સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં ગયા આટલા લોકોના જીવ! જાણો અમદાવાદ અકસ્માત સાથે કેવી રીતે જોડાયેલા છે આ સમાચાર


  • Published By :
  • Published Date : 2023-07-21 11:22:01

ગઈ કાલે અમદાવાદના એસજી હાઇવે પર ભયાનક અકસ્માત થયો બધા લોકો અલગ અલગ અલગ તર્ક આપી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે જ્યારે હાઈવે પર આવી ઘટનાઓ થાય ત્યારે ટોળું થઈને ઊભા રહેવું ના જોઈએ. એ ટોળાની ભૂલ છે કે એ ત્યાં હતા. પરંતુ આજ કાલના છોકરાઓને રિલ બનાવી જીવન કરતા પણ અમૂલ્ય લાગે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં જીવ ગુમાવી દેતા હોય છે. આ ઘટનામાં આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે જે યુવાનો ત્યાં આવ્યા હતા તે બધા શું સાચે મદદ કરવા આવ્યા હતા.  

સોશિયલ મીડિયાના ચક્કરમાં જાય છે લોકોનો જીવ

એવું માનીએ કે જે યુવાનોના મોત થયા તેમાંથી અનેક લોકો સોશિયલ મીડિયાના ચક્કરમાં અકસ્માતની રિલ બનવા ગયા હશે. પણ એ કઈ રીતે નકારી શકીએ કે જે તથ્યએ કર્યું એમાં એનો કોઈ વાંક ન હતો. કારણ કે એ પણ તો પોતાના થ્રીલ માટે 150 કિમી પ્રતિકલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. તથ્યને અમે ઓળખતા નથી ના અમે તેના દુશ્મન છીએ. પરંતુ સોશિયલ મીડિયાના ચક્કરમાં લોકોના જીવ જાય તે તો વ્યાજબી નથી ને? યુવાનો સોશિયલ મીડિયામાં રોલો પાડવા માટે કોઈ પણ હદે જાય છે.


અકસ્માત થતાં લોકો આવ્યા હશે મદદમાં 

હવે બીજા એંગલથી જોઈએ તો જે વીડિયો અકસ્માતનો સામે આવ્યો છે તે વીડિયો પણ કોઈ બાઇક ચાલકે ઉતાર્યો છે એના હેલમેટ અને 360 વાળા કેમેરાથી એવું લાગી રહ્યું છે કે તે બાઈકર હશે અને રેસિંગ કરતો હશે. તેના કેમેરામાં આ બધુ કેદ થયું છે. એટલે એસજી હાઇવે હોય કે પછી રિવરફ્રન્ટ તમારા રેસિંગ કરવા કે રીલ બનવા કે સ્ટંટ કરવા માટેની જગ્યા નથી. રસ્તા પર સામાન્ય લોકો પણ ગાડીઓ ચલાવે છે, રાહદારીઓ પણ ચાલે છે. માની લઈએ છે કે ત્યાં જે લોકો ભીડ કરીને ઊભા છે તે લોકોનો વાંક છે પણ એ લોકોને થોડી ખ્યાલ હતો કે આટલી સ્પીડમાં કોઈ નબીરો તેમને કચડી નાખશે.


દરેક નબીરાઓ ખરાબ નથી હોતા... 

તે લોકોની ભૂલ છે તો એ ભૂલ આપણે બધાએ ભેગા મળીને સુધારવાની છે કે આવી ઘટનાઓમાં માત્ર રીલ બનવા માટે ભીડ ભેગી ના કરો. પણ એ લોકોનો એટલો મોટો ગુનો ન હતો કે તે લોકોને ત્યાં ઉભું રહેવું આટલું બધું ભારે પડશે. ત્યાં ઉપસ્થિત રહેવાની સજા તેમને મોતના રૂપમાં મળશે. માનવ સહજ સ્વભાવ પણ હોય કે કઈ થયું છે તો કોઈને મદદ માટે ઊભા રહીએ, પણ વીડિયો બનાવા માટે પ્લીજ ના ઊભા રહો. તથ્યને ત્યાં લોકોએ માર્યો પણ કરી લોકોનું વલણ તેના માટે અલગ કોઈ શકે કારણ કે તે જેગ્વાર કારમાં હતો લોકો સમજી ગયા કે આ બગડેલા બાપની ઓલાદો છે. એટલે એને વધારે માર્યો . આપના મગજમાં એ વસ્તુ ઘર કરી ગઈ છે કે જેની પાસે રૂપિયો છે તે બધા નબીરાઓ આવા જ હોય છે.   


મૃતકોના પરિવારનું આક્રંદ હોસ્પિટલમાં ગુંજતું હતું... 

તથ્ય પર કાયદેસર જે કાર્યવાહી થવાની છે તે થશે જ પણ આપણે સમજવાનું છે કે આવી ઘટનામાં રીલ ન બનાવી જોઈએ. તથ્યએ જે કર્યું એની એને સજા મળશે પણ આ ઘટનામાં જે પરિવારે તેમના વ્હાલસોયાને ગુમાવ્યા છે તેમનું શું? આ ઘટનામાં પોલીસ કર્મીઓના પણ મોત થયા છે. તે ત્યાં પોતાનું કામ કરવા ઉભા હતા કોઈ રીલ બનાવા ન ઉભા હતા. તે તો પોતાનું કામ જ કરી રહ્યા હતા. જરૂર છે આપણે સભાન થવાની આવી ઘટનાઓથી શીખવાની, નબીરાઓને રોકવાની અને આપણે પણ સમજવાની જરૂર છે કે આવી ઘટનાઓથી. આ ઘટનામાં જ્યારે જમાવટની ટીમ મૃતકોના પરિવારને મળી ત્યારે લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ હતી. તથ્યએ જે કર્યુંએ સ્વીકારીય નથી પણ એનાથી પણ તે નિવેદન તેના વકીલે અને તેના પિતાએ આપણને બતાવે છે કે જે સંસ્કાર તેમનામાં છે તે જ સંસ્કાર તેના બાળકમાં આવ્યા છે. તેના પિતાનો એટિટ્યુડ કે મારા દીકરાએ તો કંઈ કર્યું જ નથી, તેનો કોઈ વાંક જ નથી તે પીડાદાયક છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.