12 લાખની ગાડી માટે મનપસંદ નંબર લેવા માટે માલિકે લગાવી 18 લાખની બોલી! પરંતુ તે બાદ થયું એવું કે... જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-05 17:12:25

મનપસંદ નંબર લેવા આરટીઓમાં હરાજી બોલાતી હોય છે. ત્યારે કચ્છ આરટીઓમાં મનપસંદ નંબર માટેની હરાજી બોલાઈ હતી. પ્રિમિયમ નંબર 9 લેવા માટે બાર લાખની કારના માલિકે 18 લાખની બોલી બોલાવી હતી. જેને લઈ સૌ કોઈ વિચારમાં પડ્યા હતા. આ વાતની ચર્ચા સમગ્ર કચ્છમાં થઈ હતી. પરંતુ આ વાતને હજી થોડો સમય પણ નથી વિત્યો ન હતો ને કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો. 18 લાખની બોલી બોલનારે કહ્યું કે તેણે 18 લાખ માટેની બોલી લગાવી જ નથી. 


9 નંબર માટે જોવા મળ્યો હતો ક્રેઝ 

નવી ગાડીમાં લકી નંબર વાળી નંબર પ્લેટ લગાવવાનો કેઝ વધી રહ્યો છે. નંબર પ્લેટ માટે આરટીઓમાં હરાજી બોલવામાં આવતી હોય છે. ત્યારે કચ્છમાં પોતાની પસંદગીનો નંબર લેવા કાર માલિકે 18 લાખની બોલી લગાવી હતી. ભૂજ આરટીઓ કચેરીમાં વેહિકલ રજીસ્ટ્રેશન માટે ખુલેલી નવી સિરિઝમાં એક વ્યક્તિએ 9 નંબર માટે 18.45 લાખની બોલી લગાવી હતી. પરંતુ મહત્વની વાત છે કે જે ગાડી માટે 18 લાખ ખર્ચવામાં આવ્યા છે તે ગાડીની કિંમત 12 લાખની છે. નવી સિરિઝ GJ12 FD ખુલતા લોકોએ ફેન્સી નંબર માટે પડાપડી કરી હતી. આ સિરિઝમાં નવડો હોટ ફેવરીટ રહ્યો હતો.


પ્રતિષ્ઠિત વ્યક્તિને નંબર ન મળે તે માટે રમત રમાઈ!                

પરંતુ ટ્વિસ્ટ તો કહાનીમાં હવે આવે છે. મળતી માહિતી અનુસાર કચ્છના એક પ્રતિષ્ઠિત વ્યક્તિને નવડો ન મળે તે માટે આ રમત રમાઈ છે. સૂત્રોનું માનીએ તો કચ્છમાં રાપર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના દીકરા જયદીપસિંહ જાડેજાને નવ નંબર લેવો હતો. જયદીપસિંહ જાડેજાએ નવી ગાડી લીધી હતી. પોતાનો મનગમતો નંબર લેવા તેમણે પણ હરાજીમાં ભાગ લીધો હતો.જયદિપસિંહને નંબર ન મળે તે માટે આ રમત રમાઈ છે તેવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી રહી છે. હરાજીમાં તેમનો બીજો નંબર હતો. પરંતુ આ મામલાને 24 કલાક પૂર્ણ થાય તે પહેલા જ કારના માલિકે કહ્યું કે તેમણે 18 લાખની બોલી લગાવી જ નથી.  


બેઝ રકમ જપ્ત કરાશે!

આ અંગે ઈન્ચાર્જ આરટીઓએ જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ તેમના લોગીન આઈડીમાંથી જ નંબર ઓક્શનમાં ભાગ લઈ શકે છે. એટલે બોલી લગાવનાર એમ છટકી શકે નહી. આ પ્રકારના કેસમાં જો બોલી કરનાર વ્યક્તિ હરાજીની રકમ ન ભારે તો તેની બેઝ રકમ જપ્ત કરી લેવામાં આવે છે.           


               



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.