સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં ગયા આટલા લોકોના જીવ! જાણો અમદાવાદ અકસ્માત સાથે કેવી રીતે જોડાયેલા છે આ સમાચાર


  • Published By :
  • Published Date : 2023-07-21 11:22:01

ગઈ કાલે અમદાવાદના એસજી હાઇવે પર ભયાનક અકસ્માત થયો બધા લોકો અલગ અલગ અલગ તર્ક આપી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે જ્યારે હાઈવે પર આવી ઘટનાઓ થાય ત્યારે ટોળું થઈને ઊભા રહેવું ના જોઈએ. એ ટોળાની ભૂલ છે કે એ ત્યાં હતા. પરંતુ આજ કાલના છોકરાઓને રિલ બનાવી જીવન કરતા પણ અમૂલ્ય લાગે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં જીવ ગુમાવી દેતા હોય છે. આ ઘટનામાં આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે જે યુવાનો ત્યાં આવ્યા હતા તે બધા શું સાચે મદદ કરવા આવ્યા હતા.  

સોશિયલ મીડિયાના ચક્કરમાં જાય છે લોકોનો જીવ

એવું માનીએ કે જે યુવાનોના મોત થયા તેમાંથી અનેક લોકો સોશિયલ મીડિયાના ચક્કરમાં અકસ્માતની રિલ બનવા ગયા હશે. પણ એ કઈ રીતે નકારી શકીએ કે જે તથ્યએ કર્યું એમાં એનો કોઈ વાંક ન હતો. કારણ કે એ પણ તો પોતાના થ્રીલ માટે 150 કિમી પ્રતિકલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. તથ્યને અમે ઓળખતા નથી ના અમે તેના દુશ્મન છીએ. પરંતુ સોશિયલ મીડિયાના ચક્કરમાં લોકોના જીવ જાય તે તો વ્યાજબી નથી ને? યુવાનો સોશિયલ મીડિયામાં રોલો પાડવા માટે કોઈ પણ હદે જાય છે.


અકસ્માત થતાં લોકો આવ્યા હશે મદદમાં 

હવે બીજા એંગલથી જોઈએ તો જે વીડિયો અકસ્માતનો સામે આવ્યો છે તે વીડિયો પણ કોઈ બાઇક ચાલકે ઉતાર્યો છે એના હેલમેટ અને 360 વાળા કેમેરાથી એવું લાગી રહ્યું છે કે તે બાઈકર હશે અને રેસિંગ કરતો હશે. તેના કેમેરામાં આ બધુ કેદ થયું છે. એટલે એસજી હાઇવે હોય કે પછી રિવરફ્રન્ટ તમારા રેસિંગ કરવા કે રીલ બનવા કે સ્ટંટ કરવા માટેની જગ્યા નથી. રસ્તા પર સામાન્ય લોકો પણ ગાડીઓ ચલાવે છે, રાહદારીઓ પણ ચાલે છે. માની લઈએ છે કે ત્યાં જે લોકો ભીડ કરીને ઊભા છે તે લોકોનો વાંક છે પણ એ લોકોને થોડી ખ્યાલ હતો કે આટલી સ્પીડમાં કોઈ નબીરો તેમને કચડી નાખશે.


દરેક નબીરાઓ ખરાબ નથી હોતા... 

તે લોકોની ભૂલ છે તો એ ભૂલ આપણે બધાએ ભેગા મળીને સુધારવાની છે કે આવી ઘટનાઓમાં માત્ર રીલ બનવા માટે ભીડ ભેગી ના કરો. પણ એ લોકોનો એટલો મોટો ગુનો ન હતો કે તે લોકોને ત્યાં ઉભું રહેવું આટલું બધું ભારે પડશે. ત્યાં ઉપસ્થિત રહેવાની સજા તેમને મોતના રૂપમાં મળશે. માનવ સહજ સ્વભાવ પણ હોય કે કઈ થયું છે તો કોઈને મદદ માટે ઊભા રહીએ, પણ વીડિયો બનાવા માટે પ્લીજ ના ઊભા રહો. તથ્યને ત્યાં લોકોએ માર્યો પણ કરી લોકોનું વલણ તેના માટે અલગ કોઈ શકે કારણ કે તે જેગ્વાર કારમાં હતો લોકો સમજી ગયા કે આ બગડેલા બાપની ઓલાદો છે. એટલે એને વધારે માર્યો . આપના મગજમાં એ વસ્તુ ઘર કરી ગઈ છે કે જેની પાસે રૂપિયો છે તે બધા નબીરાઓ આવા જ હોય છે.   


મૃતકોના પરિવારનું આક્રંદ હોસ્પિટલમાં ગુંજતું હતું... 

તથ્ય પર કાયદેસર જે કાર્યવાહી થવાની છે તે થશે જ પણ આપણે સમજવાનું છે કે આવી ઘટનામાં રીલ ન બનાવી જોઈએ. તથ્યએ જે કર્યું એની એને સજા મળશે પણ આ ઘટનામાં જે પરિવારે તેમના વ્હાલસોયાને ગુમાવ્યા છે તેમનું શું? આ ઘટનામાં પોલીસ કર્મીઓના પણ મોત થયા છે. તે ત્યાં પોતાનું કામ કરવા ઉભા હતા કોઈ રીલ બનાવા ન ઉભા હતા. તે તો પોતાનું કામ જ કરી રહ્યા હતા. જરૂર છે આપણે સભાન થવાની આવી ઘટનાઓથી શીખવાની, નબીરાઓને રોકવાની અને આપણે પણ સમજવાની જરૂર છે કે આવી ઘટનાઓથી. આ ઘટનામાં જ્યારે જમાવટની ટીમ મૃતકોના પરિવારને મળી ત્યારે લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ હતી. તથ્યએ જે કર્યુંએ સ્વીકારીય નથી પણ એનાથી પણ તે નિવેદન તેના વકીલે અને તેના પિતાએ આપણને બતાવે છે કે જે સંસ્કાર તેમનામાં છે તે જ સંસ્કાર તેના બાળકમાં આવ્યા છે. તેના પિતાનો એટિટ્યુડ કે મારા દીકરાએ તો કંઈ કર્યું જ નથી, તેનો કોઈ વાંક જ નથી તે પીડાદાયક છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.