ECIની નિમણૂક માટે બનાવવામા આવેલા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો, 12 જાન્યુઆરી એ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2024-01-10 15:38:29

સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે એક અલગ સ્વતંત્ર પસંદગી સમિતીની રચના કરવાની માગ કરવામાં આવી છે. કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે બનેલા નવા કાનુનને પડકારવમાં આવ્યો છે. આ મામલે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટીસ દીપાંકરની બેન્ચ સુનાવણી કરશે. 


અરજીમાં શું માગ કરાઈ?

 

એક જાહેર હિતની અરજીમાં અરજીકર્તાઓએ ચૂંટણી કમિશનરોની પસંદગી અંગે સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા સુધારા પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે. તે સાથે જ અરજીકર્તાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકમ માટે એક પસંદગી કમિટીની રચના કરવા તથા તેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાઘિશને સામેલ કરવાની પણ માગ કરવામા આવી છે.    


સરકારે બદલ્યો હતો ફેંસલો


ઉલ્લેખનિય છે કે 21 ડિસેમ્બરના રોજ લોકસભાએ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અને સર્વિસ શરતોને વિનિયમિત કરવા માટે એક બિલ પસાર કર્યું હતું. કાયદા મંત્રી અર્જુન મેઘવાલે કહ્યું કે આ કાયદો સુપ્રીમ કોર્ટના એક ફેસલા બાદ લાવવામાં આવ્યો છે, ત્યાર બાદ 28 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિએ મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય ચૂંટણી કમિશનર બિલ 2023 ને મંજુરી આપી હતી. આ નવા કાયદામાં સંસોધન બાદ મુખ્ય ચૂંટણી કમિશનર અને ઈલેક્શન કમિશનરોની નિમણૂક પેનલમાંથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશને હટાવીને તેમના સ્થાને પ્રધાનમંત્રી દ્વારા નિમવામાં આવેલા સભ્યને સામેલ કરવામાં આવ્યા છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.