Suratમાં બની સામુહીક આત્મહત્યાની ઘટના, પહેલા પતિએ પત્ની અને દીકરાને ઝેર પીવડાવ્યું અને પછી ફાંસો ખાધો અને પોતે આત્મહત્યા કરી લીધી.!


  • Published By :
  • Published Date : 2024-03-08 17:22:46

આત્મહત્યા કરવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોઈ પ્રેમ પ્રકરણમાં પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે તો કોઈ આર્થિક સંકડામણને કારણે દુનિયાને અલવિદા કહી રહ્યા છે. કોઈ પારિવારીક કારણોસર તો કોઈ પૈસાની લેવડદેવડને કારણે આવા પગલા ભરી લેતા હોય છે. ત્યારે સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. જે લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેમાં નાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની છે જ્યાં પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એવી પણ માહિતી સામે આવી હતી કે મરતા પહેલા મૃતકે વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં અનેક કારણો આપ્યા હતા. મૃતકોના નામની વાત કરીએ તો સોમેશ ભિક્ષાપતિ, ઋષિરાજ અને પત્ની નિર્મલે જીવનને ટૂંકાવ્યું છે.  


ત્રણ લોકોએ કર્યો આપઘાત!

સુરતમાં વધુ એક સામુહીક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર પહેલા પતિએ પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવી, બાદમાં પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મોડી રાત્રે આ ઘટના બની હતી તેવી માહિતી સામે આવી છે. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સવારે તેમના ભાઈ 7:15 વાગ્યે ઘરે આવ્યા હતા. એવી પણ માહિતી સામે આવી હતી કે તેના ભાઈને ફોટો પણ મોકલ્યો હતો પરંતુ તેમણે ફોટો જોયો ન હતો. 


પોસ્ટમોર્ટમ માટે પોલીસે મોકલી આપ્યો મૃતહેદ!

જ્યારે તેમણે આ ફોટો જોયો ત્યારે તે ઘરે દોડી આવ્યા હતા. મૃતકના ભાઈએ જોયું તો તેમના ભાઈ ગળેફાંસો ખાધેલી હાલતમાં હતા અને તેના ભાભી પણ મૃત હાલતમાં પડેલા હતા. જ્યારે તેમની બાજુમાં તેમનો પુત્ર પણ મૃત હાલતમાં હતો. ઘટનાની જાણ તેમણે પોલીસને કરી અને હાલ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કયા કારણોસર આવું કદમ ઉઠાવ્યું હોય તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. આ ઘટનાને લઈ પોલીસે કહ્યું કે ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે. આ સાથે તેનો મોબાઇલ પણ મળ્યો છે. એક અનુમાન પ્રમાણે પિતાએ પત્ની અને બાળકને તકીયાથી મોઢું દબાઈ દીધું હોય અથવા તો ઝેરી દવા પીવડાવી લીધી હોય. આ સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.  મહત્વનું છે કે શા માટે પરિવાર દ્વારા આ કદમ ઉઠાવવામાં આવ્યો તે તપાસમાં ખબર પડશે..  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.