12 લાખની ગાડી માટે મનપસંદ નંબર લેવા માટે માલિકે લગાવી 18 લાખની બોલી! પરંતુ તે બાદ થયું એવું કે... જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-05 17:12:25

મનપસંદ નંબર લેવા આરટીઓમાં હરાજી બોલાતી હોય છે. ત્યારે કચ્છ આરટીઓમાં મનપસંદ નંબર માટેની હરાજી બોલાઈ હતી. પ્રિમિયમ નંબર 9 લેવા માટે બાર લાખની કારના માલિકે 18 લાખની બોલી બોલાવી હતી. જેને લઈ સૌ કોઈ વિચારમાં પડ્યા હતા. આ વાતની ચર્ચા સમગ્ર કચ્છમાં થઈ હતી. પરંતુ આ વાતને હજી થોડો સમય પણ નથી વિત્યો ન હતો ને કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો. 18 લાખની બોલી બોલનારે કહ્યું કે તેણે 18 લાખ માટેની બોલી લગાવી જ નથી. 


9 નંબર માટે જોવા મળ્યો હતો ક્રેઝ 

નવી ગાડીમાં લકી નંબર વાળી નંબર પ્લેટ લગાવવાનો કેઝ વધી રહ્યો છે. નંબર પ્લેટ માટે આરટીઓમાં હરાજી બોલવામાં આવતી હોય છે. ત્યારે કચ્છમાં પોતાની પસંદગીનો નંબર લેવા કાર માલિકે 18 લાખની બોલી લગાવી હતી. ભૂજ આરટીઓ કચેરીમાં વેહિકલ રજીસ્ટ્રેશન માટે ખુલેલી નવી સિરિઝમાં એક વ્યક્તિએ 9 નંબર માટે 18.45 લાખની બોલી લગાવી હતી. પરંતુ મહત્વની વાત છે કે જે ગાડી માટે 18 લાખ ખર્ચવામાં આવ્યા છે તે ગાડીની કિંમત 12 લાખની છે. નવી સિરિઝ GJ12 FD ખુલતા લોકોએ ફેન્સી નંબર માટે પડાપડી કરી હતી. આ સિરિઝમાં નવડો હોટ ફેવરીટ રહ્યો હતો.


પ્રતિષ્ઠિત વ્યક્તિને નંબર ન મળે તે માટે રમત રમાઈ!                

પરંતુ ટ્વિસ્ટ તો કહાનીમાં હવે આવે છે. મળતી માહિતી અનુસાર કચ્છના એક પ્રતિષ્ઠિત વ્યક્તિને નવડો ન મળે તે માટે આ રમત રમાઈ છે. સૂત્રોનું માનીએ તો કચ્છમાં રાપર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના દીકરા જયદીપસિંહ જાડેજાને નવ નંબર લેવો હતો. જયદીપસિંહ જાડેજાએ નવી ગાડી લીધી હતી. પોતાનો મનગમતો નંબર લેવા તેમણે પણ હરાજીમાં ભાગ લીધો હતો.જયદિપસિંહને નંબર ન મળે તે માટે આ રમત રમાઈ છે તેવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી રહી છે. હરાજીમાં તેમનો બીજો નંબર હતો. પરંતુ આ મામલાને 24 કલાક પૂર્ણ થાય તે પહેલા જ કારના માલિકે કહ્યું કે તેમણે 18 લાખની બોલી લગાવી જ નથી.  


બેઝ રકમ જપ્ત કરાશે!

આ અંગે ઈન્ચાર્જ આરટીઓએ જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ તેમના લોગીન આઈડીમાંથી જ નંબર ઓક્શનમાં ભાગ લઈ શકે છે. એટલે બોલી લગાવનાર એમ છટકી શકે નહી. આ પ્રકારના કેસમાં જો બોલી કરનાર વ્યક્તિ હરાજીની રકમ ન ભારે તો તેની બેઝ રકમ જપ્ત કરી લેવામાં આવે છે.           


               



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.