ECIની નિમણૂક માટે બનાવવામા આવેલા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો, 12 જાન્યુઆરી એ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2024-01-10 15:38:29

સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે એક અલગ સ્વતંત્ર પસંદગી સમિતીની રચના કરવાની માગ કરવામાં આવી છે. કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે બનેલા નવા કાનુનને પડકારવમાં આવ્યો છે. આ મામલે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટીસ દીપાંકરની બેન્ચ સુનાવણી કરશે. 


અરજીમાં શું માગ કરાઈ?

 

એક જાહેર હિતની અરજીમાં અરજીકર્તાઓએ ચૂંટણી કમિશનરોની પસંદગી અંગે સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા સુધારા પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે. તે સાથે જ અરજીકર્તાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકમ માટે એક પસંદગી કમિટીની રચના કરવા તથા તેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાઘિશને સામેલ કરવાની પણ માગ કરવામા આવી છે.    


સરકારે બદલ્યો હતો ફેંસલો


ઉલ્લેખનિય છે કે 21 ડિસેમ્બરના રોજ લોકસભાએ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અને સર્વિસ શરતોને વિનિયમિત કરવા માટે એક બિલ પસાર કર્યું હતું. કાયદા મંત્રી અર્જુન મેઘવાલે કહ્યું કે આ કાયદો સુપ્રીમ કોર્ટના એક ફેસલા બાદ લાવવામાં આવ્યો છે, ત્યાર બાદ 28 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિએ મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય ચૂંટણી કમિશનર બિલ 2023 ને મંજુરી આપી હતી. આ નવા કાયદામાં સંસોધન બાદ મુખ્ય ચૂંટણી કમિશનર અને ઈલેક્શન કમિશનરોની નિમણૂક પેનલમાંથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશને હટાવીને તેમના સ્થાને પ્રધાનમંત્રી દ્વારા નિમવામાં આવેલા સભ્યને સામેલ કરવામાં આવ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.