કેજરીવાલની સભામાં મોકલેલી 600 ગાડીનું ભાડું માગતા નેતાએ ફોન બંધ કરી દીધો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 18:39:29


વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે અરવિંદ કેજરીવાલ અને આપ રોજ ચર્ચામાં હોય છે ત્યારે આજે ફરી એક વિવાદની વાત સામે આવી છે તાજેતરમાં બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાહોદમાં જનસભાને સંબોધી હતી. આ સભામાં મોકલેલી ગાડીઓનું ભાડું ન ચૂકવાયાનો આક્ષેપ AAPના જ કાર્યકરો કરી રહ્યા છે. તાજેતરમાંજ PM મોદી વિશે આપત્તિજનક શબ્દો ઉચ્ચારતા ગોપાલ ઈટાલિયાનો વીડિયો સામે આવતા ભારે ઉહાપોહ મચ્યો હતો.


કેટલી ગાડીઑ મોકલવામાં આવી હતી ?


દાહોદ ખાતે અરવિંદ કેજરીવાલની સભા યોજવામાં આવી હતી. જેમાં સભામાં મોકલેલી ગાડીઓનું ભાડું ન ચૂકવતા કાર્યકરોમાં રોષ પ્રવર્તિ રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક બાજુ ગેરંટી કાર્ડ વિતરણ કરી લોકોને રિજવી રહી છે, બીજી બીજુ પાર્ટીના જ કાર્યકરોની જ ગેરંટી કોઈ લેવાં તૈયાર નથી. ગાડીના માલિક ભાડું માંગવા ફોન કર્યા તો પાર્ટીના હોદેદારોએ ફોન સ્વીચ ઓફ કરવાના પણ આક્ષેપ લગાવમાં આવી રહ્યા છે. ભાડું ન ચૂકવતા કાર્યકરો અને અને ગાડીના માલિક નારાજ થયા છે.


કેટલું ભાડું બાકી ?


આ ગાડીઓ માટે અંદાજિત પંદર લાખ ઉપરની રકમ ચૂકવવાની થતી હતી. એવામાં છેલ્લાં સમયે પૈસા ન મળતાં વાહન ચાલકો દુવિધામાં મૂકાયા છે. પરિણામે સંતરામપુર વિધાન સભામાં વાહન ચાલકો, AAના કાર્યકરો, તેમજ પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.