રીબડામાં બુધવારે મોડી સાંજે બે જૂથ વચ્ચે બબાલ થઈ હોવાના સમાચાર વાયરલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-22 12:13:05

રીબડા નજીક બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલીના વિડીયો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પટેલ અને ક્ષત્રિય સમાજના યુવાનો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા અને ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ વાતની જાણ રાજકોટ પોલીસને થતા SP અને DYSP સહિતનો મોટો પોલીસ કાફલો ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો. અને એકઠા થયેલા લોકોને વિખેરી મામલો શાંત પાડ્યો હતો. તો બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસે જણાવ્યું કે સોશિયલ મીડિયા ઉપર રીબડા ગામે મોટી માથાકૂટ થયાના મેસેજ વાયરલ થયો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી જણાવામાં આવી રહ્યું છે કે મેસેજ વાયરલ થતાં રીબડા ચોકડીએ અમુક માણસો ભેગા થયા હતા. કોઈ અનિચ્છનિય બનાવ નથી બન્યો.


અનિરૂદ્ધસિંહ તેમજ જયરાજસિંહે આપી પ્રતિક્રિયા 

આ ઘટનાને લઈ અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમજ પણ જયરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે સાંજે 7:00 વાગ્યે રીબડા ખાતે મહા સંમેલન યોજવામાં આવ્યું હતું. અને તેમણે કહ્યું હતું કે તેમની સાથે રમેશભાઈ ટિલાલા પણ જોડાશે. તેમણે કહ્યું કે રીબડાના શખ્સો દ્વારા જે પણ કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ કડકમાં કડક પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉપરાંત અનિરૂદ્ધસિંહ જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી હતી કે માજી ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા મારા પરિવારને બદનામ કરવાનું કાવતરૂ કરવામાં આવ્યું છે. 


શું હતો સમગ્ર મામલો 

ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી વખતે જોરદાર ગરમાયો હતો. ત્યારબાદ જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જૂથ વચ્ચે સમાધાન થયું હતું. તમને જણાવી દઈએ કે, રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ છે. ચૂંટણી સમય બંન્ને ક્ષત્રિય જૂથ વચ્ચે તંજ ખેચાયા હતા પરંતુ જે બાદ જયરાજસિંહ અને સહદેવસિંહના વલણ ધીમા પડતા એકબીજાનું સમાધાન થયું હતું. તેમના સમાધાન બાદ ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન થયું હતું. ચૂંટણીના પરિણામ બાદ જયરાજસિંહ જૂથે અને સહદેવસિંહ જૂથે એકબીજા સાથે સમાધાન કરી લીધું હતું. આ સમાધાનથી રિબડા જૂથને પણ મોટો ફટકો પડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.



રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર અનેક કવિતાઓ શેર કરી. રાજકોટનું રણમેદાન ટાઈટલ સાથે તેમણે કવિતાઓ શેર કરી છે જેમાં તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે.

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. લોકસભા ચૂંટણીને કારણે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાાં આવશે. આ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગીના સચિવ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી છે...

પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાતાઓ પાસેથી પૈસાની માગણી કરી છે. વોટની સાથે નોટની અપીલ લલિત વસોયાએ કરી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો છે જેમાં તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે તો ભાજપ પણ પોતાની વાત પર મક્કમ છે. આ બધા વચ્ચે રાજકોટમાં ભાજપના મધ્યસ્થી કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે.. તે સિવાય તાપીમાં પણ વિરોધ થયો છે.