દિલ્હીમાં મોડી રાત સુધી ચાલી કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, ઉમેદવારોના નામની કરાઈ ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-11-10 09:46:32

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દરેક પાર્ટી પોતાના ઉમેદવારને લઈ મનોમંથન કરી રહી છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂ કરી દીધી છે. જ્યારે ભાજપ કોને ટિકિટ આપે, તે માટે પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આજે ઉમેદવારોના નામની પ્રથમ યાદી ભાજપ દ્વારા જાહેર કરી દેશે. 

Gujarat Election 2022:  BJP likely to finalise all candidates on Nov 10 Gujarat Election 2022: ભાજપના ઉમેદવારોની આજે યાદી થશે જાહેર, 30થી વધુ નવા ચહેરાઓને આપી શકે છે તક

ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરશે

ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે મુખ્યમંત્રી તેમજ સી.આર.પાટીલ દિલ્હી ગયા હતા. જ્યાં બેઠક કરી ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ઉમેદવારોના નામ પર અંતિમ મોહર હાઈ કમાન્ડ દ્વારા લગાડવામાં આવી છે. જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારે ભાજપ કોને ટિકિટ આપશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે આજના દિવસમાં ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેશે. 

Former Gujarat CM Vijay Rupani, ex-deputy CM Nitin Patel won't contest  elections - BusinessToday

અનેક દિગ્ગજ નેતાઓ નથી લડવાના ચૂંટણી 

ટિકિટ ફાળવણી પહેલા ભાજપના અનેક નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબમુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ છે. એવું ચર્ચાઈ રહ્યું છે ભાજપ આ વખતે નવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતારશે. ત્યારે નવા ઉમેદવારો ભાજપને જીતાડવામાં સફળ થશે કે કેમ તે 8 ડિસેમ્બરે ખબર પડશે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.