ECIની નિમણૂક માટે બનાવવામા આવેલા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો, 12 જાન્યુઆરી એ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2024-01-10 15:38:29

સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે એક અલગ સ્વતંત્ર પસંદગી સમિતીની રચના કરવાની માગ કરવામાં આવી છે. કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે બનેલા નવા કાનુનને પડકારવમાં આવ્યો છે. આ મામલે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટીસ દીપાંકરની બેન્ચ સુનાવણી કરશે. 


અરજીમાં શું માગ કરાઈ?

 

એક જાહેર હિતની અરજીમાં અરજીકર્તાઓએ ચૂંટણી કમિશનરોની પસંદગી અંગે સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા સુધારા પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે. તે સાથે જ અરજીકર્તાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકમ માટે એક પસંદગી કમિટીની રચના કરવા તથા તેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાઘિશને સામેલ કરવાની પણ માગ કરવામા આવી છે.    


સરકારે બદલ્યો હતો ફેંસલો


ઉલ્લેખનિય છે કે 21 ડિસેમ્બરના રોજ લોકસભાએ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અને સર્વિસ શરતોને વિનિયમિત કરવા માટે એક બિલ પસાર કર્યું હતું. કાયદા મંત્રી અર્જુન મેઘવાલે કહ્યું કે આ કાયદો સુપ્રીમ કોર્ટના એક ફેસલા બાદ લાવવામાં આવ્યો છે, ત્યાર બાદ 28 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિએ મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય ચૂંટણી કમિશનર બિલ 2023 ને મંજુરી આપી હતી. આ નવા કાયદામાં સંસોધન બાદ મુખ્ય ચૂંટણી કમિશનર અને ઈલેક્શન કમિશનરોની નિમણૂક પેનલમાંથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશને હટાવીને તેમના સ્થાને પ્રધાનમંત્રી દ્વારા નિમવામાં આવેલા સભ્યને સામેલ કરવામાં આવ્યા છે. 



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.