અમદાવાદમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા કાઢવામાં આવી પદયાત્રા, અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય સાથે જેલમાં થાય છે ચેડા?


  • Published By :
  • Published Date : 2024-07-30 18:27:34

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે.. અરવિંદ કેજરીવાલના અનેક વખત સમાચાર સામે આવતા હોય છે. જેલમાં રહેલા અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ છે તેવી વાતો અનેક વખત સામે આવતી હોય છે. ત્યારે આજે ઈન્ડિયા ગઠબંધન દ્વારા પદયાત્રા કાઢવામાં આવી હતી. આ પદયાત્રામાં ધારાસભ્ય ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી,ગોપાલ ઈટાલિયા,  તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ હાજર રહ્યા હતા. અમદાવાદમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે

આમ આદમી પાર્ટીએ આજે અમદાવાદમાં પદયાત્રાનું આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈ પદયાત્રાનું આયોજન કર્યું હતું. છેલ્લા થોડા સમયથી અરવિંદ કેજરીવાલ જેલમાં છે અને તેમની તબિયત ખરાબ થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીનો આરોપ છે કે જેલમાં ભાજપના અત્યાચારના કારણે અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ રહી છે.



મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પ કર્યા અર્પણ

અમદાવાદ ખાતે આ પદયાત્રા આમ આદમી પાર્ટીના કાર્યાલયથી નીકળી હતી અને ઇન્કમટેક્સ સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ પહોંચી હતી. ત્યાં આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. અરવિંદ કેજરીવાલની તબિયત સારી થાય તે માટે તેમણે પ્રાર્થના કરી હતી. ગોપાલ ઈટાલિયાએ સરકાર પર પ્રહારો પણ કર્યા હતા.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.