Manipurની મુલાકાતે ગયેલા સાંસદો કરશે રાષ્ટ્રપતિ સાથે બેઠક, Presidentને જણાવશે Manipurની વાસ્તવિક સ્થિતિ અંગે!


  • Published By :
  • Published Date : 2023-08-02 11:03:39

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ સૌથી મહત્વનો અને સૌથી ચર્ચિત મુદ્દો હોય તો તે છે મણિપુરમાં ભડકી રહેલી હિંસા.સંસદમાં જ્યારે જ્યારે પણ મણિપુરનો મુદ્દો ઉઠે છે ત્યારે ત્યારે હોબાળો થાય છે અને અંતે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવી પડે છે. સૂત્રોચ્ચાર થાય છે નારા  લાગે છે પરંતુ મણિપુર મુદ્દે ચર્ચા નથી થતી. પીએમ મોદી મણિપુર મુદ્દે કંઈ બોલે તેવી વિપક્ષોની માગ છે, ત્યારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી મળી જઈ છે.

સંસદમાં મણિપુર મુદ્દે હંમેશા થાય છે હોબાળો 

મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે વિપક્ષ એકદમ આક્રામક દેખાઈ રહ્યું છે. હિંસા પર જલ્દી નિયંત્રણ લાવવામાં આવે તેવા તેમના પ્રયાસો છે. INDIAના 21 સાંસદોએ મણિપુરની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિ કેવી છે તે અંગે રિપોર્ટ તૈયાર કર્યો છે. સંસદમાં મણિપુર મુદ્દે ચર્ચા થાય તે માટે સરકાર છે તેવા અનેક વખત નિવેદનો કેન્દ્રીય મંત્રીઓ દ્વારા આપવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકાર વાતચીત કરવા તૈયાર છે પરંતુ વિપક્ષ તૈયાર નથી. પ્રશ્ન છે કે જો સરકાર પણ ચર્ચા કરવા માટે તૈયાર છે, વિપક્ષ પણ ચર્ચા માટે તૈયાર છે તો મણિપુર મુદ્દે સંસદમાં ચર્ચા કેમ નથી થતી?


રાષ્ટ્રપતિ સાથે આજે સાંસદો કરશે બેઠક!

આ બધા વચ્ચે, INDIAના સાંસદો રાષ્ટ્રપતિ સાથે આજે 11.30 વાગ્યે બેઠક કરવાના છે. મણિપુરની સ્થિતિ અંગે રાષ્ટ્રપતિને જણાવવામાં આવશે, જે સાંસદોએ મણિપુરની મુલાકાત લીધી હતી તેમના અનુભવ પ્રેસિડન્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ અંગેની જાણકારી કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવી છે.    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .