ડુંગળી પકવતા ખેડૂતોને થતા નુકસાન અંગે ભાવનગરના ધારાસભ્યએ કરી મુખ્યમંત્રી સાથે મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-02-28 09:22:00

ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. પોતાના પાકના પોષણસમા ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે ડુંગળી પકવતા ખેડૂતને પણ નુકસાન થઈ રહ્યું છે. જેને લઈ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જીતુ વાઘાણીની સાથે એપીએમસીના આગેવાનો પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા.  ખેડૂતોની વાત સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. સરકાર આ વખતે આ અંગે જરૂરી નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


મુખ્યમંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત  

ડુંગળી પકવતા ખેડતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના નીચા ભાવ મળવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે તે માટે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ધારાસભ્યની સાથે એપીએમસીના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નુકસાનથી બચાવવા સરકારે ગત વર્ષે 100 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. 31674 ખેડૂતોને કુલ 69.26 કરોડની સહાય ચૂકવી છે. જેને કારણે સરકાર આ વખતે પણ સહાય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. 


ભગવંત માને કરી હતી ડુંગળી ખરીદવાની કરી વાત 

ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીની સાથે મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામ પટેલ, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા ગોંડલ એપીએમસીના ચેરમેન સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ પણ આ પ્રશ્નને લઈને ખેડૂત આગેવાનોએ કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી હતી. જે બાદ કૃષિમંત્રી દ્વારા આ વાતને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી તૈયારી દર્શાવી હતી. ત્યારે ડુંગળીની ખરીદીને લઈ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને થોડા દિવસો પહેલા નિવેદન આપ્યું હતું અને ગુજરાતમાં પાકતી ડુંગળીની ખરીદી કરવાની વાત કહી હતી.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.