પંજાબના મુખ્યમંત્રીની હાજરીમાં થઈ શકે છે આ બેઠકો માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-11 15:37:32

આમ આદમી પાર્ટી જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો દોર વધી રહ્યો છે. ચૂંટણી નજીક આવતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ અનેક જનસભા સંબોધવાના છે. ઉપરાંત આપે અનેક બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. 

ಗುಜರಾತ್‌ ಚುನಾವಣೆಗೆ ಮಾಜಿ ಪತ್ರಕರ್ತ ಇಸುದನ್ ಗಧ್ವಿ ಎಎಪಿಯ ಸಿಎಂ ಅಭ್ಯರ್ಥಿ |  Prajavani

આ બેઠકો પર આપે નથી કર્યા ઉમેદવારોને જાહેર 

ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી આમ આદમી પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભાજપ તેમજ કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે અનેક બેઠક એવી જ્યાંથી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. આમ આદમી પાર્ટીએ દ્વારકા, સિદ્ધપુર, ખેરાલુ, વિસનગર, માણસા, ઉધના અને ખંભાળિયા માટે ઉમેદવારોના નામની ઘોષણા નથી કર્યા. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે પણ જાહેરાત નથી કરવામાં આવી. 

Patiala Clash: પટિયાલા હિંસા દુર્ભાગ્યપૂર્ણ, બોલ્યા ભગવંત માન, આઈજીએ  કહ્યું- અફવાઓને કારણે થઈ ઘટના

પંજાબના મુખ્યમંત્રી આવશે ગુજરાતના પ્રવાસે 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતી કાલથી 4 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રમાં જંગી સભા સંબોધવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન 9  રોડ-શો કરવાના છે ઉપરાંત જનસભા પણ સંબોધવાના છે. 12 તારીખે તેઓ તળાજા અને મહુવામાં રોડ-શો કરવાના છે. 13 નવેમ્બરે તેઓ સોમનાથ મંદિરની મુલાકાત લેવાના છે જે બાદ રાજુલા, ઉનામાં રોડ શો કરવાના છે. 14 તારીખે તેઓ તલાલા, વિસાદવદરમાં રોડ શો કરવાના છે. અને પ્રવાસના અંતિમ દિવસે પોરબંદરમાં રોડ શો કરવાના છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલો પ્રચાર મતમાં પરિવર્તિત થશે કે નહીં તે પરિણામ આવશે તે બાદ જ ખબર પડશે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.