નવું સંસદ ભવન ભારતનું કે ઇન્ડિયાનું? કેન્દ્ર સરકારે આપ્યો જવાબ! જાણો વિગત


  • Published By : Admin
  • Published Date : 2023-09-19 16:03:48

દેશમાં થોડા સમયથી એક મુદ્દાને લઈ ચર્ચા થઈ રહી છે તે દેશનું નામ ભારત કે ઈન્ડિયા? નવા સંસદ ભવનમાં વિશેષ સત્રની કાર્યવાહી થઈ રહી છે. આ બધા વચ્ચે લોકસભા સચિવાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે Parliament House of India અને હિન્દીમાં લખવામાં આવ્યું છે કે ભારતનું સંસદ ભવન. સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપવામાં આવી છે. 

'ભારત' નામ આમંત્રણ પત્રિકા પર લખાતા ગરમાયું હતું રાજકારણ

જી-20 સમિટના આધિકારીક ડિનરના નિમંત્રણ પત્રમાં પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાની બદલીમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. આ વાત સામે આવતા રાજકારણ ગરમાયું હતું. સત્તાધારી પાર્ટી એટલે કે ભાજપ દેશનું નામ બદલી દેવા માગે છે તેવા આક્ષેપ વિપક્ષી પાર્ટીઓ દ્વારા લગાવામાં આવ્યા હતા. ત્યારે હાલ દેશને નવું સંસદ ભવન મળ્યું છે. આ મામલે અનેક નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. વિપક્ષી પાર્ટીના નેતાઓ કહી રહ્યા હતા કે તેમના ગઠબંધન INDIAને કારણે કેન્દ્ર સરકાર આ પગલું લઈ રહી છે. તો કોઈએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગઠબંધનથી ડરી ગઈ છે. રાહુલ ગાંધીએ પણ આ મામલે નિવેદન આપ્યું હતું. 


આમંત્રણ પત્રિકા સામે આવતા અનેક નેતાઓએ આપી હતી પ્રતિક્રિયા 

કોંગ્રેસના સોશિયલ મીડિયા ચેરપર્સન સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે "મોદીજી, જેમનું હૃદય આ દેશ માટે ધબકે છે, તેમનો અંતરાત્મા ભારત માટે, ભારત માટે, ભારત માટે છે. તમે આ વાસ્તવિકતાને ન તો સમજી શકો છો અને ન બદલી શકો છો. કારણ કે તમે એક ડરેલા પાગલ સરમુખત્યાર સાથે વાત કરી રહ્યા છો. હવે ઘણા બાકી નથી." વધુમાં તેમણે કહ્યું કે "અમે જાણતા હતા કે તેઓ ભારતથી ડરે છે, પરંતુ તેમને એટલી નફરત છે કે તેઓ દેશનું નામ બદલવા લાગશે, આ તેમનો ડર છે. હવે સત્તા ગુમાવનાર નિષ્ફળ સરમુખત્યારનો સંઘર્ષ જોઈને દયા આવે છે." તે ઉપરાંત બિહારના ડે. સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ પ્રતિક્રિયા આપી હતી. "ભારત માટે વોટ કરો, મેક ઇન ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા, શાઈનિંગ ઈન્ડિયા...અહી સુધી કે આધાર અને પાસપોર્ટ પર પણ ઈન્ડિયાનો ઉલ્લેખ છે. બંધારણમાં 'વી ધ પીપલ ઓફ ઈન્ડિયા'નો ઉલ્લેખ છે."



અરવિંદ કેજરીવાલે કર્યો હતો કટાક્ષ 

તે સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે "જો અમુક પક્ષોનું ગઠબંધન ભારત બનશે તો શું તેઓ દેશનું નામ બદલી દેશે? દેશ 140 કરોડ લોકોનો છે, કોઈ પક્ષનો નથી. ધારો કે અમુક પક્ષોનું ગઠબંધન તેનું નામ ભારત રાખશે તો શું તેનું નામ બદલાશે? ભારતનું? શું તેઓ નામ બદલીને ભાજપ રાખશે? શું આ મજાક છે? ભાજપને ડર છે કે તેમના મતોની સંખ્યા ઘટી જશે, તેથી તેઓ નામ બદલી રહ્યા છે."

     

દેશનું નામ બદલી દેવાશે તેની થઈ રહી હતી ચર્ચા!

મહત્વનું છે કેન્દ્ર સરકારે વિશેષ સત્ર બોલાવ્યું છે. સત્રની જાહેરાત તો થઈ ગઈ પરંતુ તે સત્રમાં કયા વિષયો પર ચર્ચા થશે તેની માહિતી આપવામાં આવી ન હતી. જેને લઈ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આ વિશેષ સત્રમાં દેશનું નામ બદલવા માટે બિલ રજૂ થઈ શકે છે. પરંતુ આ નોટિફિકેશન બહાર આવતા સરકારે જાણે નામના વિવાદ પર પૂર્ણવિરામ મૂકી દીધો હોય તેવું લાગી રહ્યું છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.