અમદાવાદમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા કાઢવામાં આવી પદયાત્રા, અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય સાથે જેલમાં થાય છે ચેડા?


  • Published By :
  • Published Date : 2024-07-30 18:27:34

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે.. અરવિંદ કેજરીવાલના અનેક વખત સમાચાર સામે આવતા હોય છે. જેલમાં રહેલા અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ છે તેવી વાતો અનેક વખત સામે આવતી હોય છે. ત્યારે આજે ઈન્ડિયા ગઠબંધન દ્વારા પદયાત્રા કાઢવામાં આવી હતી. આ પદયાત્રામાં ધારાસભ્ય ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી,ગોપાલ ઈટાલિયા,  તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ હાજર રહ્યા હતા. અમદાવાદમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે

આમ આદમી પાર્ટીએ આજે અમદાવાદમાં પદયાત્રાનું આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈ પદયાત્રાનું આયોજન કર્યું હતું. છેલ્લા થોડા સમયથી અરવિંદ કેજરીવાલ જેલમાં છે અને તેમની તબિયત ખરાબ થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીનો આરોપ છે કે જેલમાં ભાજપના અત્યાચારના કારણે અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ રહી છે.



મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પ કર્યા અર્પણ

અમદાવાદ ખાતે આ પદયાત્રા આમ આદમી પાર્ટીના કાર્યાલયથી નીકળી હતી અને ઇન્કમટેક્સ સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ પહોંચી હતી. ત્યાં આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. અરવિંદ કેજરીવાલની તબિયત સારી થાય તે માટે તેમણે પ્રાર્થના કરી હતી. ગોપાલ ઈટાલિયાએ સરકાર પર પ્રહારો પણ કર્યા હતા.   



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.