Swaminarayan સંપ્રદાયને લઈ ભાજપના ધારાસભ્યએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, વિવાદીત ટિપ્પણીનો વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-11 13:33:40

છેલ્લા થોડા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય ચર્ચામાં છે. સાળંગપુરમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમા નીચે લાગેલા ભીંતચિત્રોને લઈ વિવાદ છેડાયો હતો. એ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ દર્શાવવામાં આવ્યા હતા. વિવાદ તો શાંત થઈ ગયો, ભીંતચિત્રો પણ હટાવી દેવામાં આવ્યા છે. પંરતુ તે બાદ પણ અનેક નેતાઓની બાઈટ, પ્રતિક્રિયાઓ, ભાષણો વાયરલ થઈ રહ્યા છે જેને લઈ બળતામાં ઘી હોમાતું હોય તેવું લાગી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્યનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્વામીનારાયણ સંપ્રદાયને લઈ ટિપ્પણી કરી રહ્યા છે. વીડિયોમાં તેમણે સ્વામીનારાયણ સંસ્થાને લઈ કહ્યું કે : સ્વામીનારાયણ પૈસા ભેરા કરવાની સંસ્થા છે. 

ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે આપ્યું વિવાદિત નિવેદન 

સાળંગપુર હનુમાનજી મંદિરથી શરૂ થયેલો વિવાદ સરકારની મધ્યસ્થી બાદ શાંત તો થઈ ગયો પરંતુ સોશિયલ મીડિયા પર અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ , ભાષણો વાયરલ થઈ રહ્યા છે, વિવાદ દરમિયાન ધારાસભ્યો, પદાધિકારીઓ કોઈ પણ નિવેદન આપવાથી બચી રહ્યા હતા પરંતુ હવે નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે હું એકવાર સોખડા ગયો હતો, સત્સંગમાં મેં કીધુ હતું કે તમે સદગુરુને માનો છે ? સ્વામિનારાયણ પૈસા ભેગા કરવાની સંસ્થા છે. 

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ પણ આપ્યું વિવાદાસ્પદ નિવદેન 

તે સિવાય સ્વામીનારાયણ સંપ્રદાયના એક સંતનો વીડિયો પણ વાયરલ થયો જેમાં તે કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કૂરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. આ વીડિયો વાયરલ થયા બાદ તેમણે સ્પષ્ટતા આપી છે. માફી માગતા આચાર્ય દિનેશ પ્રસાદે કહ્યું કે 'મને અસુરી શક્તિઓ બોલાવી જાય છે આવું'. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા સ્વામિનારાયણ સંત વલ્લભ સ્વામી એવું કહ્યું હતું કે ચલમ પીને પોતાને સનાતની  કહેતા હોય તો અમે છાતી  કાઢીને  તિલક  કરીએ  છીએ એટલે  તમારા કરતા પહેલા અમે સનાતની  છીએ.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.