12 લાખની ગાડી માટે મનપસંદ નંબર લેવા માટે માલિકે લગાવી 18 લાખની બોલી! પરંતુ તે બાદ થયું એવું કે... જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-05 17:12:25

મનપસંદ નંબર લેવા આરટીઓમાં હરાજી બોલાતી હોય છે. ત્યારે કચ્છ આરટીઓમાં મનપસંદ નંબર માટેની હરાજી બોલાઈ હતી. પ્રિમિયમ નંબર 9 લેવા માટે બાર લાખની કારના માલિકે 18 લાખની બોલી બોલાવી હતી. જેને લઈ સૌ કોઈ વિચારમાં પડ્યા હતા. આ વાતની ચર્ચા સમગ્ર કચ્છમાં થઈ હતી. પરંતુ આ વાતને હજી થોડો સમય પણ નથી વિત્યો ન હતો ને કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો. 18 લાખની બોલી બોલનારે કહ્યું કે તેણે 18 લાખ માટેની બોલી લગાવી જ નથી. 


9 નંબર માટે જોવા મળ્યો હતો ક્રેઝ 

નવી ગાડીમાં લકી નંબર વાળી નંબર પ્લેટ લગાવવાનો કેઝ વધી રહ્યો છે. નંબર પ્લેટ માટે આરટીઓમાં હરાજી બોલવામાં આવતી હોય છે. ત્યારે કચ્છમાં પોતાની પસંદગીનો નંબર લેવા કાર માલિકે 18 લાખની બોલી લગાવી હતી. ભૂજ આરટીઓ કચેરીમાં વેહિકલ રજીસ્ટ્રેશન માટે ખુલેલી નવી સિરિઝમાં એક વ્યક્તિએ 9 નંબર માટે 18.45 લાખની બોલી લગાવી હતી. પરંતુ મહત્વની વાત છે કે જે ગાડી માટે 18 લાખ ખર્ચવામાં આવ્યા છે તે ગાડીની કિંમત 12 લાખની છે. નવી સિરિઝ GJ12 FD ખુલતા લોકોએ ફેન્સી નંબર માટે પડાપડી કરી હતી. આ સિરિઝમાં નવડો હોટ ફેવરીટ રહ્યો હતો.


પ્રતિષ્ઠિત વ્યક્તિને નંબર ન મળે તે માટે રમત રમાઈ!                

પરંતુ ટ્વિસ્ટ તો કહાનીમાં હવે આવે છે. મળતી માહિતી અનુસાર કચ્છના એક પ્રતિષ્ઠિત વ્યક્તિને નવડો ન મળે તે માટે આ રમત રમાઈ છે. સૂત્રોનું માનીએ તો કચ્છમાં રાપર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના દીકરા જયદીપસિંહ જાડેજાને નવ નંબર લેવો હતો. જયદીપસિંહ જાડેજાએ નવી ગાડી લીધી હતી. પોતાનો મનગમતો નંબર લેવા તેમણે પણ હરાજીમાં ભાગ લીધો હતો.જયદિપસિંહને નંબર ન મળે તે માટે આ રમત રમાઈ છે તેવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી રહી છે. હરાજીમાં તેમનો બીજો નંબર હતો. પરંતુ આ મામલાને 24 કલાક પૂર્ણ થાય તે પહેલા જ કારના માલિકે કહ્યું કે તેમણે 18 લાખની બોલી લગાવી જ નથી.  


બેઝ રકમ જપ્ત કરાશે!

આ અંગે ઈન્ચાર્જ આરટીઓએ જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ તેમના લોગીન આઈડીમાંથી જ નંબર ઓક્શનમાં ભાગ લઈ શકે છે. એટલે બોલી લગાવનાર એમ છટકી શકે નહી. આ પ્રકારના કેસમાં જો બોલી કરનાર વ્યક્તિ હરાજીની રકમ ન ભારે તો તેની બેઝ રકમ જપ્ત કરી લેવામાં આવે છે.           


               



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.