ચક્રવાતને લઈ હવામાન વિભાગે આપી અપડેટ! ગંભીર રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત! જાણો માછીમારોને શું આપવામાં આવી છે સલાહ


  • Published By :
  • Published Date : 2023-06-07 12:46:00

ગુજરાત પર ચક્રવાતનું સંકટ તોળાઈ રહ્યું છે. તેજ ગતિથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયામાં લો પ્રેશર સર્જાતા વાવાઝોડું સક્રિય થયું હતું અને હવે તે વિકરાળરૂપ લઈ રહ્યું છે. આ વખતે બાંગ્લાદેશ દ્વારા નામ આપવામાં આવ્યું છે. બિપોરજોય શબ્દનો અર્થ સમજીએ તો થાય છે સંકટ. વાવાઝોડાને ધ્યાનમાં રાખી ગુજરાતના કાંઠાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.        



ગુજરાત નજીકથી પસાર થશે ચક્રવાત! 

કમોસમી વરસાદ ઉનાળા દરમિયાન વરસ્યો હતો. ત્યારે હવે ચક્રવાતનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. સાઈક્રોલન તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. જેને લઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દીધી છે. તે સિવાય બંદરો પર પણ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર સાઈક્લોન બિપોરજોય પૂર્વમધ્ય અને દક્ષિણમધ્ય અરબી સમુદ્રમાં ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે. દરિયામાં ઉંચા મોજા ઉંછળશે. ગુજરાતના દરિયા કિનારા નજીકથી ચક્રવાત પસાર થઈ શકે છે. 11 અથવા 12 જૂનની આસપાસ ગુજરાત નજીકથી ચક્રવાત પસાર થઈ શકે છે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.


અંબાલાલ પટેલે ચક્રવાતને લઈ કરી આગાહી!

વાવાઝોડાની ગતિ 140 કિમી થાય તેવા સંકેતો હાલ દેખાઈ રહી છે. 9મી અને 10મી જૂને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દરિયા કાંઠે વાવાઝોડું ટકરાશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 4 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે આ સિસ્ટમ વિવિધ કેટેગરીમાં થઈને સુપર સાઈક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને  કારણે તારીખ 7, 8 અને 9 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન ઉઠશે. 



આજ સાંજ સુધી કેરળમાં પહોંચશે ચોમાસું!

દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન રચાયું છે. આ મામલે IMDના પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહંતીએ આ અંગે આગાહી કરતા હતું કે, આગામી 24 કલાક દરમિયાન તે લગભગ ઉત્તર તરફ આગળ વધે અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણપૂર્વમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. આજ સાંજ સુધી કેરળમાં ચોમાસું પહોંચી શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.