નંદાસણ ઓવરબ્રિજ બન્યાના માત્ર ચાર વર્ષમાં ધોવાઈ ગયો !


  • Published By :
  • Published Date : 2023-10-13 13:14:11

મહેસાણા - અમદાવાદ હાઇવે સ્થિત નંદાસણ ઓવરબ્રિજ ઉપર બે વર્ષમાં મસમોટા ગાબડાં પડી જતાં વાહનચાલકો પરેશાન થઈ થયા છે. હાઇવે ઓથોરિટીએ ખાડા રિપેર કરવાને બદલે આડશો મૂકી સંતોષ માન્યો છે. 



બે વર્ષમાં જ બ્રિજ પર પડ્યા ગાબડા 

કડીના નંદાસણ ખાતે ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા રાજ્ય  કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવ્યો હતો પણ હાલ અહી કમર તૂટી જાય તેવા મસમોટા ખાડા પડી ગયા છે. ચાર વર્ષ અગાઉ જુલાઈ 2019માં કરોડોના ખર્ચે તૈયાર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેના બે વર્ષ બાદ જ બ્રિજ પર ગાબડાં પડવાનું શરૂ થઈ ગયું હતું. ચાર વર્ષ બાદ અત્યારે બ્રિજ પરનો ડામર ધોવાઈ ગયો છે. 

ખરાબ રસ્તાને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા  

એક માસથી હાઇવે ઓથોરિટીએ બ્રિજ પર આડશો મૂકી જાણે અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. દ્રી ચક્રી વાહન ચાલકોની કમરના મણકા તૂટી ખસી જાય તેવા ગાબડાંઓથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. માઉન્ટ આબુ, રાજસ્થાન તરફના મુખ્ય ધોરી માર્ગ પર 24 કલાક ટ્રાફિક રહેતો હોવા છતાં હાઇવે ઓથોરિટી બ્રિજ રિપેર કરવાનાં બદલે માત્ર તમાશો જોઈ અકસ્માતની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.