સ્ક્રીનિંગ કમિટીના સભ્યો રાજસ્થાન વિવાદમાં વ્યસ્ત બનતા અટવાયા ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોના નામ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:16:11

થોડા સમય બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પરંતુ રાજસ્થાનમાં ચાલતા પોલિટિકલ ડ્રામાની સીધી અસર ગુજરાત કોંગ્રેસની કામગીરી પર પડી રહી છે. આ વખતે ઉમેદવારો સાથે ચર્ચા કરી ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરવાના હતા. પરંતુ આ પ્રક્રિયા માટે જે કમિટીની રચના કરવામાં આવી હતી. તે કમિટીના પ્રભારી રાજસ્થાનમાં ચાલતા વિવાદનું નિરાકરણ લાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. 

Congress to conduct screening of its leaders to avoid defections ahead of  Gujarat polls - Elections News


રાજસ્થાનમાં ચાલતા વિવાદને કારણે અટવાયા ઉમેદવારોના નામ 

પહેલી વખત કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરવા સ્ક્રીનિંગ કમિટીની રચના કરી હતી. 1થી 3 ઓક્ટોબર દરમિયાન આ કમિટી ઉમેદવારોના ઈન્ટરવ્યું લેવાની હતી. ઉમેદવારોના નામ મોકવાના હતા. રિપોર્ટ મળ્યા બાદ, જે નામ પર હાઈ કમાન્ડ મોહર લગાવે તેનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવવાનું હતું. પરંતુ રાજસ્થાનમાં ચાલતા વિવાદને કારણે આ પ્રોસેસ અટકી ગઈ ગુજરાત કોંગ્રેસના સિનિયર ચૂંટણી નિરીક્ષક અશોક ગેહલોત અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માને આ પ્રકિયા માટે સમય નથી મળી રહ્યો. તેઓ બંને જણા હાલ રાજસ્થાનમાં ચાલતા ઘમાસાણમાં ફસાઈ ગયા છે. અને વિવાદને શાંત કરવાની કોશિશ કરી રહ્યા છે. સ્ક્રીનીંગ કમિટીના સભ્યો વ્યસ્ત થતા ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોના નામ અટવાયા છે જેને કારણે કોંગ્રેસે હજી મૂરતિયાના નામ જાહેર નથી કર્યા.          

Congress working unitedly under party leadership says Rajasthan Cabinet Min Raghu  Sharma | India News




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે