Swaminarayan સંપ્રદાયને લઈ ભાજપના ધારાસભ્યએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, વિવાદીત ટિપ્પણીનો વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-11 13:33:40

છેલ્લા થોડા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય ચર્ચામાં છે. સાળંગપુરમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમા નીચે લાગેલા ભીંતચિત્રોને લઈ વિવાદ છેડાયો હતો. એ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ દર્શાવવામાં આવ્યા હતા. વિવાદ તો શાંત થઈ ગયો, ભીંતચિત્રો પણ હટાવી દેવામાં આવ્યા છે. પંરતુ તે બાદ પણ અનેક નેતાઓની બાઈટ, પ્રતિક્રિયાઓ, ભાષણો વાયરલ થઈ રહ્યા છે જેને લઈ બળતામાં ઘી હોમાતું હોય તેવું લાગી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્યનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્વામીનારાયણ સંપ્રદાયને લઈ ટિપ્પણી કરી રહ્યા છે. વીડિયોમાં તેમણે સ્વામીનારાયણ સંસ્થાને લઈ કહ્યું કે : સ્વામીનારાયણ પૈસા ભેરા કરવાની સંસ્થા છે. 

ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે આપ્યું વિવાદિત નિવેદન 

સાળંગપુર હનુમાનજી મંદિરથી શરૂ થયેલો વિવાદ સરકારની મધ્યસ્થી બાદ શાંત તો થઈ ગયો પરંતુ સોશિયલ મીડિયા પર અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ , ભાષણો વાયરલ થઈ રહ્યા છે, વિવાદ દરમિયાન ધારાસભ્યો, પદાધિકારીઓ કોઈ પણ નિવેદન આપવાથી બચી રહ્યા હતા પરંતુ હવે નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે હું એકવાર સોખડા ગયો હતો, સત્સંગમાં મેં કીધુ હતું કે તમે સદગુરુને માનો છે ? સ્વામિનારાયણ પૈસા ભેગા કરવાની સંસ્થા છે. 

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ પણ આપ્યું વિવાદાસ્પદ નિવદેન 

તે સિવાય સ્વામીનારાયણ સંપ્રદાયના એક સંતનો વીડિયો પણ વાયરલ થયો જેમાં તે કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કૂરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. આ વીડિયો વાયરલ થયા બાદ તેમણે સ્પષ્ટતા આપી છે. માફી માગતા આચાર્ય દિનેશ પ્રસાદે કહ્યું કે 'મને અસુરી શક્તિઓ બોલાવી જાય છે આવું'. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા સ્વામિનારાયણ સંત વલ્લભ સ્વામી એવું કહ્યું હતું કે ચલમ પીને પોતાને સનાતની  કહેતા હોય તો અમે છાતી  કાઢીને  તિલક  કરીએ  છીએ એટલે  તમારા કરતા પહેલા અમે સનાતની  છીએ.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.