ચીનમાં વધતા કોરોના સંક્રમણને કારણે જાપાન સરકારે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-30 16:37:50

ચીનમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણને લઈ વિશ્વના અનેક દેશોમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે. અમેરિકા, જાપાન સહિતના દેશોમાં ચીનમાં કોરોના કેસ વધતા પ્રતિબંધો વધારી દેવામાં આવ્યા છે. જાપાનમાં શુક્રવારે ચીનથી આવતા લોકો માટે ટેસ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. 



જાપાનમાં કોરોના ટેસ્ટિંગ વધારાયા   

કોરોના સંક્રમણને કારણે વિશ્વના દેશોની ચિંતામાં વધારો થયો છે. લાખોની સંખ્યામાં ચીનના લોકો સંક્રમિત થઈ રહ્યા છે. વધતા કોરોના સંક્રમણને કારણે જાપાન સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જાપાને શુક્રવારે ચીનથી આવતા યાત્રીકો માટે કોરોના ટેસ્ટ કરવાની ફરજ પાડી છે. જાપાનમાં પણ કોરોના સંક્રમણને કારણે લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકો પોતાની જાન પણ ખોઈ બેથા છે. 



ચીન સરકારે પ્રતિબંધો હળવા કરાતા વધ્યા કેસ  

ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વના દેશો એક તરફ નિયંત્રણો લાદી રહ્યા છે. જાપાન, અમેરિકા સહિતના દેશોમાં કોરોના સંક્રમણને કારણે સ્થિતિ વણસે નહીં તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ ચીન સરકાર પ્રતિબંધો હળવા કરી રહી છે. ઝીરો કોવિડ પોલિસીનો લોકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરી ચીન સરકારનો વિરોધ કર્યો હતો. વિરોધ વધતા ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. જેને કારણે કોરોના કેસમાં એકાએક વધારો થયો છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે.       




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.