સ્થાનિકોએ આર્મીના જવાનને એવા માર્યા કે હાથ પગ તોડી નાખ્યા! જાણો ક્યાં બની આ ઘટના અને શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-06-05 17:28:52

જ્યારે આપણે દેશની સીમાની સુરક્ષા કરતા આર્મી જવાનને જોઈએ છીએ ત્યારે આપણી છાતી ગૌરવાંગિત થઈ જતી હોય છે. એક જવાન પોતાના દેશ માટે પોતાનું આખું જીવન અર્પી દે છે. પણ આજે સમાચાર આવ્યા તે દેશભક્તને આઘાત પહોંચાડી શકે છે. સમાચાર એ છે કે અમરેલીના નાની કુંડળ ગામે આર્મીના જવાનને સ્થાનિક લોકોએ એટલે ઢોર માર માર્યો હતો કે તે હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેમના બંને પગ ફ્રેક્ચર થઈ ગયા છે અને તેમના સાથીદારોને પણ ઢોર મારવામાં આવ્યો છે. 


શું છે સમગ્ર ઘટના?

અમરેલીમાં ગ્રામજનોએ આર્મી જવાનને માર્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. સ્થાનિકોએ એટલો માર માર્યો કે સારવાર માટે આર્મી જવાનને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ વિગતવાર વાત કરીએ તો ઈડીએફ રીન્યુબલ એનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ 2021માં રાયપર ગામના શીવકુભાઈ ગોવાળિયાની બાવન વીર એન્ટરપ્રાઈઝને પવનચક્કીની સિક્યુરીટી, વાહનો અને મેન પાવર કોન્ટ્રાક્ટ આપ્યો હતો. 


શીવકુભાઈ ગોવાળિયા સરખી રીતે સર્વિસ આપતા નહોતા તો કંપનીએ તેમને ફોન કરીને સરખી કામગીરી કરવા કહેતા રહેતા પણ શીવકુભાઈ કંપનીનું કોઈ કામ કરતા ન હતા અને કંપનીને હેરાન કરતા હતા. કંપનીએ કડકાઈથી કહ્યું હતું  તો શીવકુભાઈ ગુસ્સે ભરાઈ ગયા હતા અને પવનચક્કી જ બંધ કરાવી દીધી હતી. શીવકુભાઈના હોબાળાના કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે કંપનીના અધિકારીઓ દિલ્હીથી અમરેલીના નાની કુંડળના સબસ્ટેશન ઉપર નિરીક્ષણ માટે મુલાકાત કરવા ગયા હતા. 


કંપનીના સાહેબો આવવાના છે તે વાતની જાણ રવિ ગીડાનામના વ્યક્તિએ શીવકુભાઈને ફોન કરીને કહી દીધું હતું અને બધાએ મળીને કંપનીના લોકોને જાનથી મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે કંપનીના લોકો ત્યાં પહોંચ્યા હતા. ત્યારે ધારિયા, લોખંડના પાઈપ, લાકડી, છરી અને ખંજર જેવા હથિયારથી 10-12 આરોપીઓએ હુમલો પૂર્વ આર્મી અધિકારી કનવરજીતસિંહ સહિત બે અધિકારીઓ પર કર્યો હતો. આરોપીઓએ કંપનીના લોકોને એવો માર માર્યો હતો કે તેમના બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે અને બે બીજા અધિકારીને શરીરના અનેક ભાગો પર ઈજા થયેલી છે. 


ઈડીએફના અધિકારીઓની વાત કરીએ તો તેમના નામ કનવરજીતસિંહ, કિશન કુમાર, ઓમકાર સિંહ છે. હુમલો કરનારમાં શિવકુભાઈ ગોવલિયા, રાજકુભાઈ ગોવલિયા, મંગુભાઈ ગોવલિયા, હરેશભાઈ ગીડા, રવિ ગીડા, વનરાજ વાળા, સત્યવ્રત ગીડા, પ્રતાપ ગીડા, અજીત ગીડા  અને આરબી ખાચર સહિત ચાર પાંચ લોકોનું નામ છે. આ લોકોએ લાકડી, લોખંડના સળિયા, છરી, ધારિયા, ખંજર જેવા હથિયારોથી કનવરજીતસિંહ, કિશનકુમાર અને ઓમકાર સિંહ પર હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ તેમને મારી મારીને અધમૂઆ કરી દીધા હતા. અને માર મારીને ભાગી ગયા હતા. 


આર્મી જવાન પર કેવી રીતે કોઈ ઉપાડી શકે હાથ?

હુમલામાં કનવરજીતસિંહને બંને પગમાં જોરદાર ઈજાઓ થઈ છે. ઓમકાર અને કિશન કુમારને માથામાં અને શરીરમાં અનેક ઈજાઓ થઈ છે. ત્રણેય અધિકારીઓની હાલ રાજકોટમાં સારવાર ચાલી રહી છે. અમરેલી પોલીસે 307 કલમ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે, હાલ આરોપીઓ પોલીસ પકડની બહાર છે અને પોલીસ આરોપીઓને પકડવા પ્રયાસ કરી રહી છે. ઘટનાની જાણ થતા આર્મીના બીજા અધિકારીઓએ પણ અવાજ ઉઠાવ્યો હતો કે આર્મીના જવાન પર કોઈ કેમ હાથ ઉઠાવી શકે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.