અમેરિકા જવાના અભરખા ભારે પડ્યા, કબૂતરબાજોએ ખેડૂતની ટોપી ઉડાવી !


  • Published By :
  • Published Date : 2023-09-25 16:48:21

ગુજરાતમાં અનેક એવા લોકો હશે જે વિદેશ જવાની ઈચ્છા રાખતા હોય છે અને આ જ વિદેશ જવાની ઈચ્છા તેમને કોઈક દિવસ તેમને મોંઘી પણ પડતી હોય છે અનેક વખત લોકો વિદેશ જવાની લાલચમાં આવી અને લાખો રૂપિયા ગુમાવતા હોય છે ત્યારે આવી જ કઈક ઘટના મહેસાણાના ખેરાલુમાં બની છે.50 લાખમાં અમેરિકા મોકલવાની લાલચ આપી કબૂતરબાજોએ 5 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો મામલો સામે આવ્યો છે વિદેશ જવાની ઈચ્છા રાખતા લોકો માટે વધુ એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે 

મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના અમરપરા ચાડા ખાતે રહેતા ખેડૂતને બે કબૂતરબાજોએ છેતરી નાખ્યો. અમેરિકા જવાની લાલચમાં ખેતીકામ અને પશુપાલન કરતા પિયુષ ભાઈ ચૌધરીને પાંચ લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો છે જેની ફરિયાદ ખેરાલુ પોલીસ મથકે આવી છે 


કબૂતરબાજોએ વિશ્વાસઘાત કર્યો 

સોના ચાંદીનો વ્યાપર કરતા સોની ભાવેશ હસમુખભાઈ નામનો વ્યાપરી પાસેથી પિયુષ ચૌધરી  દાગીના અનેકવાર લેવા જતા હોવાથી દુકાનદાર અને ખેડૂત યુવક વચ્ચે વિશ્વાસના ગાઢ સંબંધ બંધાયા હતા.બાદમાં સોની ભાવેશે વિદેશ જવાનું હોય તો કહેજો હું કરાવી આપીશ એમ કહી ફરિયાદી સાથે વાત કરતા ફરિયાદી એ વિદેશ જવાની તૈયારી બતાવી હતી.એ દરમિયાન સોની ભાવેશ ફરિયાદીને કહ્યું કે વડગામ ખાતે રહેતો મારો સંબંધી સોની મનીષ નરોત્તમભાઈ વિદેશ જવા માટે પાસપોર્ટ વિઝા તૈયાર કરી આપી ત્રણ વર્ષ માટે મોકલી આપશે તેવી બાંહેધરી સોની ભાવેશ ફરિયાદી ને આપી હતી.


પહેલા 10 લાખ અને અમેરિકા ઉતર્યા પછી 40 લાખ 

મહેસાણા આસપાસ આવા છેતરપિંડીના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવી રહ્યા છે છતાં વિદેશ જવાનો મોહ ગુજરાતીઓને છૂટતો ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેમાં ફરીએકવાર વિદેશ જવાનો મોહ ખેડૂતને ભારે પડ્યો છે ખેડૂત અને કબૂતરબાજો વચ્ચે અમેરિકા જવા માટે 50 લાખમાં સોદો થયો હતો જેમાં 10 લાખ રૂપિયા એડવાન્સ અને 40 લાખ રૂપિયા અમેરિકા ઉતર્યા પછી આપવાના હતા 


તાત્કાલિક પાસપોર્ટ કાઢી આપવાની લાલચ આપી પિયુષ ભાઈને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા અને વાયદાઓ કરવામાં આવ્યા હતા કે પાસપોર્ટ આવી જાય પછી તમને તરત ટિકિટ આપી દઈશું પરંતુ જેમ જેમ સમય આગળ વધ્યો તેમ બંને કબુતરીબાજો દ્વારા પિયુષ ભાઈને સરખો જવાબ ન મળતા પિયુષ ભાઈને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો જેની ફરિયાદ પિયુષ ભાઈ દ્વારા ખેરાલુ પોલીસ મથકે આપવામાં આવી જોકે આ બધી બાબતે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.