સ્થાનિકોએ આર્મીના જવાનને એવા માર્યા કે હાથ પગ તોડી નાખ્યા! જાણો ક્યાં બની આ ઘટના અને શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-06-05 17:28:52

જ્યારે આપણે દેશની સીમાની સુરક્ષા કરતા આર્મી જવાનને જોઈએ છીએ ત્યારે આપણી છાતી ગૌરવાંગિત થઈ જતી હોય છે. એક જવાન પોતાના દેશ માટે પોતાનું આખું જીવન અર્પી દે છે. પણ આજે સમાચાર આવ્યા તે દેશભક્તને આઘાત પહોંચાડી શકે છે. સમાચાર એ છે કે અમરેલીના નાની કુંડળ ગામે આર્મીના જવાનને સ્થાનિક લોકોએ એટલે ઢોર માર માર્યો હતો કે તે હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેમના બંને પગ ફ્રેક્ચર થઈ ગયા છે અને તેમના સાથીદારોને પણ ઢોર મારવામાં આવ્યો છે. 


શું છે સમગ્ર ઘટના?

અમરેલીમાં ગ્રામજનોએ આર્મી જવાનને માર્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. સ્થાનિકોએ એટલો માર માર્યો કે સારવાર માટે આર્મી જવાનને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ વિગતવાર વાત કરીએ તો ઈડીએફ રીન્યુબલ એનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ 2021માં રાયપર ગામના શીવકુભાઈ ગોવાળિયાની બાવન વીર એન્ટરપ્રાઈઝને પવનચક્કીની સિક્યુરીટી, વાહનો અને મેન પાવર કોન્ટ્રાક્ટ આપ્યો હતો. 


શીવકુભાઈ ગોવાળિયા સરખી રીતે સર્વિસ આપતા નહોતા તો કંપનીએ તેમને ફોન કરીને સરખી કામગીરી કરવા કહેતા રહેતા પણ શીવકુભાઈ કંપનીનું કોઈ કામ કરતા ન હતા અને કંપનીને હેરાન કરતા હતા. કંપનીએ કડકાઈથી કહ્યું હતું  તો શીવકુભાઈ ગુસ્સે ભરાઈ ગયા હતા અને પવનચક્કી જ બંધ કરાવી દીધી હતી. શીવકુભાઈના હોબાળાના કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે કંપનીના અધિકારીઓ દિલ્હીથી અમરેલીના નાની કુંડળના સબસ્ટેશન ઉપર નિરીક્ષણ માટે મુલાકાત કરવા ગયા હતા. 


કંપનીના સાહેબો આવવાના છે તે વાતની જાણ રવિ ગીડાનામના વ્યક્તિએ શીવકુભાઈને ફોન કરીને કહી દીધું હતું અને બધાએ મળીને કંપનીના લોકોને જાનથી મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે કંપનીના લોકો ત્યાં પહોંચ્યા હતા. ત્યારે ધારિયા, લોખંડના પાઈપ, લાકડી, છરી અને ખંજર જેવા હથિયારથી 10-12 આરોપીઓએ હુમલો પૂર્વ આર્મી અધિકારી કનવરજીતસિંહ સહિત બે અધિકારીઓ પર કર્યો હતો. આરોપીઓએ કંપનીના લોકોને એવો માર માર્યો હતો કે તેમના બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે અને બે બીજા અધિકારીને શરીરના અનેક ભાગો પર ઈજા થયેલી છે. 


ઈડીએફના અધિકારીઓની વાત કરીએ તો તેમના નામ કનવરજીતસિંહ, કિશન કુમાર, ઓમકાર સિંહ છે. હુમલો કરનારમાં શિવકુભાઈ ગોવલિયા, રાજકુભાઈ ગોવલિયા, મંગુભાઈ ગોવલિયા, હરેશભાઈ ગીડા, રવિ ગીડા, વનરાજ વાળા, સત્યવ્રત ગીડા, પ્રતાપ ગીડા, અજીત ગીડા  અને આરબી ખાચર સહિત ચાર પાંચ લોકોનું નામ છે. આ લોકોએ લાકડી, લોખંડના સળિયા, છરી, ધારિયા, ખંજર જેવા હથિયારોથી કનવરજીતસિંહ, કિશનકુમાર અને ઓમકાર સિંહ પર હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ તેમને મારી મારીને અધમૂઆ કરી દીધા હતા. અને માર મારીને ભાગી ગયા હતા. 


આર્મી જવાન પર કેવી રીતે કોઈ ઉપાડી શકે હાથ?

હુમલામાં કનવરજીતસિંહને બંને પગમાં જોરદાર ઈજાઓ થઈ છે. ઓમકાર અને કિશન કુમારને માથામાં અને શરીરમાં અનેક ઈજાઓ થઈ છે. ત્રણેય અધિકારીઓની હાલ રાજકોટમાં સારવાર ચાલી રહી છે. અમરેલી પોલીસે 307 કલમ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે, હાલ આરોપીઓ પોલીસ પકડની બહાર છે અને પોલીસ આરોપીઓને પકડવા પ્રયાસ કરી રહી છે. ઘટનાની જાણ થતા આર્મીના બીજા અધિકારીઓએ પણ અવાજ ઉઠાવ્યો હતો કે આર્મીના જવાન પર કોઈ કેમ હાથ ઉઠાવી શકે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.