Manipurની મુલાકાતે ગયેલા સાંસદો કરશે રાષ્ટ્રપતિ સાથે બેઠક, Presidentને જણાવશે Manipurની વાસ્તવિક સ્થિતિ અંગે!


  • Published By :
  • Published Date : 2023-08-02 11:03:39

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ સૌથી મહત્વનો અને સૌથી ચર્ચિત મુદ્દો હોય તો તે છે મણિપુરમાં ભડકી રહેલી હિંસા.સંસદમાં જ્યારે જ્યારે પણ મણિપુરનો મુદ્દો ઉઠે છે ત્યારે ત્યારે હોબાળો થાય છે અને અંતે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવી પડે છે. સૂત્રોચ્ચાર થાય છે નારા  લાગે છે પરંતુ મણિપુર મુદ્દે ચર્ચા નથી થતી. પીએમ મોદી મણિપુર મુદ્દે કંઈ બોલે તેવી વિપક્ષોની માગ છે, ત્યારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી મળી જઈ છે.

સંસદમાં મણિપુર મુદ્દે હંમેશા થાય છે હોબાળો 

મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે વિપક્ષ એકદમ આક્રામક દેખાઈ રહ્યું છે. હિંસા પર જલ્દી નિયંત્રણ લાવવામાં આવે તેવા તેમના પ્રયાસો છે. INDIAના 21 સાંસદોએ મણિપુરની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિ કેવી છે તે અંગે રિપોર્ટ તૈયાર કર્યો છે. સંસદમાં મણિપુર મુદ્દે ચર્ચા થાય તે માટે સરકાર છે તેવા અનેક વખત નિવેદનો કેન્દ્રીય મંત્રીઓ દ્વારા આપવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકાર વાતચીત કરવા તૈયાર છે પરંતુ વિપક્ષ તૈયાર નથી. પ્રશ્ન છે કે જો સરકાર પણ ચર્ચા કરવા માટે તૈયાર છે, વિપક્ષ પણ ચર્ચા માટે તૈયાર છે તો મણિપુર મુદ્દે સંસદમાં ચર્ચા કેમ નથી થતી?


રાષ્ટ્રપતિ સાથે આજે સાંસદો કરશે બેઠક!

આ બધા વચ્ચે, INDIAના સાંસદો રાષ્ટ્રપતિ સાથે આજે 11.30 વાગ્યે બેઠક કરવાના છે. મણિપુરની સ્થિતિ અંગે રાષ્ટ્રપતિને જણાવવામાં આવશે, જે સાંસદોએ મણિપુરની મુલાકાત લીધી હતી તેમના અનુભવ પ્રેસિડન્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ અંગેની જાણકારી કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવી છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.