દેશના અનેક રાજ્યો માટે હવામાન વિભાગે કરી છે હિટવેવની આગાહી, આ રાજ્યોમાં તાપમાનનો પારો પહોંચી ગયો છે 40ને પાર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-19 15:58:32

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાં ગરમીનો પારો આવનાર દિવસોમાં વધવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે. મોસમ વિભાગ અનુસાર પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કીમ, ઓડિશા, બંગાળ સહિતના રાજ્યોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તે સિવાય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


આ રાજ્યોમાં વરસી શકે છે અગ્નિવર્ષા!

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં અનેક ફેરફાર આવ્યા છે. અનિયમિત વાતાવરણ થઈ ગયું છે. આ વખતના શિયાળાએ અનેક રેકોર્ડો તોડ્યા છે ત્યારે ગરમી પણ અનેક વર્ષોનો રેકોર્ડ તોડી શકે છે. આ આગાહી સાચી પણ પડતી દેખાઈ રહી છે. દેશના અનેક રાજ્યોમાં તાપમાનના પારામાં વધારો નોંધાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કીમ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આંધ્રપ્રદેશ સહિતના રાજ્યો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે. તે સિવાય કમોસમી વરસાદની આગાહી પણ અનેક રાજ્યો માટે કરવામાં આવી છે. 


ગુજરાતમાં પણ પડી રહી છે અસહ્ય ગરમી!

ઉલ્લેખનિય છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી વરસવાની છે. ઉત્તરગુજરાતમાં આકરી ગરમી જોવા મળવાની છે. મોડાસામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહેસાણા, પાલનપુર, પાટણ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને આસપાસ નોંધાયો છે. ત્યારે કાળઝાળ ગરમીથી કેવી રીતે બચી શકાય તે માટે એડવાઈઝરી બહાર પાડી છે. જે મુજબ વધારે પાણીનું સેવન કરવું જોઈએ, ગરમીમાં કામ વગર બહાર ન નીકળવું જોઈએ. 


મહારાષ્ટ્રમાં બપોરના સમયે નહીં કરી શકાય જાહેર રેલી!

ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં લૂ લાગવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. ઉપરાંત અનેક લોકોની તબિયત બગડી ગઈ હતી. એવોર્ડ સેરેમનીમાં ભાગ લેવા લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પરંતુ જ્યાં બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં ઉપર શેડ બાંધવામાં આવ્યો ન હતો. આ વાતને ધ્યાનમાં રાખી 12 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી બધી સાર્વજનિક રેલીયો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.   



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.