બોરવેલમાં ફસાઈ માસુમની જીંદગી! જામનગરમાં બાળકી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, હાથ ધરાઈ રેસ્ક્યુની કામગીરી


  • Published By :
  • Published Date : 2023-06-03 12:57:28

બાળક રમતા રમતા અનેક વખત એવી મોટી મુશ્કેલીમાં ફસાઈ જતા હોય છે જેને કારણે તેમનો જીવ જોખમમાં મૂકાઈ જતો હોય છે. કોઈ વખત બાળક સિક્કો ગળી જાય છે તો કોઈ વખત રમતા રમતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે જામનગરના તમાચણ ગામમાં અઢી-ત્રણ વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. રમતા રમતાં 40 ફૂટ ઉંડા બોરવેલમાં ફસાઈ ગઈ હતી. ત્યારે બાળકીનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે. ઓક્સિજન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. 

ખુલ્લા બોરવેલમાં બાળકી ફસાઈ.

(ખુલ્લા બોરવેલમાં પડી બાળકી)  

ગ્રામજનો સહિતનાઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.

(બાળકીને બચાવવા શરૂ કરાયું રેસ્ક્યુ)

બોરવેલમાંથી બાળકી બહાર કાઢવા હાથ ધરાયું રેસ્ક્યુ!    

બોરવેલમાં નાના બાળકો ફસાયા હોવાની ઘટના સામે આવી રહી છે. રમતા રમતા બાળક મુસીબતમાં ફસાઈ જતા હોય છે. ત્યારે આવી જ દુર્ઘટના જામનગરના તમાચણા ગામે આવેલા વાડી વિસ્તારમાં સર્જાઈ છે. રમતા રમતા અઢી-ત્રણ વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ અને ફસાઈ ગઈ હતી. બાળકીને બચાવા ફાયરવિભાગની ટીમ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. જે બોરવેલમાં બાળકી પડી ગઈ છે તે 40 ફૂટ ઉંડો છે. મળતી માહિતી અનુસાર બાળકી હાલ 20 ફૂટ નીચે ફસાયેલી છે. બચાવ ટીમ બાળકીને બચાવવા કામગીરી કરી રહી છે. ઓક્સિજન પહોંચાડવાની કામગીરી કરાઈ હી છે. બોરવેલમાં બાળકી ફસાઈ જતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.         

રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

આ રીતે બાળકીને બચાવાશે!

જે બાળકી બોરવેલમાં પડી ગઈ તે શ્રમિક પરિવારની દીકરી છે. મળતી માહિતી અનુસાર પરિવાર ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે. પરિવાર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. બાળકી રમતી હતી અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. બાળકીને બચાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. અગાઉના કિસ્સાઓમાં બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં  આવ્યા છે. ત્યારે આ બાળકીને પણ સુરક્ષિત રીતે બચાવી લેવાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર બોરવેલમાં ફસાયેલી બાળકીને બચાવવા સાઈડમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.