નવું સંસદ ભવન ભારતનું કે ઇન્ડિયાનું? કેન્દ્ર સરકારે આપ્યો જવાબ! જાણો વિગત


  • Published By : Admin
  • Published Date : 2023-09-19 16:03:48

દેશમાં થોડા સમયથી એક મુદ્દાને લઈ ચર્ચા થઈ રહી છે તે દેશનું નામ ભારત કે ઈન્ડિયા? નવા સંસદ ભવનમાં વિશેષ સત્રની કાર્યવાહી થઈ રહી છે. આ બધા વચ્ચે લોકસભા સચિવાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે Parliament House of India અને હિન્દીમાં લખવામાં આવ્યું છે કે ભારતનું સંસદ ભવન. સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપવામાં આવી છે. 

'ભારત' નામ આમંત્રણ પત્રિકા પર લખાતા ગરમાયું હતું રાજકારણ

જી-20 સમિટના આધિકારીક ડિનરના નિમંત્રણ પત્રમાં પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાની બદલીમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. આ વાત સામે આવતા રાજકારણ ગરમાયું હતું. સત્તાધારી પાર્ટી એટલે કે ભાજપ દેશનું નામ બદલી દેવા માગે છે તેવા આક્ષેપ વિપક્ષી પાર્ટીઓ દ્વારા લગાવામાં આવ્યા હતા. ત્યારે હાલ દેશને નવું સંસદ ભવન મળ્યું છે. આ મામલે અનેક નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. વિપક્ષી પાર્ટીના નેતાઓ કહી રહ્યા હતા કે તેમના ગઠબંધન INDIAને કારણે કેન્દ્ર સરકાર આ પગલું લઈ રહી છે. તો કોઈએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગઠબંધનથી ડરી ગઈ છે. રાહુલ ગાંધીએ પણ આ મામલે નિવેદન આપ્યું હતું. 


આમંત્રણ પત્રિકા સામે આવતા અનેક નેતાઓએ આપી હતી પ્રતિક્રિયા 

કોંગ્રેસના સોશિયલ મીડિયા ચેરપર્સન સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે "મોદીજી, જેમનું હૃદય આ દેશ માટે ધબકે છે, તેમનો અંતરાત્મા ભારત માટે, ભારત માટે, ભારત માટે છે. તમે આ વાસ્તવિકતાને ન તો સમજી શકો છો અને ન બદલી શકો છો. કારણ કે તમે એક ડરેલા પાગલ સરમુખત્યાર સાથે વાત કરી રહ્યા છો. હવે ઘણા બાકી નથી." વધુમાં તેમણે કહ્યું કે "અમે જાણતા હતા કે તેઓ ભારતથી ડરે છે, પરંતુ તેમને એટલી નફરત છે કે તેઓ દેશનું નામ બદલવા લાગશે, આ તેમનો ડર છે. હવે સત્તા ગુમાવનાર નિષ્ફળ સરમુખત્યારનો સંઘર્ષ જોઈને દયા આવે છે." તે ઉપરાંત બિહારના ડે. સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ પ્રતિક્રિયા આપી હતી. "ભારત માટે વોટ કરો, મેક ઇન ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા, શાઈનિંગ ઈન્ડિયા...અહી સુધી કે આધાર અને પાસપોર્ટ પર પણ ઈન્ડિયાનો ઉલ્લેખ છે. બંધારણમાં 'વી ધ પીપલ ઓફ ઈન્ડિયા'નો ઉલ્લેખ છે."



અરવિંદ કેજરીવાલે કર્યો હતો કટાક્ષ 

તે સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે "જો અમુક પક્ષોનું ગઠબંધન ભારત બનશે તો શું તેઓ દેશનું નામ બદલી દેશે? દેશ 140 કરોડ લોકોનો છે, કોઈ પક્ષનો નથી. ધારો કે અમુક પક્ષોનું ગઠબંધન તેનું નામ ભારત રાખશે તો શું તેનું નામ બદલાશે? ભારતનું? શું તેઓ નામ બદલીને ભાજપ રાખશે? શું આ મજાક છે? ભાજપને ડર છે કે તેમના મતોની સંખ્યા ઘટી જશે, તેથી તેઓ નામ બદલી રહ્યા છે."

     

દેશનું નામ બદલી દેવાશે તેની થઈ રહી હતી ચર્ચા!

મહત્વનું છે કેન્દ્ર સરકારે વિશેષ સત્ર બોલાવ્યું છે. સત્રની જાહેરાત તો થઈ ગઈ પરંતુ તે સત્રમાં કયા વિષયો પર ચર્ચા થશે તેની માહિતી આપવામાં આવી ન હતી. જેને લઈ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આ વિશેષ સત્રમાં દેશનું નામ બદલવા માટે બિલ રજૂ થઈ શકે છે. પરંતુ આ નોટિફિકેશન બહાર આવતા સરકારે જાણે નામના વિવાદ પર પૂર્ણવિરામ મૂકી દીધો હોય તેવું લાગી રહ્યું છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.