સ્ક્રીનિંગ કમિટીના સભ્યો રાજસ્થાન વિવાદમાં વ્યસ્ત બનતા અટવાયા ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોના નામ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:16:11

થોડા સમય બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પરંતુ રાજસ્થાનમાં ચાલતા પોલિટિકલ ડ્રામાની સીધી અસર ગુજરાત કોંગ્રેસની કામગીરી પર પડી રહી છે. આ વખતે ઉમેદવારો સાથે ચર્ચા કરી ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરવાના હતા. પરંતુ આ પ્રક્રિયા માટે જે કમિટીની રચના કરવામાં આવી હતી. તે કમિટીના પ્રભારી રાજસ્થાનમાં ચાલતા વિવાદનું નિરાકરણ લાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. 

Congress to conduct screening of its leaders to avoid defections ahead of  Gujarat polls - Elections News


રાજસ્થાનમાં ચાલતા વિવાદને કારણે અટવાયા ઉમેદવારોના નામ 

પહેલી વખત કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરવા સ્ક્રીનિંગ કમિટીની રચના કરી હતી. 1થી 3 ઓક્ટોબર દરમિયાન આ કમિટી ઉમેદવારોના ઈન્ટરવ્યું લેવાની હતી. ઉમેદવારોના નામ મોકવાના હતા. રિપોર્ટ મળ્યા બાદ, જે નામ પર હાઈ કમાન્ડ મોહર લગાવે તેનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવવાનું હતું. પરંતુ રાજસ્થાનમાં ચાલતા વિવાદને કારણે આ પ્રોસેસ અટકી ગઈ ગુજરાત કોંગ્રેસના સિનિયર ચૂંટણી નિરીક્ષક અશોક ગેહલોત અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માને આ પ્રકિયા માટે સમય નથી મળી રહ્યો. તેઓ બંને જણા હાલ રાજસ્થાનમાં ચાલતા ઘમાસાણમાં ફસાઈ ગયા છે. અને વિવાદને શાંત કરવાની કોશિશ કરી રહ્યા છે. સ્ક્રીનીંગ કમિટીના સભ્યો વ્યસ્ત થતા ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોના નામ અટવાયા છે જેને કારણે કોંગ્રેસે હજી મૂરતિયાના નામ જાહેર નથી કર્યા.          

Congress working unitedly under party leadership says Rajasthan Cabinet Min Raghu  Sharma | India News




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.