પંજાબના મુખ્યમંત્રીની હાજરીમાં થઈ શકે છે આ બેઠકો માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-11 15:37:32

આમ આદમી પાર્ટી જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો દોર વધી રહ્યો છે. ચૂંટણી નજીક આવતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ અનેક જનસભા સંબોધવાના છે. ઉપરાંત આપે અનેક બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. 

ಗುಜರಾತ್‌ ಚುನಾವಣೆಗೆ ಮಾಜಿ ಪತ್ರಕರ್ತ ಇಸುದನ್ ಗಧ್ವಿ ಎಎಪಿಯ ಸಿಎಂ ಅಭ್ಯರ್ಥಿ |  Prajavani

આ બેઠકો પર આપે નથી કર્યા ઉમેદવારોને જાહેર 

ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી આમ આદમી પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભાજપ તેમજ કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે અનેક બેઠક એવી જ્યાંથી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. આમ આદમી પાર્ટીએ દ્વારકા, સિદ્ધપુર, ખેરાલુ, વિસનગર, માણસા, ઉધના અને ખંભાળિયા માટે ઉમેદવારોના નામની ઘોષણા નથી કર્યા. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે પણ જાહેરાત નથી કરવામાં આવી. 

Patiala Clash: પટિયાલા હિંસા દુર્ભાગ્યપૂર્ણ, બોલ્યા ભગવંત માન, આઈજીએ  કહ્યું- અફવાઓને કારણે થઈ ઘટના

પંજાબના મુખ્યમંત્રી આવશે ગુજરાતના પ્રવાસે 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતી કાલથી 4 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રમાં જંગી સભા સંબોધવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન 9  રોડ-શો કરવાના છે ઉપરાંત જનસભા પણ સંબોધવાના છે. 12 તારીખે તેઓ તળાજા અને મહુવામાં રોડ-શો કરવાના છે. 13 નવેમ્બરે તેઓ સોમનાથ મંદિરની મુલાકાત લેવાના છે જે બાદ રાજુલા, ઉનામાં રોડ શો કરવાના છે. 14 તારીખે તેઓ તલાલા, વિસાદવદરમાં રોડ શો કરવાના છે. અને પ્રવાસના અંતિમ દિવસે પોરબંદરમાં રોડ શો કરવાના છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલો પ્રચાર મતમાં પરિવર્તિત થશે કે નહીં તે પરિણામ આવશે તે બાદ જ ખબર પડશે.    



એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.