ચક્રવાતને લઈ હવામાન વિભાગે આપી અપડેટ! ગંભીર રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત! જાણો માછીમારોને શું આપવામાં આવી છે સલાહ


  • Published By :
  • Published Date : 2023-06-07 12:46:00

ગુજરાત પર ચક્રવાતનું સંકટ તોળાઈ રહ્યું છે. તેજ ગતિથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયામાં લો પ્રેશર સર્જાતા વાવાઝોડું સક્રિય થયું હતું અને હવે તે વિકરાળરૂપ લઈ રહ્યું છે. આ વખતે બાંગ્લાદેશ દ્વારા નામ આપવામાં આવ્યું છે. બિપોરજોય શબ્દનો અર્થ સમજીએ તો થાય છે સંકટ. વાવાઝોડાને ધ્યાનમાં રાખી ગુજરાતના કાંઠાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.        



ગુજરાત નજીકથી પસાર થશે ચક્રવાત! 

કમોસમી વરસાદ ઉનાળા દરમિયાન વરસ્યો હતો. ત્યારે હવે ચક્રવાતનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. સાઈક્રોલન તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. જેને લઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દીધી છે. તે સિવાય બંદરો પર પણ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર સાઈક્લોન બિપોરજોય પૂર્વમધ્ય અને દક્ષિણમધ્ય અરબી સમુદ્રમાં ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે. દરિયામાં ઉંચા મોજા ઉંછળશે. ગુજરાતના દરિયા કિનારા નજીકથી ચક્રવાત પસાર થઈ શકે છે. 11 અથવા 12 જૂનની આસપાસ ગુજરાત નજીકથી ચક્રવાત પસાર થઈ શકે છે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.


અંબાલાલ પટેલે ચક્રવાતને લઈ કરી આગાહી!

વાવાઝોડાની ગતિ 140 કિમી થાય તેવા સંકેતો હાલ દેખાઈ રહી છે. 9મી અને 10મી જૂને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દરિયા કાંઠે વાવાઝોડું ટકરાશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 4 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે આ સિસ્ટમ વિવિધ કેટેગરીમાં થઈને સુપર સાઈક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને  કારણે તારીખ 7, 8 અને 9 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન ઉઠશે. 



આજ સાંજ સુધી કેરળમાં પહોંચશે ચોમાસું!

દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન રચાયું છે. આ મામલે IMDના પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહંતીએ આ અંગે આગાહી કરતા હતું કે, આગામી 24 કલાક દરમિયાન તે લગભગ ઉત્તર તરફ આગળ વધે અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણપૂર્વમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. આજ સાંજ સુધી કેરળમાં ચોમાસું પહોંચી શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.