ડુંગળી પકવતા ખેડૂતોને થતા નુકસાન અંગે ભાવનગરના ધારાસભ્યએ કરી મુખ્યમંત્રી સાથે મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-02-28 09:22:00

ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. પોતાના પાકના પોષણસમા ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે ડુંગળી પકવતા ખેડૂતને પણ નુકસાન થઈ રહ્યું છે. જેને લઈ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જીતુ વાઘાણીની સાથે એપીએમસીના આગેવાનો પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા.  ખેડૂતોની વાત સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. સરકાર આ વખતે આ અંગે જરૂરી નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


મુખ્યમંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત  

ડુંગળી પકવતા ખેડતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના નીચા ભાવ મળવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે તે માટે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ધારાસભ્યની સાથે એપીએમસીના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નુકસાનથી બચાવવા સરકારે ગત વર્ષે 100 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. 31674 ખેડૂતોને કુલ 69.26 કરોડની સહાય ચૂકવી છે. જેને કારણે સરકાર આ વખતે પણ સહાય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. 


ભગવંત માને કરી હતી ડુંગળી ખરીદવાની કરી વાત 

ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીની સાથે મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામ પટેલ, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા ગોંડલ એપીએમસીના ચેરમેન સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ પણ આ પ્રશ્નને લઈને ખેડૂત આગેવાનોએ કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી હતી. જે બાદ કૃષિમંત્રી દ્વારા આ વાતને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી તૈયારી દર્શાવી હતી. ત્યારે ડુંગળીની ખરીદીને લઈ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને થોડા દિવસો પહેલા નિવેદન આપ્યું હતું અને ગુજરાતમાં પાકતી ડુંગળીની ખરીદી કરવાની વાત કહી હતી.       



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.