બીજાને રાજનીતિ ન કરવાની સલાહ આપનાર પાર્ટીએ શરૂ કરી રાજનીતિ


  • Published By :
  • Published Date : 2022-11-01 13:40:28

ગુજરાતમાં એક તરફ દુ:ખનો માહોલ છે, તો બીજી તરફ બીજાને રાજનીતિ ન કરવાની સલાહ આપનાર આમ આદમી પાર્ટીએ ગમગીન માહોલ વચ્ચે રાજનીતિની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીએ 8મું લિસ્ટ જાહેર કર્યું છે. ઉમેદવારોના નામ જાહેર કર્યા એનો વાંધો નથી પરંતુ એવા સમયે જાહેર કર્યા જ્યારે આખું ગુજરાત શોકગ્રસ્ત છે. મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ ગુજરાત થંભી ગયું છે. ત્યારે એવી તો કેવી ઉતાવળ આમ આદમી પાર્ટીને આવી ગઈ કે આવા માહોલ વચ્ચે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા. આ સમયે ઉમેદવારોના નામ જાહેર કરી આમ આદમી પાર્ટી શું સંદેશ આપવા માગે છે. 

The Obscene Post Viral In The Social Media Group Of The Aam Aadmi Party |  આમ આદમી પાર્ટીના સોસીયલ મીડિયા ગૃપમાં અશ્લીલ પોસ્ટ વાયરલ થતા ચકચાર

શોકના સમયે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવારોના નામ 

ગુજરાતમાં ચૂંટણીને લઈ તૈયારી થઈ રહી છે. ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં એક એવી ઘટના બની છે જેણે ગુજરાતને હચમચાવી નાખી છે. આ ઘટનાને પગલે તમામ રાજકીય પક્ષોએ પોતાનો ચૂંટણી પ્રચાર એક દિવસ માટે સ્થગિત રાખ્યો હતો. એ ઘટનાને હજી બે દિવસ પણ નથી થયા ત્યારે આમ આદમી પાર્ટી આ દુર્ઘટનાને ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શોકના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી રાજનીતિ શરૂ કરી દીધી છે.

મોરબીની ઘટના બની તે બાદ જ્યારે આપના નેતાઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે  તેમણે કહ્યું હતું કે આ સમય રાજનીતિ કરવાનો નથી. મોરબીની પ્રજાના પડખે રહેવાનો આ સમય છે. આપે તમામ કાર્યકર્તાઓને રાહત કાર્યમાં મદદ કરવા સૂચના પણ આપી દીધી હતી. આ વાતને અમે વખાણીએ છીએ પરંતુ ઘટનાને હજી અઠવાડિયું પણ નથી થયું. રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે તેવા સમયે આપ દ્વારા કરવામાં આવેલ આ કૃત્યનો અમે વિરોધ કરીએ છીએ.           

આપના ઉમેદવારો પણ માને છે કે થોડા સમય પછી લિસ્ટ જાહેર કરવા જેવું હતું  

આ ઘટના પર રાજનીતિ ન કરવી જોઈએ એવું કહેનાર પાર્ટીએ જ પોતાની વાતનું ઉલ્લંઘન કર્યું છે. જે ઉમેદવારોના નામ એક-બે દિવસ બાદ જાહેર કર્યા હોત તો કંઈ ફરક નતો પડવાનો. આવા સમયે ઉમેદવારોના નામ જાહેર કરી રાજનીતિ કરવી કેટલી યોગ્ય છે. જો આવા સમયે ભાજપ અથવા કોંગ્રેસમાંથી કોઈએ પણ લિસ્ટ જાહેર કર્યું હોત તો શું આમ આદમી પાર્ટી બીજી પાર્ટીને સલાહ ન આપી હોત. અમે તો માનીયે છીએ પણ આપના ઉમેદવારો પણ માને છે કે આવા સમયે ઉમેદવારોનું લિસ્ટ જાહેર નતું કરવા જેવું.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.