રીબડામાં બુધવારે મોડી સાંજે બે જૂથ વચ્ચે બબાલ થઈ હોવાના સમાચાર વાયરલ


  • Published By :
  • Published Date : 2022-12-22 12:13:05

રીબડા નજીક બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલીના વિડીયો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પટેલ અને ક્ષત્રિય સમાજના યુવાનો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા અને ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ વાતની જાણ રાજકોટ પોલીસને થતા SP અને DYSP સહિતનો મોટો પોલીસ કાફલો ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો. અને એકઠા થયેલા લોકોને વિખેરી મામલો શાંત પાડ્યો હતો. તો બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસે જણાવ્યું કે સોશિયલ મીડિયા ઉપર રીબડા ગામે મોટી માથાકૂટ થયાના મેસેજ વાયરલ થયો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી જણાવામાં આવી રહ્યું છે કે મેસેજ વાયરલ થતાં રીબડા ચોકડીએ અમુક માણસો ભેગા થયા હતા. કોઈ અનિચ્છનિય બનાવ નથી બન્યો.


અનિરૂદ્ધસિંહ તેમજ જયરાજસિંહે આપી પ્રતિક્રિયા 

આ ઘટનાને લઈ અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમજ પણ જયરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે સાંજે 7:00 વાગ્યે રીબડા ખાતે મહા સંમેલન યોજવામાં આવ્યું હતું. અને તેમણે કહ્યું હતું કે તેમની સાથે રમેશભાઈ ટિલાલા પણ જોડાશે. તેમણે કહ્યું કે રીબડાના શખ્સો દ્વારા જે પણ કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ કડકમાં કડક પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉપરાંત અનિરૂદ્ધસિંહ જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી હતી કે માજી ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા મારા પરિવારને બદનામ કરવાનું કાવતરૂ કરવામાં આવ્યું છે. 


શું હતો સમગ્ર મામલો 

ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી વખતે જોરદાર ગરમાયો હતો. ત્યારબાદ જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જૂથ વચ્ચે સમાધાન થયું હતું. તમને જણાવી દઈએ કે, રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ છે. ચૂંટણી સમય બંન્ને ક્ષત્રિય જૂથ વચ્ચે તંજ ખેચાયા હતા પરંતુ જે બાદ જયરાજસિંહ અને સહદેવસિંહના વલણ ધીમા પડતા એકબીજાનું સમાધાન થયું હતું. તેમના સમાધાન બાદ ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન થયું હતું. ચૂંટણીના પરિણામ બાદ જયરાજસિંહ જૂથે અને સહદેવસિંહ જૂથે એકબીજા સાથે સમાધાન કરી લીધું હતું. આ સમાધાનથી રિબડા જૂથને પણ મોટો ફટકો પડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.