માલધારી સમાજે રાજ્ય સરકાર સામે ફરી બાયો ચઢાવી, માલધારી સમાજ હવે મહારેલી યોજી કરશે શક્તિ પ્રદર્શન


  • Published By :
  • Published Date : 2023-12-17 18:50:33

માલધારી સમાજની માંગણીઓ પૂરી ન થતા સમાજના અગ્રણીઓ લાલઘુમ થયા છે, ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રખડતા ઢોર નિયંત્રણ વિધેયકને લઈને માલધારીઓ પહેલેથી જ આક્રમક મોડમાં છે. આ મુદ્દે સરકાર અને માલધારીઓ સામસામે આવી ગયા હતા. જેના બાદ માલધારીઓએ આંદોલન છેડ્યુ હતું. અને ત્યારબાદ ઢોરવાડામાં ગાયોની પરિસ્થતિ જોઈને માલધારી સમાજમાં રોષ છે. ત્યારે પોતાના સમાજની માંગણીઓ પૂરી ન થતા માલધારી સમાજ હવે આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના પશુપાલકો રાજ્યમાં જબરદસ્ત આંદોલન કરશે. માલધારી સમાજ રાજ્યભરમાં મહારેલીનું આયોજન કરશે.


માલધારીઓ સાથે મારામારીના 32 બનાવો


રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓના પગલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસતંત્રની ઝાટકણી કાઢી હતી. બાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતાં ઢોર નિયંત્રણ પોલિસી 1 સપ્ટેમ્બર 2023થી અમલમાં આવી છે. પોલિસીનું અમલીકરણ શરૂ થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રખડતાં ઢોર પકડવાની કામગીરી સોંપવામાં આવી હતી. એ દરમિયાન છેલ્લા 83 દિવસોમાં AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ, કર્મચારીઓ સાથે માલધારીઓઓના ઘર્ષણ અને મારામારીના 32 જેટલા બનાવો બન્યા છે.


ગૌચરને લઈને માલધારી સમાજ રોષ


સરકારની રખડતા ઢોર નિયંત્રણની નવી પોલીસી અને ગૌચર જમીનને લઈને માલધારી સમાજ ભારે રોષ છે. હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણની નવી પોલીસી જાહેર કરી હતી. આ મામલે માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજી રબારીએ કહ્યું હતું કે આ લડત રખડતા પશુઓની નથી. નિર્દોષ લોકોનો અકસ્માતમાં જીવ જાય કે ઈજા થાય અને રોડ પર પશુઓ આવતા હોય તેની નથી. પણ આ લડત બે પગવાળા આખલા શોધવાની છે, જેમને ડબ્બામાં પૂરવા જરૂરી છે, તેઓ ગૌચરની જમીન ગળી ગયા છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .