12 લાખની ગાડી માટે મનપસંદ નંબર લેવા માટે માલિકે લગાવી 18 લાખની બોલી! પરંતુ તે બાદ થયું એવું કે... જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-05 17:12:25

મનપસંદ નંબર લેવા આરટીઓમાં હરાજી બોલાતી હોય છે. ત્યારે કચ્છ આરટીઓમાં મનપસંદ નંબર માટેની હરાજી બોલાઈ હતી. પ્રિમિયમ નંબર 9 લેવા માટે બાર લાખની કારના માલિકે 18 લાખની બોલી બોલાવી હતી. જેને લઈ સૌ કોઈ વિચારમાં પડ્યા હતા. આ વાતની ચર્ચા સમગ્ર કચ્છમાં થઈ હતી. પરંતુ આ વાતને હજી થોડો સમય પણ નથી વિત્યો ન હતો ને કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો. 18 લાખની બોલી બોલનારે કહ્યું કે તેણે 18 લાખ માટેની બોલી લગાવી જ નથી. 


9 નંબર માટે જોવા મળ્યો હતો ક્રેઝ 

નવી ગાડીમાં લકી નંબર વાળી નંબર પ્લેટ લગાવવાનો કેઝ વધી રહ્યો છે. નંબર પ્લેટ માટે આરટીઓમાં હરાજી બોલવામાં આવતી હોય છે. ત્યારે કચ્છમાં પોતાની પસંદગીનો નંબર લેવા કાર માલિકે 18 લાખની બોલી લગાવી હતી. ભૂજ આરટીઓ કચેરીમાં વેહિકલ રજીસ્ટ્રેશન માટે ખુલેલી નવી સિરિઝમાં એક વ્યક્તિએ 9 નંબર માટે 18.45 લાખની બોલી લગાવી હતી. પરંતુ મહત્વની વાત છે કે જે ગાડી માટે 18 લાખ ખર્ચવામાં આવ્યા છે તે ગાડીની કિંમત 12 લાખની છે. નવી સિરિઝ GJ12 FD ખુલતા લોકોએ ફેન્સી નંબર માટે પડાપડી કરી હતી. આ સિરિઝમાં નવડો હોટ ફેવરીટ રહ્યો હતો.


પ્રતિષ્ઠિત વ્યક્તિને નંબર ન મળે તે માટે રમત રમાઈ!                

પરંતુ ટ્વિસ્ટ તો કહાનીમાં હવે આવે છે. મળતી માહિતી અનુસાર કચ્છના એક પ્રતિષ્ઠિત વ્યક્તિને નવડો ન મળે તે માટે આ રમત રમાઈ છે. સૂત્રોનું માનીએ તો કચ્છમાં રાપર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના દીકરા જયદીપસિંહ જાડેજાને નવ નંબર લેવો હતો. જયદીપસિંહ જાડેજાએ નવી ગાડી લીધી હતી. પોતાનો મનગમતો નંબર લેવા તેમણે પણ હરાજીમાં ભાગ લીધો હતો.જયદિપસિંહને નંબર ન મળે તે માટે આ રમત રમાઈ છે તેવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી રહી છે. હરાજીમાં તેમનો બીજો નંબર હતો. પરંતુ આ મામલાને 24 કલાક પૂર્ણ થાય તે પહેલા જ કારના માલિકે કહ્યું કે તેમણે 18 લાખની બોલી લગાવી જ નથી.  


બેઝ રકમ જપ્ત કરાશે!

આ અંગે ઈન્ચાર્જ આરટીઓએ જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ તેમના લોગીન આઈડીમાંથી જ નંબર ઓક્શનમાં ભાગ લઈ શકે છે. એટલે બોલી લગાવનાર એમ છટકી શકે નહી. આ પ્રકારના કેસમાં જો બોલી કરનાર વ્યક્તિ હરાજીની રકમ ન ભારે તો તેની બેઝ રકમ જપ્ત કરી લેવામાં આવે છે.           


               



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.