નર્મદાના દેડીયાપાડા ગામના લોકોએ એક અઠવાડિયું મહેનત કરી જાતે રસ્તો બનાવ્યો, ક્યાં સુધી સરકારના ભરોસે બેસી રહે લોકો!


  • Published By :
  • Published Date : 2023-04-22 14:22:58

રાજ્યના અનેક રસ્તાઓ એવા હોય છે જ્યાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. પરંતુ રાજ્યના અનેક ગામડાઓ એવા હોય છે જ્યાં તો રસ્તા જ નથી હોતા. સમગ્ર દેશમાં આઝાદીના અમૃતકાળની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અનેક ગામડાઓ સારા રસ્તા અથવા તો માત્ર રસ્તા માટે,આટલા વર્ષો બાદ પણ વલખા મારવા પડે છે. રસ્તો બનશે તેવી આશાએ સ્થાનિકો આટલા વર્ષો સુધી બેસી રહ્યા પરંતુ આખરે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોહબી ગામના સ્થાનિકોએ જાતમહેનત પર વિશ્વાસ રાખ્યો હતો અને જાતે જ રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરી હતી. મોહબી ગામમાં રહેતા સ્થાનિકોએ બે કિમીનો રસ્તો ડુંગર ખોદી બનાવવાની કામગીરી કરી હતી. 


     


ગામના લોકોએ જાતમહેનતને માની સર્વોપરી!    

રસ્તાની સમસ્યા એક મોટો પ્રશ્ન બની ગઈ છે. અનેક રસ્તાઓ એવા હોય છે જ્યાં ખાડાઓનું રાજ જોવા મળતું હોય છે. રસ્તા સારા બને તેની જવાબદારી સરકારની હોય છે. સારા રસ્તાઓના દાવા સરકાર દ્વારા અનેક વખત કરવામાં આવતા હોય છે. પરંતુ આજે પણ એવા અનેક અંતરિયાળ ગામડાઓ છે જ્યાં રસ્તાઓ જ નથી તો સારા રસ્તાઓની આશા ક્યાંથી રાખી શકાય? ત્યારે  નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોહબી ગામના લોકોએ જાતમહેનતને સર્વોપરી માની છે. રોજિંદા વ્યવહાર માટે રસ્તો ન હોવાને કારણે અવર-જવર માટે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ચોમાસામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.



ડુંગર ખોદી સ્થાનિકોએ બનાવ્યો રસ્તો! 

ચોમાસા દરમિયાન સારા રસ્તા ન હોવાને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે સ્થાનિકોએ રસ્તાનું નિર્માણ કાર્યનો પ્રારંભ પોતે કરી લીધો છે. મોહબી ગામના પટેલ ફળિયામાં રહેતા લોકોએ ડુંગર ખોધી બે કિમીનો રસ્તો બનાવ્યો છે. પાવડા, ત્રિકમની મદદથી પોતાના ફળિયા સુધીનો બે કિમીનો રસ્તો ડુંગર ખોદી બનાવ્યો છે. ચોમાસા દરમિયાન પગદંડી તેમજ ડુંગર પર થઈને રસ્તો પસાર કરવો પડે છે. 


ક્યાં સુધી અંતરિયાળ વિસ્તારના લોકો સારા રસ્તા માટે વલખા મારશે?

તંત્ર સુધી સ્થાનિકોનો અવાજ પહોંચ્યો ન હતો. ત્યારે સ્થાનિકોની તકલીફ ભલે સરકાર ન સમજતી હોય પરંતુ ત્યાં રહેતા સ્થાનિકો તો સમજે જ છે. જેને લઈ સ્થાનિકો એ જ જાતે રસ્તાઓ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. 35 જેટલા લોકોએ પોતે જ ડુંગર ખોદી રસ્તો બનાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે તંત્રના ધ્યાને આ તકલીફ પહોંચે તેમના માટે પાકો રસ્તો બનાવે તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે. એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે તો બીજી તરફ આવા દ્રશ્યો સરકારના દાવાને ખોટા સાબિત કરે છે. આટલા વર્ષો બાદ પણ જો સરકાર પ્રાથમિક સુવિધાઓ ગામડાઓ સુધી નથી પહોંચાડી શક્તી તે વાત દુખની છે.               



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે