અમેરિકા જવાના અભરખા ભારે પડ્યા, કબૂતરબાજોએ ખેડૂતની ટોપી ઉડાવી !


  • Published By :
  • Published Date : 2023-09-25 16:48:21

ગુજરાતમાં અનેક એવા લોકો હશે જે વિદેશ જવાની ઈચ્છા રાખતા હોય છે અને આ જ વિદેશ જવાની ઈચ્છા તેમને કોઈક દિવસ તેમને મોંઘી પણ પડતી હોય છે અનેક વખત લોકો વિદેશ જવાની લાલચમાં આવી અને લાખો રૂપિયા ગુમાવતા હોય છે ત્યારે આવી જ કઈક ઘટના મહેસાણાના ખેરાલુમાં બની છે.50 લાખમાં અમેરિકા મોકલવાની લાલચ આપી કબૂતરબાજોએ 5 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો મામલો સામે આવ્યો છે વિદેશ જવાની ઈચ્છા રાખતા લોકો માટે વધુ એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે 

મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના અમરપરા ચાડા ખાતે રહેતા ખેડૂતને બે કબૂતરબાજોએ છેતરી નાખ્યો. અમેરિકા જવાની લાલચમાં ખેતીકામ અને પશુપાલન કરતા પિયુષ ભાઈ ચૌધરીને પાંચ લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો છે જેની ફરિયાદ ખેરાલુ પોલીસ મથકે આવી છે 


કબૂતરબાજોએ વિશ્વાસઘાત કર્યો 

સોના ચાંદીનો વ્યાપર કરતા સોની ભાવેશ હસમુખભાઈ નામનો વ્યાપરી પાસેથી પિયુષ ચૌધરી  દાગીના અનેકવાર લેવા જતા હોવાથી દુકાનદાર અને ખેડૂત યુવક વચ્ચે વિશ્વાસના ગાઢ સંબંધ બંધાયા હતા.બાદમાં સોની ભાવેશે વિદેશ જવાનું હોય તો કહેજો હું કરાવી આપીશ એમ કહી ફરિયાદી સાથે વાત કરતા ફરિયાદી એ વિદેશ જવાની તૈયારી બતાવી હતી.એ દરમિયાન સોની ભાવેશ ફરિયાદીને કહ્યું કે વડગામ ખાતે રહેતો મારો સંબંધી સોની મનીષ નરોત્તમભાઈ વિદેશ જવા માટે પાસપોર્ટ વિઝા તૈયાર કરી આપી ત્રણ વર્ષ માટે મોકલી આપશે તેવી બાંહેધરી સોની ભાવેશ ફરિયાદી ને આપી હતી.


પહેલા 10 લાખ અને અમેરિકા ઉતર્યા પછી 40 લાખ 

મહેસાણા આસપાસ આવા છેતરપિંડીના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવી રહ્યા છે છતાં વિદેશ જવાનો મોહ ગુજરાતીઓને છૂટતો ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેમાં ફરીએકવાર વિદેશ જવાનો મોહ ખેડૂતને ભારે પડ્યો છે ખેડૂત અને કબૂતરબાજો વચ્ચે અમેરિકા જવા માટે 50 લાખમાં સોદો થયો હતો જેમાં 10 લાખ રૂપિયા એડવાન્સ અને 40 લાખ રૂપિયા અમેરિકા ઉતર્યા પછી આપવાના હતા 


તાત્કાલિક પાસપોર્ટ કાઢી આપવાની લાલચ આપી પિયુષ ભાઈને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા અને વાયદાઓ કરવામાં આવ્યા હતા કે પાસપોર્ટ આવી જાય પછી તમને તરત ટિકિટ આપી દઈશું પરંતુ જેમ જેમ સમય આગળ વધ્યો તેમ બંને કબુતરીબાજો દ્વારા પિયુષ ભાઈને સરખો જવાબ ન મળતા પિયુષ ભાઈને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો જેની ફરિયાદ પિયુષ ભાઈ દ્વારા ખેરાલુ પોલીસ મથકે આપવામાં આવી જોકે આ બધી બાબતે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.