા યાત્રીકો માટે કોરોના ટેસ્ટ કરવાની ફરજ પાડી છે. જાપાનમાં પણ કોરોના સંક્રમણને કારણે લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકો પોતાની જાન પણ ખોઈ બેથા છે. 



ચીન સરકારે પ્રતિબંધો હળવા કરાતા વધ્યા કેસ  

ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વના દેશો એક તરફ નિયંત્રણો લાદી રહ્યા છે. જાપાન, અમેરિકા સહિતના દેશોમાં કોરોના સંક્રમણને કારણે સ્થિતિ વણસે નહીં તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ ચીન સરકાર પ્રતિબંધો હળવા કરી રહી છે. ઝીરો કોવિડ પોલિસીનો લોકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરી ચીન સરકારનો વિરોધ કર્યો હતો. વિરોધ વધતા ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. જેને કારણે કોરોના કેસમાં એકાએક વધારો થયો છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે.       




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.