થાનગઢના લોકો મામલતદાર કચેરીમાં ગટરના પ્રશ્નની રજૂઆત લઈને પહોંચ્યા, બબાલ થઈ તો ગટરના પાણીની ડોલ કચેરીમાં ઠાલવી


  • Published By :
  • Published Date : 2023-09-04 19:31:32

ગટરના ગંદા પાણીની ડોલ મામલતદાર સામે ફેંકાઈ 

થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોએ સફાઈ અને ગટરના પ્રશ્નો મામલે અનેકવાર જવાબદાર વ્યક્તિઓને રજૂઆત કરી છે. પરંતુ એકપણ વાર તેમની રજૂઆતને સ્થાનિક નેતાઓ કે અધિકારીઓએ સાંભળી નહોતી અને ગટરના ગંધ મારતા પાણીની સાફ સફાઈની વ્યવસ્થા કરી ન હતી. રોજની સમસ્યાથી કંટાળીને લોકો તે જ કચરાની ડોલ લઈને મામલતદાર કચેરી પહોંચી ગયા હતા. તેમણે મામલતદારને કહ્યું હતું કે, "અમે અનેકવાર સફાઈ અને ગટરની સમસ્યાની રજૂઆત કરી છે પણ કોઈ કામગીરી નથી થઈ". રજૂઆત દરમિયાન લોકોની ધીરજ ખૂટી હતી અને કચરાની ભરેલી ડોલ મામલતદાર કચેરીમાં ઠાલવી દીધી હતી. 


મામલતદાર અને લોકો વચ્ચે થઈ ગઈ બબાલ

સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણમાં કચરાની અને ગટરની ઘણી તકલીફ છે. લોકોએ અનેકવાર તંત્ર અને સ્થાનિક નેતાઓને રજૂઆત કરી છે છતાં પણ તેમણે કોઈ રજૂઆત ધ્યાને નહોતી લીધી. છેલ્લે વિવાદનો અંત લાવવા લોકોએ ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં મામલતદાર સામે અનોખો વિરોધ કર્યો હતો. જે ગટરના ગંદા પાણીથી અને કચરાથી લોકોને તકલીફ હતી તેનો નમુનો લઈ બધા મામલતદાર કચેરી ખાતે મામલતદાર સામે રજૂ થયા હતા અને પોતાની તકલીફ જણાવી હતી. રજૂઆત દરમિયાન મામલતદારે માન્યું હતું કે સાફ સફાઈ નથી થઈ અને ગટરનો પ્રશ્ન છે. આ દરમિયાન લોકો અને મામલતદાર વચ્ચે બોલા ચાલી થઈ ગઈ હતી અને કંઈક આવો માહોલ થઈ ગયો હતો. 


રાજુ કરપડાની પોલીસે અટકાયત કરી

મામલતદારે બાહેંધરી આપી બધાને રવાના કર્યા હતા પરંતુ પછીથી પોલીસ આવી હતી અને રાજુ કરપડાને પકડીને પોલીસ થાણે લઈ ગઈ હતી. સામાન્ય લોકો જાણે છે કે તેમને સરકારી અધિકારી સાથે આવી રીતે વર્તન ન કરવું જોઈએ. તેમને શાંતિથી પોતાની રજૂઆત કરવી જોઈએ અને એટલા માટે જ તેમણે શાંતિથી અગાઉ અનેકવાર રજૂઆત કરી હતી. પરંતુ સ્વર્ણિમ ગુજરાતની જનતા ગંધ મારતી ગટરમાં કેટલો સમય રહી શકે ક્યારેક તો તેમને પારો છટકે જ, અને પરિણામ આવા આવે છે. મામલતદારે દોઢ મહિનાની અંદર સમસ્યાનું નિવારણ થશે એવી બાહેંધરી આપી છે હવે દોઢ મહિના ક્યારે થશે એ જોવાનું રહેશે. 






હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.