Suratમાં બની સામુહીક આત્મહત્યાની ઘટના, પહેલા પતિએ પત્ની અને દીકરાને ઝેર પીવડાવ્યું અને પછી ફાંસો ખાધો અને પોતે આત્મહત્યા કરી લીધી.!


  • Published By :
  • Published Date : 2024-03-08 17:22:46

આત્મહત્યા કરવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોઈ પ્રેમ પ્રકરણમાં પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે તો કોઈ આર્થિક સંકડામણને કારણે દુનિયાને અલવિદા કહી રહ્યા છે. કોઈ પારિવારીક કારણોસર તો કોઈ પૈસાની લેવડદેવડને કારણે આવા પગલા ભરી લેતા હોય છે. ત્યારે સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. જે લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેમાં નાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની છે જ્યાં પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એવી પણ માહિતી સામે આવી હતી કે મરતા પહેલા મૃતકે વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં અનેક કારણો આપ્યા હતા. મૃતકોના નામની વાત કરીએ તો સોમેશ ભિક્ષાપતિ, ઋષિરાજ અને પત્ની નિર્મલે જીવનને ટૂંકાવ્યું છે.  


ત્રણ લોકોએ કર્યો આપઘાત!

સુરતમાં વધુ એક સામુહીક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર પહેલા પતિએ પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવી, બાદમાં પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મોડી રાત્રે આ ઘટના બની હતી તેવી માહિતી સામે આવી છે. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સવારે તેમના ભાઈ 7:15 વાગ્યે ઘરે આવ્યા હતા. એવી પણ માહિતી સામે આવી હતી કે તેના ભાઈને ફોટો પણ મોકલ્યો હતો પરંતુ તેમણે ફોટો જોયો ન હતો. 


પોસ્ટમોર્ટમ માટે પોલીસે મોકલી આપ્યો મૃતહેદ!

જ્યારે તેમણે આ ફોટો જોયો ત્યારે તે ઘરે દોડી આવ્યા હતા. મૃતકના ભાઈએ જોયું તો તેમના ભાઈ ગળેફાંસો ખાધેલી હાલતમાં હતા અને તેના ભાભી પણ મૃત હાલતમાં પડેલા હતા. જ્યારે તેમની બાજુમાં તેમનો પુત્ર પણ મૃત હાલતમાં હતો. ઘટનાની જાણ તેમણે પોલીસને કરી અને હાલ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કયા કારણોસર આવું કદમ ઉઠાવ્યું હોય તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. આ ઘટનાને લઈ પોલીસે કહ્યું કે ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે. આ સાથે તેનો મોબાઇલ પણ મળ્યો છે. એક અનુમાન પ્રમાણે પિતાએ પત્ની અને બાળકને તકીયાથી મોઢું દબાઈ દીધું હોય અથવા તો ઝેરી દવા પીવડાવી લીધી હોય. આ સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.  મહત્વનું છે કે શા માટે પરિવાર દ્વારા આ કદમ ઉઠાવવામાં આવ્યો તે તપાસમાં ખબર પડશે..  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે