દિલ્હીમાં મોડી રાત સુધી ચાલી કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, ઉમેદવારોના નામની કરાઈ ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-11-10 09:46:32

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દરેક પાર્ટી પોતાના ઉમેદવારને લઈ મનોમંથન કરી રહી છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂ કરી દીધી છે. જ્યારે ભાજપ કોને ટિકિટ આપે, તે માટે પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આજે ઉમેદવારોના નામની પ્રથમ યાદી ભાજપ દ્વારા જાહેર કરી દેશે. 

Gujarat Election 2022:  BJP likely to finalise all candidates on Nov 10 Gujarat Election 2022: ભાજપના ઉમેદવારોની આજે યાદી થશે જાહેર, 30થી વધુ નવા ચહેરાઓને આપી શકે છે તક

ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરશે

ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે મુખ્યમંત્રી તેમજ સી.આર.પાટીલ દિલ્હી ગયા હતા. જ્યાં બેઠક કરી ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ઉમેદવારોના નામ પર અંતિમ મોહર હાઈ કમાન્ડ દ્વારા લગાડવામાં આવી છે. જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારે ભાજપ કોને ટિકિટ આપશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે આજના દિવસમાં ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેશે. 

Former Gujarat CM Vijay Rupani, ex-deputy CM Nitin Patel won't contest  elections - BusinessToday

અનેક દિગ્ગજ નેતાઓ નથી લડવાના ચૂંટણી 

ટિકિટ ફાળવણી પહેલા ભાજપના અનેક નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબમુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ છે. એવું ચર્ચાઈ રહ્યું છે ભાજપ આ વખતે નવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતારશે. ત્યારે નવા ઉમેદવારો ભાજપને જીતાડવામાં સફળ થશે કે કેમ તે 8 ડિસેમ્બરે ખબર પડશે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.