થાનગઢના લોકો મામલતદાર કચેરીમાં ગટરના પ્રશ્નની રજૂઆત લઈને પહોંચ્યા, બબાલ થઈ તો ગટરના પાણીની ડોલ કચેરીમાં ઠાલવી


  • Published By :
  • Published Date : 2023-09-04 19:31:32

ગટરના ગંદા પાણીની ડોલ મામલતદાર સામે ફેંકાઈ 

થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોએ સફાઈ અને ગટરના પ્રશ્નો મામલે અનેકવાર જવાબદાર વ્યક્તિઓને રજૂઆત કરી છે. પરંતુ એકપણ વાર તેમની રજૂઆતને સ્થાનિક નેતાઓ કે અધિકારીઓએ સાંભળી નહોતી અને ગટરના ગંધ મારતા પાણીની સાફ સફાઈની વ્યવસ્થા કરી ન હતી. રોજની સમસ્યાથી કંટાળીને લોકો તે જ કચરાની ડોલ લઈને મામલતદાર કચેરી પહોંચી ગયા હતા. તેમણે મામલતદારને કહ્યું હતું કે, "અમે અનેકવાર સફાઈ અને ગટરની સમસ્યાની રજૂઆત કરી છે પણ કોઈ કામગીરી નથી થઈ". રજૂઆત દરમિયાન લોકોની ધીરજ ખૂટી હતી અને કચરાની ભરેલી ડોલ મામલતદાર કચેરીમાં ઠાલવી દીધી હતી. 


મામલતદાર અને લોકો વચ્ચે થઈ ગઈ બબાલ

સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણમાં કચરાની અને ગટરની ઘણી તકલીફ છે. લોકોએ અનેકવાર તંત્ર અને સ્થાનિક નેતાઓને રજૂઆત કરી છે છતાં પણ તેમણે કોઈ રજૂઆત ધ્યાને નહોતી લીધી. છેલ્લે વિવાદનો અંત લાવવા લોકોએ ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં મામલતદાર સામે અનોખો વિરોધ કર્યો હતો. જે ગટરના ગંદા પાણીથી અને કચરાથી લોકોને તકલીફ હતી તેનો નમુનો લઈ બધા મામલતદાર કચેરી ખાતે મામલતદાર સામે રજૂ થયા હતા અને પોતાની તકલીફ જણાવી હતી. રજૂઆત દરમિયાન મામલતદારે માન્યું હતું કે સાફ સફાઈ નથી થઈ અને ગટરનો પ્રશ્ન છે. આ દરમિયાન લોકો અને મામલતદાર વચ્ચે બોલા ચાલી થઈ ગઈ હતી અને કંઈક આવો માહોલ થઈ ગયો હતો. 


રાજુ કરપડાની પોલીસે અટકાયત કરી

મામલતદારે બાહેંધરી આપી બધાને રવાના કર્યા હતા પરંતુ પછીથી પોલીસ આવી હતી અને રાજુ કરપડાને પકડીને પોલીસ થાણે લઈ ગઈ હતી. સામાન્ય લોકો જાણે છે કે તેમને સરકારી અધિકારી સાથે આવી રીતે વર્તન ન કરવું જોઈએ. તેમને શાંતિથી પોતાની રજૂઆત કરવી જોઈએ અને એટલા માટે જ તેમણે શાંતિથી અગાઉ અનેકવાર રજૂઆત કરી હતી. પરંતુ સ્વર્ણિમ ગુજરાતની જનતા ગંધ મારતી ગટરમાં કેટલો સમય રહી શકે ક્યારેક તો તેમને પારો છટકે જ, અને પરિણામ આવા આવે છે. મામલતદારે દોઢ મહિનાની અંદર સમસ્યાનું નિવારણ થશે એવી બાહેંધરી આપી છે હવે દોઢ મહિના ક્યારે થશે એ જોવાનું રહેશે. 






ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.