દિલ્હીમાં મોડી રાત સુધી ચાલી કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, ઉમેદવારોના નામની કરાઈ ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-11-10 09:46:32

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દરેક પાર્ટી પોતાના ઉમેદવારને લઈ મનોમંથન કરી રહી છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂ કરી દીધી છે. જ્યારે ભાજપ કોને ટિકિટ આપે, તે માટે પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આજે ઉમેદવારોના નામની પ્રથમ યાદી ભાજપ દ્વારા જાહેર કરી દેશે. 

Gujarat Election 2022:  BJP likely to finalise all candidates on Nov 10 Gujarat Election 2022: ભાજપના ઉમેદવારોની આજે યાદી થશે જાહેર, 30થી વધુ નવા ચહેરાઓને આપી શકે છે તક

ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરશે

ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે મુખ્યમંત્રી તેમજ સી.આર.પાટીલ દિલ્હી ગયા હતા. જ્યાં બેઠક કરી ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ઉમેદવારોના નામ પર અંતિમ મોહર હાઈ કમાન્ડ દ્વારા લગાડવામાં આવી છે. જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારે ભાજપ કોને ટિકિટ આપશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે આજના દિવસમાં ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેશે. 

Former Gujarat CM Vijay Rupani, ex-deputy CM Nitin Patel won't contest  elections - BusinessToday

અનેક દિગ્ગજ નેતાઓ નથી લડવાના ચૂંટણી 

ટિકિટ ફાળવણી પહેલા ભાજપના અનેક નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબમુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ છે. એવું ચર્ચાઈ રહ્યું છે ભાજપ આ વખતે નવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતારશે. ત્યારે નવા ઉમેદવારો ભાજપને જીતાડવામાં સફળ થશે કે કેમ તે 8 ડિસેમ્બરે ખબર પડશે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.