કોંગ્રેસના કિરીટ પટેલ અને રઘુ દેસાઇનું ભાજપમાં જવાનું બજાર ગરમ


  • Published By :
  • Published Date : 2022-11-11 17:09:18

ગુજરાતમાં ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે રાજકીય પક્ષો એડીચોટી નું જોર લગાવી રહ્યા છે. ચુંટણી પહેલા ઘણા કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો છે. જો સૂત્રોનું માનીએ તો હજી પણ કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસમાંથી છેડો ફાડી શકે છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય પણ કેસરીયો ધારણ કરે તેવી વાત વાયુવેગે ફેલાઈ રહી છે પરંતુ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે  જમાવટ સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું કે, "મારા નામની માત્ર અફવાઓ ફેલાઈ રહી છે.મને બદનામ કરવામાં આવી રહ્યો છે. હું કોઈ પક્ષમાં જવાનો નથી" 


કિરીટ પટેલ મુખ્યમંત્રીને મળ્યા હતા 

ઉલ્લેખનીય છે કે કિરીટ પટેલે થોડા મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાતને લઇને અનેક તર્ક વિતર્ક થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારે કિરીટ પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ તેજ બની હતી. તેઓ ભાજપમાં જોડાશે તો પોતાની ટિકિટ જશે તેવો ભય પાટણના નેતાઓમાં હોવાનું જાણવા મળે છે. તેઓ જો ભાજપમાં જાય તો પાટણ ભાજપના દાવેદારોની આશા પર પાણી ફરી શકે છે 


કોણ છે કિરીટ પટેલ?

કિરીટ પટેલને પાટણના દિગ્ગજ પાટીદાર નેતા કહેવાય છે અને હાલ તેઓ પાટણના ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. પાટણ પર ભાજપનો છેલ્લા 27 વર્ષથી કબજો હતો. પરંતુ 2017 માં થયેલા પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી અને કોંગ્રેસ તરફથી રહેલા કિરીટ પટેલે ભાજપના રણછોડ દેસાઇને 25 હજાર જેટલા મતથી હરાવ્યા હતા. આટલી જંગી લીડથી પ્રથમ વખત જ કોઇ ઉમેદવાર વિજયી થયા હતાં. જે ભાજપ માટે મોટો ઝટકો હતો.


રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઇ ભાજપમાં જશે ?

રઘુ દેસાઇ કોંગ્રેસમાંથી પાટણના રાધનપુરના ધારાસભ્ય છે. 2017 વિધાનસભામાં રાધનપુરથી કોંગ્રેસમાં રહેલા અલ્પેશ ઠાકોર જીત્યા હતા અને ત્યારબાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાતા 2019 માં પેટા ચુંટણી કરવામાં આવી હતી જેમાં અલ્પેશ ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો હતો અને કોંગ્રેસમાં રહેલા રઘુ દેસાઇની જીત થઈ હતી...જોકે અત્યારે પક્ષ પલટાની સીજનમાં રઘુ દેસાઇ પણ ભાજપમાં જોડાય તેવું વાતાવરણ રાધનપુરમાં ગરમાયું છે. હાલ સુધી તો ભાજપે પાટણ અને રાધનપુરમાં કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી જેના કારણે પણ અને તર્ક વિતર્ક સર્જાઇ રહી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.