કોંગ્રેસના કિરીટ પટેલ અને રઘુ દેસાઇનું ભાજપમાં જવાનું બજાર ગરમ


  • Published By :
  • Published Date : 2022-11-11 17:09:18

ગુજરાતમાં ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે રાજકીય પક્ષો એડીચોટી નું જોર લગાવી રહ્યા છે. ચુંટણી પહેલા ઘણા કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો છે. જો સૂત્રોનું માનીએ તો હજી પણ કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસમાંથી છેડો ફાડી શકે છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય પણ કેસરીયો ધારણ કરે તેવી વાત વાયુવેગે ફેલાઈ રહી છે પરંતુ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે  જમાવટ સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું કે, "મારા નામની માત્ર અફવાઓ ફેલાઈ રહી છે.મને બદનામ કરવામાં આવી રહ્યો છે. હું કોઈ પક્ષમાં જવાનો નથી" 


કિરીટ પટેલ મુખ્યમંત્રીને મળ્યા હતા 

ઉલ્લેખનીય છે કે કિરીટ પટેલે થોડા મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાતને લઇને અનેક તર્ક વિતર્ક થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારે કિરીટ પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ તેજ બની હતી. તેઓ ભાજપમાં જોડાશે તો પોતાની ટિકિટ જશે તેવો ભય પાટણના નેતાઓમાં હોવાનું જાણવા મળે છે. તેઓ જો ભાજપમાં જાય તો પાટણ ભાજપના દાવેદારોની આશા પર પાણી ફરી શકે છે 


કોણ છે કિરીટ પટેલ?

કિરીટ પટેલને પાટણના દિગ્ગજ પાટીદાર નેતા કહેવાય છે અને હાલ તેઓ પાટણના ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. પાટણ પર ભાજપનો છેલ્લા 27 વર્ષથી કબજો હતો. પરંતુ 2017 માં થયેલા પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી અને કોંગ્રેસ તરફથી રહેલા કિરીટ પટેલે ભાજપના રણછોડ દેસાઇને 25 હજાર જેટલા મતથી હરાવ્યા હતા. આટલી જંગી લીડથી પ્રથમ વખત જ કોઇ ઉમેદવાર વિજયી થયા હતાં. જે ભાજપ માટે મોટો ઝટકો હતો.


રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઇ ભાજપમાં જશે ?

રઘુ દેસાઇ કોંગ્રેસમાંથી પાટણના રાધનપુરના ધારાસભ્ય છે. 2017 વિધાનસભામાં રાધનપુરથી કોંગ્રેસમાં રહેલા અલ્પેશ ઠાકોર જીત્યા હતા અને ત્યારબાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાતા 2019 માં પેટા ચુંટણી કરવામાં આવી હતી જેમાં અલ્પેશ ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો હતો અને કોંગ્રેસમાં રહેલા રઘુ દેસાઇની જીત થઈ હતી...જોકે અત્યારે પક્ષ પલટાની સીજનમાં રઘુ દેસાઇ પણ ભાજપમાં જોડાય તેવું વાતાવરણ રાધનપુરમાં ગરમાયું છે. હાલ સુધી તો ભાજપે પાટણ અને રાધનપુરમાં કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી જેના કારણે પણ અને તર્ક વિતર્ક સર્જાઇ રહી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.