ECIની નિમણૂક માટે બનાવવામા આવેલા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો, 12 જાન્યુઆરી એ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2024-01-10 15:38:29

સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે એક અલગ સ્વતંત્ર પસંદગી સમિતીની રચના કરવાની માગ કરવામાં આવી છે. કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે બનેલા નવા કાનુનને પડકારવમાં આવ્યો છે. આ મામલે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટીસ દીપાંકરની બેન્ચ સુનાવણી કરશે. 


અરજીમાં શું માગ કરાઈ?

 

એક જાહેર હિતની અરજીમાં અરજીકર્તાઓએ ચૂંટણી કમિશનરોની પસંદગી અંગે સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા સુધારા પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે. તે સાથે જ અરજીકર્તાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકમ માટે એક પસંદગી કમિટીની રચના કરવા તથા તેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાઘિશને સામેલ કરવાની પણ માગ કરવામા આવી છે.    


સરકારે બદલ્યો હતો ફેંસલો


ઉલ્લેખનિય છે કે 21 ડિસેમ્બરના રોજ લોકસભાએ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અને સર્વિસ શરતોને વિનિયમિત કરવા માટે એક બિલ પસાર કર્યું હતું. કાયદા મંત્રી અર્જુન મેઘવાલે કહ્યું કે આ કાયદો સુપ્રીમ કોર્ટના એક ફેસલા બાદ લાવવામાં આવ્યો છે, ત્યાર બાદ 28 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિએ મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય ચૂંટણી કમિશનર બિલ 2023 ને મંજુરી આપી હતી. આ નવા કાયદામાં સંસોધન બાદ મુખ્ય ચૂંટણી કમિશનર અને ઈલેક્શન કમિશનરોની નિમણૂક પેનલમાંથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશને હટાવીને તેમના સ્થાને પ્રધાનમંત્રી દ્વારા નિમવામાં આવેલા સભ્યને સામેલ કરવામાં આવ્યા છે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે