દિલ્હીમાં મોડી રાત સુધી ચાલી કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, ઉમેદવારોના નામની કરાઈ ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-11-10 09:46:32

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દરેક પાર્ટી પોતાના ઉમેદવારને લઈ મનોમંથન કરી રહી છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂ કરી દીધી છે. જ્યારે ભાજપ કોને ટિકિટ આપે, તે માટે પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આજે ઉમેદવારોના નામની પ્રથમ યાદી ભાજપ દ્વારા જાહેર કરી દેશે. 

Gujarat Election 2022:  BJP likely to finalise all candidates on Nov 10 Gujarat Election 2022: ભાજપના ઉમેદવારોની આજે યાદી થશે જાહેર, 30થી વધુ નવા ચહેરાઓને આપી શકે છે તક

ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરશે

ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે મુખ્યમંત્રી તેમજ સી.આર.પાટીલ દિલ્હી ગયા હતા. જ્યાં બેઠક કરી ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ઉમેદવારોના નામ પર અંતિમ મોહર હાઈ કમાન્ડ દ્વારા લગાડવામાં આવી છે. જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારે ભાજપ કોને ટિકિટ આપશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે આજના દિવસમાં ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેશે. 

Former Gujarat CM Vijay Rupani, ex-deputy CM Nitin Patel won't contest  elections - BusinessToday

અનેક દિગ્ગજ નેતાઓ નથી લડવાના ચૂંટણી 

ટિકિટ ફાળવણી પહેલા ભાજપના અનેક નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબમુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ છે. એવું ચર્ચાઈ રહ્યું છે ભાજપ આ વખતે નવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતારશે. ત્યારે નવા ઉમેદવારો ભાજપને જીતાડવામાં સફળ થશે કે કેમ તે 8 ડિસેમ્બરે ખબર પડશે. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"