Swaminarayan સંપ્રદાયને લઈ ભાજપના ધારાસભ્યએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, વિવાદીત ટિપ્પણીનો વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-11 13:33:40

છેલ્લા થોડા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય ચર્ચામાં છે. સાળંગપુરમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમા નીચે લાગેલા ભીંતચિત્રોને લઈ વિવાદ છેડાયો હતો. એ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ દર્શાવવામાં આવ્યા હતા. વિવાદ તો શાંત થઈ ગયો, ભીંતચિત્રો પણ હટાવી દેવામાં આવ્યા છે. પંરતુ તે બાદ પણ અનેક નેતાઓની બાઈટ, પ્રતિક્રિયાઓ, ભાષણો વાયરલ થઈ રહ્યા છે જેને લઈ બળતામાં ઘી હોમાતું હોય તેવું લાગી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્યનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્વામીનારાયણ સંપ્રદાયને લઈ ટિપ્પણી કરી રહ્યા છે. વીડિયોમાં તેમણે સ્વામીનારાયણ સંસ્થાને લઈ કહ્યું કે : સ્વામીનારાયણ પૈસા ભેરા કરવાની સંસ્થા છે. 

ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે આપ્યું વિવાદિત નિવેદન 

સાળંગપુર હનુમાનજી મંદિરથી શરૂ થયેલો વિવાદ સરકારની મધ્યસ્થી બાદ શાંત તો થઈ ગયો પરંતુ સોશિયલ મીડિયા પર અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ , ભાષણો વાયરલ થઈ રહ્યા છે, વિવાદ દરમિયાન ધારાસભ્યો, પદાધિકારીઓ કોઈ પણ નિવેદન આપવાથી બચી રહ્યા હતા પરંતુ હવે નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે હું એકવાર સોખડા ગયો હતો, સત્સંગમાં મેં કીધુ હતું કે તમે સદગુરુને માનો છે ? સ્વામિનારાયણ પૈસા ભેગા કરવાની સંસ્થા છે. 

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ પણ આપ્યું વિવાદાસ્પદ નિવદેન 

તે સિવાય સ્વામીનારાયણ સંપ્રદાયના એક સંતનો વીડિયો પણ વાયરલ થયો જેમાં તે કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કૂરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. આ વીડિયો વાયરલ થયા બાદ તેમણે સ્પષ્ટતા આપી છે. માફી માગતા આચાર્ય દિનેશ પ્રસાદે કહ્યું કે 'મને અસુરી શક્તિઓ બોલાવી જાય છે આવું'. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા સ્વામિનારાયણ સંત વલ્લભ સ્વામી એવું કહ્યું હતું કે ચલમ પીને પોતાને સનાતની  કહેતા હોય તો અમે છાતી  કાઢીને  તિલક  કરીએ  છીએ એટલે  તમારા કરતા પહેલા અમે સનાતની  છીએ.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી