ટિકીટ કપાતા છલકાયું નારણ કાછડિયાનું દર્દ! Social Media પર પોસ્ટ કરી ઠાલવી વેદના..! પોસ્ટમાં લખ્યું સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે....


  • Published By :
  • Published Date : 2024-03-29 11:52:45

ભાજપમાં અત્યારે નારાજગી અને વિરોધની ફેશન ચાલી રહી છે રાજકોટમાં વિરોધ, સાબરકાંઠામાં વિરોધ અને આ બધી આગ વચ્ચે નેતાઓની નારાજગી સામે દેખાઈ રહી છે. તમને થશે કે હવે કોણ નારાજ છે તો અમરેલીના સાંસદ નારણ કાછડિયા નારાજ ચાલી રહ્યા છે કારણ કે તેમની ટિકિટ કપાઈ છે. તે નારાજ થયા છે એવી વાત એટલા માટે થઇ રહી છે કારણ કે તેમણે સોશ્યિલ મીડિયા પર આવી પોસ્ટ મૂકી છે.   


સોશિયલ મીડિયા પર નારણ કાછડિયાએ દુ:ખ વ્યક્ત કર્યું! 

અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી આડકતરી રીતે દુ:ખ વ્યક્ત કર્યું છે. અમરેલી બેઠકથી નારણ કાછડીયાની ટિકિટ કપાઈ ગઇ છે. ત્યારે નારણ કાછડિયાએ ફેસબુકમાં 2 પોસ્ટ મુકી જે ચર્ચાનો વિષય બની છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, જ્યારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઉભું હશે અને અસત્યની ફોજ લાંબી હશે કારણ કે અસત્ય પાછળ મુર્ખાનું ટોળું હશે, પરંતુ વિજય સત્યનો જ થશે. નારણ કાછડીયાની પોસ્ટ બાદ પ્રદેશમાં ચર્ચા શરૂ થઇ છે. જો કે કાછડિયાને આ અંગે પૂછવામાં આવતાં તેમણે નારાજ ન હોવાનો દાવો કર્યો છે. 


ધારાસભ્ય મહેશ કસવાલાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું... 

જોકે એના પછી પણ નારણ કાછડીયાએ બીજી પોસ્ટમાં કથાકાર મોરારી બાપુનો એક વીડિયો શેર કર્યો જેમાં લખ્યું હતું . જો તમારી સાથે કોઈ કપટ કરે તો પણ હસતા રહેજો. એટલે આ વાત અને પોસ્ટ બે મેચ નથી થઇ રહ્યા. જોકે આ મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાએ પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે કહ્યું કે ભાજપમાં નારાજગીનો કોઈ અવકાશ નથી. ઉલ્લેખનિય છે કે ભારતીય જનતા પાર્ટીને શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે. નારાજગીની આવી પોસ્ટ જોયા પછી સવાલ થાય કે નારાજગી ખુલ્લીને વ્યક્ત નથી કરી શકતા એટલા માટે સોશિયલ મીડિયાનો સહારો નેતાઓ લઈ રહ્યા છે પોતાની વ્યથા દૂર કરવા માટે! 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે