Ahmedabadની આ શાળાથી સામે આવ્યા સમાચાર જેણે બધાના રૂંવાડા ઉભા કરી દીધા! પાંચ વર્ષના બાળક પર શિક્ષકે ઉપાડ્યો હાથ!


  • Published By :
  • Published Date : 2023-08-19 13:33:43

બાળક શાળામાં ઘર જેટલો સમય વિતાવતા હોય છે. શાળામાં બાળકના ભવિષ્યનું ઘડતર થાય છે. ગુરૂને બીજી માનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ અનેક વખત શાળાઓથી અનેક વખત એવા કિસ્સાઓ  સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓ પર જુલમ કરવામાં આવતો હોય છે. નાના ફૂલ જેવા બાળકોને માર મારવામાં આવતો હોય છે. ત્યારે અમદાવાદની એક શાળાથી કિસ્સો સામે આવ્યો છે જેમાં 5 વર્ષના બાળક પર શિક્ષકે હાથ ઉપાડ્યો છે. વિદ્યાર્થીના માતા-પિતાનો આક્ષેપ છે કે શિક્ષકે બાળકને એટલા માટે માર્યું કે તેને વાંચતા નતું આવડતું! એવી પણ માહિતી સામે આવી છે જેમાં બાળકના શરીર પર ઈજાઓ જોવા મળી છે.   

 


બાળકને માર માર્યા હોવાનો વાલીઓનો આક્ષેપ  

અમે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે ઘટના અમદાવાદના ચાંદલોડિયામાં આવેલી શાળાની છે. શક્તિ વિદ્યાલયમાં સિનિયર કે.જીમાં ભણતા પાંચ વર્ષના બાળક પર શિક્ષકે હાથ ઉપાડ્યો છે. માતા પિતાનો એવો આક્ષેપ છે કે બાળકને શિક્ષકે માર્યો છે, બાળકના શરીર પર પણ ઈજાઓ દેખાય છે. મહત્વનું છે કે આ અંગેની જાણ થતાં શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવશે તેવી જાણકારી સામે આવી રહી છે. 



શિક્ષક દ્વારા મારવામાં આવેલો માર બન્યો ચર્ચાનો વિષય     

એક તરફ શિક્ષકોના એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને ભણવામાં રૂચિ જાગે તેવી રીતે ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. સરળ રીતે, અનોખા અંદાજમાં વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે તો બીજા તરફ આવા શિક્ષકો પણ હોય છે જે બાળકો પર હાથ ઉપાડતા હોય છે. સત્ય શું છે તે તો આવનાર દિવસોમાં સામે આવશે પરંતુ શિક્ષકે નાના બાળક પર હાથ ઉપાડ્યો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. માની પણ લઈએ કે બાળકે કોઈ ભૂલ કરી હશે, પરંતુ બાળક પર અત્યાચાર કરવો, બાળકને માર મારવાનો અધિકાર કોઈને નથી.. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.