ડુંગળી પકવતા ખેડૂતોને થતા નુકસાન અંગે ભાવનગરના ધારાસભ્યએ કરી મુખ્યમંત્રી સાથે મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-02-28 09:22:00

ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. પોતાના પાકના પોષણસમા ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે ડુંગળી પકવતા ખેડૂતને પણ નુકસાન થઈ રહ્યું છે. જેને લઈ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જીતુ વાઘાણીની સાથે એપીએમસીના આગેવાનો પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા.  ખેડૂતોની વાત સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. સરકાર આ વખતે આ અંગે જરૂરી નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


મુખ્યમંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત  

ડુંગળી પકવતા ખેડતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના નીચા ભાવ મળવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે તે માટે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ધારાસભ્યની સાથે એપીએમસીના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નુકસાનથી બચાવવા સરકારે ગત વર્ષે 100 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. 31674 ખેડૂતોને કુલ 69.26 કરોડની સહાય ચૂકવી છે. જેને કારણે સરકાર આ વખતે પણ સહાય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. 


ભગવંત માને કરી હતી ડુંગળી ખરીદવાની કરી વાત 

ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીની સાથે મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામ પટેલ, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા ગોંડલ એપીએમસીના ચેરમેન સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ પણ આ પ્રશ્નને લઈને ખેડૂત આગેવાનોએ કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી હતી. જે બાદ કૃષિમંત્રી દ્વારા આ વાતને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી તૈયારી દર્શાવી હતી. ત્યારે ડુંગળીની ખરીદીને લઈ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને થોડા દિવસો પહેલા નિવેદન આપ્યું હતું અને ગુજરાતમાં પાકતી ડુંગળીની ખરીદી કરવાની વાત કહી હતી.       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.