કેજરીવાલની સભામાં મોકલેલી 600 ગાડીનું ભાડું માગતા નેતાએ ફોન બંધ કરી દીધો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 18:39:29


વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે અરવિંદ કેજરીવાલ અને આપ રોજ ચર્ચામાં હોય છે ત્યારે આજે ફરી એક વિવાદની વાત સામે આવી છે તાજેતરમાં બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાહોદમાં જનસભાને સંબોધી હતી. આ સભામાં મોકલેલી ગાડીઓનું ભાડું ન ચૂકવાયાનો આક્ષેપ AAPના જ કાર્યકરો કરી રહ્યા છે. તાજેતરમાંજ PM મોદી વિશે આપત્તિજનક શબ્દો ઉચ્ચારતા ગોપાલ ઈટાલિયાનો વીડિયો સામે આવતા ભારે ઉહાપોહ મચ્યો હતો.


કેટલી ગાડીઑ મોકલવામાં આવી હતી ?


દાહોદ ખાતે અરવિંદ કેજરીવાલની સભા યોજવામાં આવી હતી. જેમાં સભામાં મોકલેલી ગાડીઓનું ભાડું ન ચૂકવતા કાર્યકરોમાં રોષ પ્રવર્તિ રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક બાજુ ગેરંટી કાર્ડ વિતરણ કરી લોકોને રિજવી રહી છે, બીજી બીજુ પાર્ટીના જ કાર્યકરોની જ ગેરંટી કોઈ લેવાં તૈયાર નથી. ગાડીના માલિક ભાડું માંગવા ફોન કર્યા તો પાર્ટીના હોદેદારોએ ફોન સ્વીચ ઓફ કરવાના પણ આક્ષેપ લગાવમાં આવી રહ્યા છે. ભાડું ન ચૂકવતા કાર્યકરો અને અને ગાડીના માલિક નારાજ થયા છે.


કેટલું ભાડું બાકી ?


આ ગાડીઓ માટે અંદાજિત પંદર લાખ ઉપરની રકમ ચૂકવવાની થતી હતી. એવામાં છેલ્લાં સમયે પૈસા ન મળતાં વાહન ચાલકો દુવિધામાં મૂકાયા છે. પરિણામે સંતરામપુર વિધાન સભામાં વાહન ચાલકો, AAના કાર્યકરો, તેમજ પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.