કોંગ્રેસના કિરીટ પટેલ અને રઘુ દેસાઇનું ભાજપમાં જવાનું બજાર ગરમ


  • Published By :
  • Published Date : 2022-11-11 17:09:18

ગુજરાતમાં ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે રાજકીય પક્ષો એડીચોટી નું જોર લગાવી રહ્યા છે. ચુંટણી પહેલા ઘણા કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો છે. જો સૂત્રોનું માનીએ તો હજી પણ કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસમાંથી છેડો ફાડી શકે છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય પણ કેસરીયો ધારણ કરે તેવી વાત વાયુવેગે ફેલાઈ રહી છે પરંતુ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે  જમાવટ સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું કે, "મારા નામની માત્ર અફવાઓ ફેલાઈ રહી છે.મને બદનામ કરવામાં આવી રહ્યો છે. હું કોઈ પક્ષમાં જવાનો નથી" 


કિરીટ પટેલ મુખ્યમંત્રીને મળ્યા હતા 

ઉલ્લેખનીય છે કે કિરીટ પટેલે થોડા મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાતને લઇને અનેક તર્ક વિતર્ક થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારે કિરીટ પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ તેજ બની હતી. તેઓ ભાજપમાં જોડાશે તો પોતાની ટિકિટ જશે તેવો ભય પાટણના નેતાઓમાં હોવાનું જાણવા મળે છે. તેઓ જો ભાજપમાં જાય તો પાટણ ભાજપના દાવેદારોની આશા પર પાણી ફરી શકે છે 


કોણ છે કિરીટ પટેલ?

કિરીટ પટેલને પાટણના દિગ્ગજ પાટીદાર નેતા કહેવાય છે અને હાલ તેઓ પાટણના ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. પાટણ પર ભાજપનો છેલ્લા 27 વર્ષથી કબજો હતો. પરંતુ 2017 માં થયેલા પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી અને કોંગ્રેસ તરફથી રહેલા કિરીટ પટેલે ભાજપના રણછોડ દેસાઇને 25 હજાર જેટલા મતથી હરાવ્યા હતા. આટલી જંગી લીડથી પ્રથમ વખત જ કોઇ ઉમેદવાર વિજયી થયા હતાં. જે ભાજપ માટે મોટો ઝટકો હતો.


રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઇ ભાજપમાં જશે ?

રઘુ દેસાઇ કોંગ્રેસમાંથી પાટણના રાધનપુરના ધારાસભ્ય છે. 2017 વિધાનસભામાં રાધનપુરથી કોંગ્રેસમાં રહેલા અલ્પેશ ઠાકોર જીત્યા હતા અને ત્યારબાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાતા 2019 માં પેટા ચુંટણી કરવામાં આવી હતી જેમાં અલ્પેશ ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો હતો અને કોંગ્રેસમાં રહેલા રઘુ દેસાઇની જીત થઈ હતી...જોકે અત્યારે પક્ષ પલટાની સીજનમાં રઘુ દેસાઇ પણ ભાજપમાં જોડાય તેવું વાતાવરણ રાધનપુરમાં ગરમાયું છે. હાલ સુધી તો ભાજપે પાટણ અને રાધનપુરમાં કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી જેના કારણે પણ અને તર્ક વિતર્ક સર્જાઇ રહી છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.