Suratમાં બની સામુહીક આત્મહત્યાની ઘટના, પહેલા પતિએ પત્ની અને દીકરાને ઝેર પીવડાવ્યું અને પછી ફાંસો ખાધો અને પોતે આત્મહત્યા કરી લીધી.!


  • Published By :
  • Published Date : 2024-03-08 17:22:46

આત્મહત્યા કરવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોઈ પ્રેમ પ્રકરણમાં પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે તો કોઈ આર્થિક સંકડામણને કારણે દુનિયાને અલવિદા કહી રહ્યા છે. કોઈ પારિવારીક કારણોસર તો કોઈ પૈસાની લેવડદેવડને કારણે આવા પગલા ભરી લેતા હોય છે. ત્યારે સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. જે લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેમાં નાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની છે જ્યાં પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એવી પણ માહિતી સામે આવી હતી કે મરતા પહેલા મૃતકે વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં અનેક કારણો આપ્યા હતા. મૃતકોના નામની વાત કરીએ તો સોમેશ ભિક્ષાપતિ, ઋષિરાજ અને પત્ની નિર્મલે જીવનને ટૂંકાવ્યું છે.  


ત્રણ લોકોએ કર્યો આપઘાત!

સુરતમાં વધુ એક સામુહીક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર પહેલા પતિએ પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવી, બાદમાં પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મોડી રાત્રે આ ઘટના બની હતી તેવી માહિતી સામે આવી છે. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સવારે તેમના ભાઈ 7:15 વાગ્યે ઘરે આવ્યા હતા. એવી પણ માહિતી સામે આવી હતી કે તેના ભાઈને ફોટો પણ મોકલ્યો હતો પરંતુ તેમણે ફોટો જોયો ન હતો. 


પોસ્ટમોર્ટમ માટે પોલીસે મોકલી આપ્યો મૃતહેદ!

જ્યારે તેમણે આ ફોટો જોયો ત્યારે તે ઘરે દોડી આવ્યા હતા. મૃતકના ભાઈએ જોયું તો તેમના ભાઈ ગળેફાંસો ખાધેલી હાલતમાં હતા અને તેના ભાભી પણ મૃત હાલતમાં પડેલા હતા. જ્યારે તેમની બાજુમાં તેમનો પુત્ર પણ મૃત હાલતમાં હતો. ઘટનાની જાણ તેમણે પોલીસને કરી અને હાલ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કયા કારણોસર આવું કદમ ઉઠાવ્યું હોય તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. આ ઘટનાને લઈ પોલીસે કહ્યું કે ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે. આ સાથે તેનો મોબાઇલ પણ મળ્યો છે. એક અનુમાન પ્રમાણે પિતાએ પત્ની અને બાળકને તકીયાથી મોઢું દબાઈ દીધું હોય અથવા તો ઝેરી દવા પીવડાવી લીધી હોય. આ સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.  મહત્વનું છે કે શા માટે પરિવાર દ્વારા આ કદમ ઉઠાવવામાં આવ્યો તે તપાસમાં ખબર પડશે..  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.