Jammu-Kashmirમાં શહીદ થયેલા મેજર આશિષનો પાર્થિવ દેહ માદરે વતન પહોંચ્યો, અપાઈ અંતિમ વિદાય, ઉમટી જનમેદની, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-15 13:08:07

દરેક માટે પોતાનો પ્રાણ ઘણો વ્હાલો હોય છે. સૌથી વધારે ધ્યાન આપણે પોતાના પ્રાણોનું રાખતા હોઈએ છીએ. પરંતુ સીમા પર દેશની રક્ષા કરતા વીર જવાનો પોતાના પ્રાણો કરતા દેશને વધારે પ્રેમ કરતા હોય છે. દેશ પર જ્યારે જ્યારે સંકટ આવે છે ત્યારે દેશના વીર જવાનો પોતાના પ્રાણની આહુતી આપતા પહેલા નથી વિચારતા. દેશ માટે, દેશની રક્ષા માટે હસતા હસતા શહીદીને સ્વીકારે છે.

 

શહીદ મેજર આશિષને અપાઈ અંતિમ વિદાય

ત્યારે થોડા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે અથડામણ થતા અનેક વીરોએ પોતાના જીવનની આહુતિ આપી દીધી હતી. દેશ માટે શહીદ થઈ ગયા હતા. આતંકી સાથે થયેલી અથડામણમાં મેજર આશિષ ધૌંચક શહીદીને પામ્યા હતા. ત્યારે આજે તેમનો પાર્થિવ દેહ તેમના માદરે વતન પાણીપત પહોંચ્યો હતો. માદરે વતન જ્યારે મૃતદેહ લવાયો ત્યારે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. 


અથડામણમાં આતંકવાદીઓ તો મરે છે પરંતુ જવાનો પણ શહીદ થાય છે    

આપણે આરામથી ઉંઘી શકીએ તે માટે દેશના સીમાની રક્ષા કરવા માટે જવાનો ખડેપગે રહે છે. લોકોના સુરક્ષાની જવાબદારી જવાનોના શિરે હોય છે. જમ્મુ કાશ્મીરથી અનેક વખત સમાચાર આવતા હોય છે કે આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં આટલા આતંકવાદીઓને મારવામાં સેનાને સફળતા મળી. એ સમાચાર વાંચીને આપણને આનંદ થાય છે. પરંતુ અનેક વખત આતંકવાદી સાથે થયેલી અથડામણમાં દેશ પોતાના વિર સપૂતોને પણ ખોઈ બેસે છે. 



આતંકી સાથેની અથડામણમાં વધુ એક જવાન થયા શહીદ!

અનેક વીર જવાનો શહીદ થતા હોય છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકી અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં હજી સુધી ત્રણ જવાનો શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા પરંતુ વધુ એક જવાન શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અથડામણમાં વધુ એક જવાન વીરગતિને પામ્યા છે. 


વીરને અંતિમ વિદાય આપવા ઉમટી જનમેદની 

આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાણીપતના મેજર આશિષ પણ વીરગતિને પામ્યા છે. મેજરના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવ્યો છે જ્યાં અંતિમ ક્રિયા કરવામાં આવશે. વીરના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં  જનમેદની ઉમટી હતી. હજારો લોકો હાજર રહ્યા હતા જ્યારે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, રાજકીય સન્માન સાથે વીરને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શહીદ મેજર આશિષનો જન્મદિવસ આવતા મહિને છે. પોતાના જન્મદિવસ પર નવા ઘરમાં પણ પ્રવેશ પરિવાર કરવાનો હતો પરંતુ તે પહેલા જ મેજર અનંતની યાત્રાએ નિકળી ગયા. ન માત્ર પરિવારમાં શોકની લાગણી છે પરંતુ દેશના અનેક નાગરિક એવા છે જે આ સમાચાર સાંભળીને, આ દ્રશ્યો જોઈને ભાવુક થઈ ગયા હશે. વીર શહીદોની શહાદતને સો-સો સલામ છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.