કેજરીવાલની સભામાં મોકલેલી 600 ગાડીનું ભાડું માગતા નેતાએ ફોન બંધ કરી દીધો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 18:39:29


વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે અરવિંદ કેજરીવાલ અને આપ રોજ ચર્ચામાં હોય છે ત્યારે આજે ફરી એક વિવાદની વાત સામે આવી છે તાજેતરમાં બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાહોદમાં જનસભાને સંબોધી હતી. આ સભામાં મોકલેલી ગાડીઓનું ભાડું ન ચૂકવાયાનો આક્ષેપ AAPના જ કાર્યકરો કરી રહ્યા છે. તાજેતરમાંજ PM મોદી વિશે આપત્તિજનક શબ્દો ઉચ્ચારતા ગોપાલ ઈટાલિયાનો વીડિયો સામે આવતા ભારે ઉહાપોહ મચ્યો હતો.


કેટલી ગાડીઑ મોકલવામાં આવી હતી ?


દાહોદ ખાતે અરવિંદ કેજરીવાલની સભા યોજવામાં આવી હતી. જેમાં સભામાં મોકલેલી ગાડીઓનું ભાડું ન ચૂકવતા કાર્યકરોમાં રોષ પ્રવર્તિ રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક બાજુ ગેરંટી કાર્ડ વિતરણ કરી લોકોને રિજવી રહી છે, બીજી બીજુ પાર્ટીના જ કાર્યકરોની જ ગેરંટી કોઈ લેવાં તૈયાર નથી. ગાડીના માલિક ભાડું માંગવા ફોન કર્યા તો પાર્ટીના હોદેદારોએ ફોન સ્વીચ ઓફ કરવાના પણ આક્ષેપ લગાવમાં આવી રહ્યા છે. ભાડું ન ચૂકવતા કાર્યકરો અને અને ગાડીના માલિક નારાજ થયા છે.


કેટલું ભાડું બાકી ?


આ ગાડીઓ માટે અંદાજિત પંદર લાખ ઉપરની રકમ ચૂકવવાની થતી હતી. એવામાં છેલ્લાં સમયે પૈસા ન મળતાં વાહન ચાલકો દુવિધામાં મૂકાયા છે. પરિણામે સંતરામપુર વિધાન સભામાં વાહન ચાલકો, AAના કાર્યકરો, તેમજ પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.