થાનગઢના લોકો મામલતદાર કચેરીમાં ગટરના પ્રશ્નની રજૂઆત લઈને પહોંચ્યા, બબાલ થઈ તો ગટરના પાણીની ડોલ કચેરીમાં ઠાલવી


  • Published By :
  • Published Date : 2023-09-04 19:31:32

ગટરના ગંદા પાણીની ડોલ મામલતદાર સામે ફેંકાઈ 

થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોએ સફાઈ અને ગટરના પ્રશ્નો મામલે અનેકવાર જવાબદાર વ્યક્તિઓને રજૂઆત કરી છે. પરંતુ એકપણ વાર તેમની રજૂઆતને સ્થાનિક નેતાઓ કે અધિકારીઓએ સાંભળી નહોતી અને ગટરના ગંધ મારતા પાણીની સાફ સફાઈની વ્યવસ્થા કરી ન હતી. રોજની સમસ્યાથી કંટાળીને લોકો તે જ કચરાની ડોલ લઈને મામલતદાર કચેરી પહોંચી ગયા હતા. તેમણે મામલતદારને કહ્યું હતું કે, "અમે અનેકવાર સફાઈ અને ગટરની સમસ્યાની રજૂઆત કરી છે પણ કોઈ કામગીરી નથી થઈ". રજૂઆત દરમિયાન લોકોની ધીરજ ખૂટી હતી અને કચરાની ભરેલી ડોલ મામલતદાર કચેરીમાં ઠાલવી દીધી હતી. 


મામલતદાર અને લોકો વચ્ચે થઈ ગઈ બબાલ

સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણમાં કચરાની અને ગટરની ઘણી તકલીફ છે. લોકોએ અનેકવાર તંત્ર અને સ્થાનિક નેતાઓને રજૂઆત કરી છે છતાં પણ તેમણે કોઈ રજૂઆત ધ્યાને નહોતી લીધી. છેલ્લે વિવાદનો અંત લાવવા લોકોએ ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં મામલતદાર સામે અનોખો વિરોધ કર્યો હતો. જે ગટરના ગંદા પાણીથી અને કચરાથી લોકોને તકલીફ હતી તેનો નમુનો લઈ બધા મામલતદાર કચેરી ખાતે મામલતદાર સામે રજૂ થયા હતા અને પોતાની તકલીફ જણાવી હતી. રજૂઆત દરમિયાન મામલતદારે માન્યું હતું કે સાફ સફાઈ નથી થઈ અને ગટરનો પ્રશ્ન છે. આ દરમિયાન લોકો અને મામલતદાર વચ્ચે બોલા ચાલી થઈ ગઈ હતી અને કંઈક આવો માહોલ થઈ ગયો હતો. 


રાજુ કરપડાની પોલીસે અટકાયત કરી

મામલતદારે બાહેંધરી આપી બધાને રવાના કર્યા હતા પરંતુ પછીથી પોલીસ આવી હતી અને રાજુ કરપડાને પકડીને પોલીસ થાણે લઈ ગઈ હતી. સામાન્ય લોકો જાણે છે કે તેમને સરકારી અધિકારી સાથે આવી રીતે વર્તન ન કરવું જોઈએ. તેમને શાંતિથી પોતાની રજૂઆત કરવી જોઈએ અને એટલા માટે જ તેમણે શાંતિથી અગાઉ અનેકવાર રજૂઆત કરી હતી. પરંતુ સ્વર્ણિમ ગુજરાતની જનતા ગંધ મારતી ગટરમાં કેટલો સમય રહી શકે ક્યારેક તો તેમને પારો છટકે જ, અને પરિણામ આવા આવે છે. મામલતદારે દોઢ મહિનાની અંદર સમસ્યાનું નિવારણ થશે એવી બાહેંધરી આપી છે હવે દોઢ મહિના ક્યારે થશે એ જોવાનું રહેશે. 






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.