બોરવેલમાં ફસાઈ માસુમની જીંદગી! જામનગરમાં બાળકી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, હાથ ધરાઈ રેસ્ક્યુની કામગીરી


  • Published By :
  • Published Date : 2023-06-03 12:57:28

બાળક રમતા રમતા અનેક વખત એવી મોટી મુશ્કેલીમાં ફસાઈ જતા હોય છે જેને કારણે તેમનો જીવ જોખમમાં મૂકાઈ જતો હોય છે. કોઈ વખત બાળક સિક્કો ગળી જાય છે તો કોઈ વખત રમતા રમતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે જામનગરના તમાચણ ગામમાં અઢી-ત્રણ વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. રમતા રમતાં 40 ફૂટ ઉંડા બોરવેલમાં ફસાઈ ગઈ હતી. ત્યારે બાળકીનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે. ઓક્સિજન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. 

ખુલ્લા બોરવેલમાં બાળકી ફસાઈ.

(ખુલ્લા બોરવેલમાં પડી બાળકી)  

ગ્રામજનો સહિતનાઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.

(બાળકીને બચાવવા શરૂ કરાયું રેસ્ક્યુ)

બોરવેલમાંથી બાળકી બહાર કાઢવા હાથ ધરાયું રેસ્ક્યુ!    

બોરવેલમાં નાના બાળકો ફસાયા હોવાની ઘટના સામે આવી રહી છે. રમતા રમતા બાળક મુસીબતમાં ફસાઈ જતા હોય છે. ત્યારે આવી જ દુર્ઘટના જામનગરના તમાચણા ગામે આવેલા વાડી વિસ્તારમાં સર્જાઈ છે. રમતા રમતા અઢી-ત્રણ વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ અને ફસાઈ ગઈ હતી. બાળકીને બચાવા ફાયરવિભાગની ટીમ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. જે બોરવેલમાં બાળકી પડી ગઈ છે તે 40 ફૂટ ઉંડો છે. મળતી માહિતી અનુસાર બાળકી હાલ 20 ફૂટ નીચે ફસાયેલી છે. બચાવ ટીમ બાળકીને બચાવવા કામગીરી કરી રહી છે. ઓક્સિજન પહોંચાડવાની કામગીરી કરાઈ હી છે. બોરવેલમાં બાળકી ફસાઈ જતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.         

રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

આ રીતે બાળકીને બચાવાશે!

જે બાળકી બોરવેલમાં પડી ગઈ તે શ્રમિક પરિવારની દીકરી છે. મળતી માહિતી અનુસાર પરિવાર ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે. પરિવાર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. બાળકી રમતી હતી અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. બાળકીને બચાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. અગાઉના કિસ્સાઓમાં બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં  આવ્યા છે. ત્યારે આ બાળકીને પણ સુરક્ષિત રીતે બચાવી લેવાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર બોરવેલમાં ફસાયેલી બાળકીને બચાવવા સાઈડમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.