અમદાવાદમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા કાઢવામાં આવી પદયાત્રા, અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય સાથે જેલમાં થાય છે ચેડા?


  • Published By :
  • Published Date : 2024-07-30 18:27:34

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે.. અરવિંદ કેજરીવાલના અનેક વખત સમાચાર સામે આવતા હોય છે. જેલમાં રહેલા અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ છે તેવી વાતો અનેક વખત સામે આવતી હોય છે. ત્યારે આજે ઈન્ડિયા ગઠબંધન દ્વારા પદયાત્રા કાઢવામાં આવી હતી. આ પદયાત્રામાં ધારાસભ્ય ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી,ગોપાલ ઈટાલિયા,  તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ હાજર રહ્યા હતા. અમદાવાદમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે

આમ આદમી પાર્ટીએ આજે અમદાવાદમાં પદયાત્રાનું આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈ પદયાત્રાનું આયોજન કર્યું હતું. છેલ્લા થોડા સમયથી અરવિંદ કેજરીવાલ જેલમાં છે અને તેમની તબિયત ખરાબ થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીનો આરોપ છે કે જેલમાં ભાજપના અત્યાચારના કારણે અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ રહી છે.



મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પ કર્યા અર્પણ

અમદાવાદ ખાતે આ પદયાત્રા આમ આદમી પાર્ટીના કાર્યાલયથી નીકળી હતી અને ઇન્કમટેક્સ સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ પહોંચી હતી. ત્યાં આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. અરવિંદ કેજરીવાલની તબિયત સારી થાય તે માટે તેમણે પ્રાર્થના કરી હતી. ગોપાલ ઈટાલિયાએ સરકાર પર પ્રહારો પણ કર્યા હતા.   



ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?

જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .