નંદાસણ ઓવરબ્રિજ બન્યાના માત્ર ચાર વર્ષમાં ધોવાઈ ગયો !


  • Published By :
  • Published Date : 2023-10-13 13:14:11

મહેસાણા - અમદાવાદ હાઇવે સ્થિત નંદાસણ ઓવરબ્રિજ ઉપર બે વર્ષમાં મસમોટા ગાબડાં પડી જતાં વાહનચાલકો પરેશાન થઈ થયા છે. હાઇવે ઓથોરિટીએ ખાડા રિપેર કરવાને બદલે આડશો મૂકી સંતોષ માન્યો છે. 



બે વર્ષમાં જ બ્રિજ પર પડ્યા ગાબડા 

કડીના નંદાસણ ખાતે ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા રાજ્ય  કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવ્યો હતો પણ હાલ અહી કમર તૂટી જાય તેવા મસમોટા ખાડા પડી ગયા છે. ચાર વર્ષ અગાઉ જુલાઈ 2019માં કરોડોના ખર્ચે તૈયાર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેના બે વર્ષ બાદ જ બ્રિજ પર ગાબડાં પડવાનું શરૂ થઈ ગયું હતું. ચાર વર્ષ બાદ અત્યારે બ્રિજ પરનો ડામર ધોવાઈ ગયો છે. 

ખરાબ રસ્તાને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા  

એક માસથી હાઇવે ઓથોરિટીએ બ્રિજ પર આડશો મૂકી જાણે અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. દ્રી ચક્રી વાહન ચાલકોની કમરના મણકા તૂટી ખસી જાય તેવા ગાબડાંઓથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. માઉન્ટ આબુ, રાજસ્થાન તરફના મુખ્ય ધોરી માર્ગ પર 24 કલાક ટ્રાફિક રહેતો હોવા છતાં હાઇવે ઓથોરિટી બ્રિજ રિપેર કરવાનાં બદલે માત્ર તમાશો જોઈ અકસ્માતની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી