વાવાઝોડાથી રક્ષણ મેળવવા જામનગરના આ ગામના લોકોએ શોધ્યો આ રસ્તો! જાણો કેવી રીતે ગામજનો કરશે પોતાનું રક્ષણ?


  • Published By :
  • Published Date : 2023-06-14 17:12:21

પાણી પહેલા પાળ બાંધવાની કહેવત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. ત્યારે જામનગર પાસે આવેલા એક ગામે આ વાતને સાર્થક કરી બતાવી છે. ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ વિકટ બની રહ્યું છે ત્યારે રસુલનગર ગામના લોકોએ વાવાઝોડાથી બચવા દોરડાનો ઉપયોગ કર્યો છે. આ ગામમાં આશરે 1500થી 1700 લોકો વસે છે. ત્યારે આ ગામ આફતને પહોંચી વળવા સજ્જ હોય તેવું લાગી રહ્યું છે.  

 Cyclone Biporjoy: જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવા ગામજનો ચોકમાં બાંધે છે દોરડા

વાવાઝોડાથી આ રીતે મેળવે છે રક્ષણ!

જેમ જેમ કલાકો વિતી રહ્યા છે તેમ તેમ બિપોરજોય નામનું સંકટ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલે ગુજરાતમાં વાવાઝોડું ટકરાશે તેવું અનુમાન છે. વાવાઝોડાને લઈ તંત્ર પણ સજ્જ છે. તંત્રે પણ વાવાઝોડાથી નિપટવા માટે તૈયારીઓ કરી લીધી છે. ત્યારે જામનગરનું રસુલનગર ગામના લોકોએ વાવાઝોડાથી બચવા આ ઉપાય શોધી કાઠ્યો છે. બિપોરજોય વાવાઝોડાને લઇને સરકાર અને સ્થાનિક તંત્ર જે રીતે સજ્જ છે તે જ પ્રકારે ગુજરાતની ખમીરવંતી પ્રજા પણ આ કુદરતી આપત્તિનો સામનો કરવા અવનવા આયોજનો કરી રહી છે.. 


નીચાણવાળો વિસ્તાર હોવાથી રહેતું હોય છે સંકટ!  

જામનગરમાં એક એવું ગામ છે જ્યાં વાવાઝોડાંને પહોંચી વળવા લોકો દોરડા બાંધી રહ્યા છે.. પાણી પહેલા પાળ બાંધવી તે ઉક્તિને આ રસુલનગર ગામના લોકો સાર્થક કરી રહ્યા છે.. આ ગામ આશરે 1500 થી 1700 લોકોની વસતી ધરાવે છે. મોટેભાગે આ ગામડામાં માછીમારો રહે છે.. અને ખૂબ જ નીચાણવાળા વિસ્તારોમાં આ ગામ આવેલું છે..આથી જ્યારે જ્યારે વાવાઝોડાની દહેશત ઉભી થાય  છે ત્યારે આ લોકો ગામડાની મધ્યમાં ચારેબાજુ દોરડા બાંધી દે છે. જેથી વાવાઝોડાના સમયમાં આ દોરડાને પકડીને લોકો સલામત સ્થળે પહોંચી શકે. 


1998માં પણ આ ગામને સહન કરવો પડ્યો હતો કુદરતનો માર!

આ ગામ વર્ષ 1998માં આવેલા વિનાશક વાવાઝોડાનું પણ સાક્ષી રહ્યું છે. અને તે સમયે પણ ગામલોકોએ બિલકુલ આ જ રીતે દોરડા બાંધ્યા હતા. અને લોકોને સુરક્ષિત રહેવામાં આ તરકીબ મદદરૂપ સાબિત થઇ હતી. રસુલનગર ગામના આ લોકોની આ પ્રવૃત્તિ આપણને એવો સંદેશો આપી રહી છે કે આ કુદરતી આપદા સામે આપણે સૌએ સાથે મળીને લડવાનું છે. સરકાર, સેના અને સ્થાનિક અધિકારીઓ તો પોતાની જવાબદારી નિભાવશે જ પણ એક પ્રજા તરીકે આપણે પણ તેમને સહકાર આપવાનો છે.. અને મુસીબત સામે લડીને દુનિયા સામે એક સાહસિક પ્રજા તરીકેનું ઉદાહરણ પ્રસ્થાપિત કરવાનું છે..



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.