Manipurની મુલાકાતે ગયેલા સાંસદો કરશે રાષ્ટ્રપતિ સાથે બેઠક, Presidentને જણાવશે Manipurની વાસ્તવિક સ્થિતિ અંગે!


  • Published By :
  • Published Date : 2023-08-02 11:03:39

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ સૌથી મહત્વનો અને સૌથી ચર્ચિત મુદ્દો હોય તો તે છે મણિપુરમાં ભડકી રહેલી હિંસા.સંસદમાં જ્યારે જ્યારે પણ મણિપુરનો મુદ્દો ઉઠે છે ત્યારે ત્યારે હોબાળો થાય છે અને અંતે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવી પડે છે. સૂત્રોચ્ચાર થાય છે નારા  લાગે છે પરંતુ મણિપુર મુદ્દે ચર્ચા નથી થતી. પીએમ મોદી મણિપુર મુદ્દે કંઈ બોલે તેવી વિપક્ષોની માગ છે, ત્યારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી મળી જઈ છે.

સંસદમાં મણિપુર મુદ્દે હંમેશા થાય છે હોબાળો 

મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે વિપક્ષ એકદમ આક્રામક દેખાઈ રહ્યું છે. હિંસા પર જલ્દી નિયંત્રણ લાવવામાં આવે તેવા તેમના પ્રયાસો છે. INDIAના 21 સાંસદોએ મણિપુરની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિ કેવી છે તે અંગે રિપોર્ટ તૈયાર કર્યો છે. સંસદમાં મણિપુર મુદ્દે ચર્ચા થાય તે માટે સરકાર છે તેવા અનેક વખત નિવેદનો કેન્દ્રીય મંત્રીઓ દ્વારા આપવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકાર વાતચીત કરવા તૈયાર છે પરંતુ વિપક્ષ તૈયાર નથી. પ્રશ્ન છે કે જો સરકાર પણ ચર્ચા કરવા માટે તૈયાર છે, વિપક્ષ પણ ચર્ચા માટે તૈયાર છે તો મણિપુર મુદ્દે સંસદમાં ચર્ચા કેમ નથી થતી?


રાષ્ટ્રપતિ સાથે આજે સાંસદો કરશે બેઠક!

આ બધા વચ્ચે, INDIAના સાંસદો રાષ્ટ્રપતિ સાથે આજે 11.30 વાગ્યે બેઠક કરવાના છે. મણિપુરની સ્થિતિ અંગે રાષ્ટ્રપતિને જણાવવામાં આવશે, જે સાંસદોએ મણિપુરની મુલાકાત લીધી હતી તેમના અનુભવ પ્રેસિડન્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ અંગેની જાણકારી કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવી છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.