નંદાસણ ઓવરબ્રિજ બન્યાના માત્ર ચાર વર્ષમાં ધોવાઈ ગયો !


  • Published By :
  • Published Date : 2023-10-13 13:14:11

મહેસાણા - અમદાવાદ હાઇવે સ્થિત નંદાસણ ઓવરબ્રિજ ઉપર બે વર્ષમાં મસમોટા ગાબડાં પડી જતાં વાહનચાલકો પરેશાન થઈ થયા છે. હાઇવે ઓથોરિટીએ ખાડા રિપેર કરવાને બદલે આડશો મૂકી સંતોષ માન્યો છે. 



બે વર્ષમાં જ બ્રિજ પર પડ્યા ગાબડા 

કડીના નંદાસણ ખાતે ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા રાજ્ય  કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવ્યો હતો પણ હાલ અહી કમર તૂટી જાય તેવા મસમોટા ખાડા પડી ગયા છે. ચાર વર્ષ અગાઉ જુલાઈ 2019માં કરોડોના ખર્ચે તૈયાર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેના બે વર્ષ બાદ જ બ્રિજ પર ગાબડાં પડવાનું શરૂ થઈ ગયું હતું. ચાર વર્ષ બાદ અત્યારે બ્રિજ પરનો ડામર ધોવાઈ ગયો છે. 

ખરાબ રસ્તાને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા  

એક માસથી હાઇવે ઓથોરિટીએ બ્રિજ પર આડશો મૂકી જાણે અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. દ્રી ચક્રી વાહન ચાલકોની કમરના મણકા તૂટી ખસી જાય તેવા ગાબડાંઓથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. માઉન્ટ આબુ, રાજસ્થાન તરફના મુખ્ય ધોરી માર્ગ પર 24 કલાક ટ્રાફિક રહેતો હોવા છતાં હાઇવે ઓથોરિટી બ્રિજ રિપેર કરવાનાં બદલે માત્ર તમાશો જોઈ અકસ્માતની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.