રીબડામાં બુધવારે મોડી સાંજે બે જૂથ વચ્ચે બબાલ થઈ હોવાના સમાચાર વાયરલ


  • Published By :
  • Published Date : 2022-12-22 12:13:05

રીબડા નજીક બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલીના વિડીયો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પટેલ અને ક્ષત્રિય સમાજના યુવાનો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા અને ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ વાતની જાણ રાજકોટ પોલીસને થતા SP અને DYSP સહિતનો મોટો પોલીસ કાફલો ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો. અને એકઠા થયેલા લોકોને વિખેરી મામલો શાંત પાડ્યો હતો. તો બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસે જણાવ્યું કે સોશિયલ મીડિયા ઉપર રીબડા ગામે મોટી માથાકૂટ થયાના મેસેજ વાયરલ થયો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી જણાવામાં આવી રહ્યું છે કે મેસેજ વાયરલ થતાં રીબડા ચોકડીએ અમુક માણસો ભેગા થયા હતા. કોઈ અનિચ્છનિય બનાવ નથી બન્યો.


અનિરૂદ્ધસિંહ તેમજ જયરાજસિંહે આપી પ્રતિક્રિયા 

આ ઘટનાને લઈ અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમજ પણ જયરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે સાંજે 7:00 વાગ્યે રીબડા ખાતે મહા સંમેલન યોજવામાં આવ્યું હતું. અને તેમણે કહ્યું હતું કે તેમની સાથે રમેશભાઈ ટિલાલા પણ જોડાશે. તેમણે કહ્યું કે રીબડાના શખ્સો દ્વારા જે પણ કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ કડકમાં કડક પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉપરાંત અનિરૂદ્ધસિંહ જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી હતી કે માજી ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા મારા પરિવારને બદનામ કરવાનું કાવતરૂ કરવામાં આવ્યું છે. 


શું હતો સમગ્ર મામલો 

ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી વખતે જોરદાર ગરમાયો હતો. ત્યારબાદ જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જૂથ વચ્ચે સમાધાન થયું હતું. તમને જણાવી દઈએ કે, રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ છે. ચૂંટણી સમય બંન્ને ક્ષત્રિય જૂથ વચ્ચે તંજ ખેચાયા હતા પરંતુ જે બાદ જયરાજસિંહ અને સહદેવસિંહના વલણ ધીમા પડતા એકબીજાનું સમાધાન થયું હતું. તેમના સમાધાન બાદ ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન થયું હતું. ચૂંટણીના પરિણામ બાદ જયરાજસિંહ જૂથે અને સહદેવસિંહ જૂથે એકબીજા સાથે સમાધાન કરી લીધું હતું. આ સમાધાનથી રિબડા જૂથને પણ મોટો ફટકો પડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.