ચક્રવાતને લઈ હવામાન વિભાગે આપી અપડેટ! ગંભીર રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત! જાણો માછીમારોને શું આપવામાં આવી છે સલાહ


  • Published By :
  • Published Date : 2023-06-07 12:46:00

ગુજરાત પર ચક્રવાતનું સંકટ તોળાઈ રહ્યું છે. તેજ ગતિથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયામાં લો પ્રેશર સર્જાતા વાવાઝોડું સક્રિય થયું હતું અને હવે તે વિકરાળરૂપ લઈ રહ્યું છે. આ વખતે બાંગ્લાદેશ દ્વારા નામ આપવામાં આવ્યું છે. બિપોરજોય શબ્દનો અર્થ સમજીએ તો થાય છે સંકટ. વાવાઝોડાને ધ્યાનમાં રાખી ગુજરાતના કાંઠાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.        



ગુજરાત નજીકથી પસાર થશે ચક્રવાત! 

કમોસમી વરસાદ ઉનાળા દરમિયાન વરસ્યો હતો. ત્યારે હવે ચક્રવાતનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. સાઈક્રોલન તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. જેને લઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દીધી છે. તે સિવાય બંદરો પર પણ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર સાઈક્લોન બિપોરજોય પૂર્વમધ્ય અને દક્ષિણમધ્ય અરબી સમુદ્રમાં ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે. દરિયામાં ઉંચા મોજા ઉંછળશે. ગુજરાતના દરિયા કિનારા નજીકથી ચક્રવાત પસાર થઈ શકે છે. 11 અથવા 12 જૂનની આસપાસ ગુજરાત નજીકથી ચક્રવાત પસાર થઈ શકે છે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.


અંબાલાલ પટેલે ચક્રવાતને લઈ કરી આગાહી!

વાવાઝોડાની ગતિ 140 કિમી થાય તેવા સંકેતો હાલ દેખાઈ રહી છે. 9મી અને 10મી જૂને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દરિયા કાંઠે વાવાઝોડું ટકરાશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 4 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે આ સિસ્ટમ વિવિધ કેટેગરીમાં થઈને સુપર સાઈક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને  કારણે તારીખ 7, 8 અને 9 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન ઉઠશે. 



આજ સાંજ સુધી કેરળમાં પહોંચશે ચોમાસું!

દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન રચાયું છે. આ મામલે IMDના પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહંતીએ આ અંગે આગાહી કરતા હતું કે, આગામી 24 કલાક દરમિયાન તે લગભગ ઉત્તર તરફ આગળ વધે અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણપૂર્વમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. આજ સાંજ સુધી કેરળમાં ચોમાસું પહોંચી શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.