વાવાઝોડાથી રક્ષણ મેળવવા જામનગરના આ ગામના લોકોએ શોધ્યો આ રસ્તો! જાણો કેવી રીતે ગામજનો કરશે પોતાનું રક્ષણ?


  • Published By :
  • Published Date : 2023-06-14 17:12:21

પાણી પહેલા પાળ બાંધવાની કહેવત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. ત્યારે જામનગર પાસે આવેલા એક ગામે આ વાતને સાર્થક કરી બતાવી છે. ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ વિકટ બની રહ્યું છે ત્યારે રસુલનગર ગામના લોકોએ વાવાઝોડાથી બચવા દોરડાનો ઉપયોગ કર્યો છે. આ ગામમાં આશરે 1500થી 1700 લોકો વસે છે. ત્યારે આ ગામ આફતને પહોંચી વળવા સજ્જ હોય તેવું લાગી રહ્યું છે.  

 Cyclone Biporjoy: જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવા ગામજનો ચોકમાં બાંધે છે દોરડા

વાવાઝોડાથી આ રીતે મેળવે છે રક્ષણ!

જેમ જેમ કલાકો વિતી રહ્યા છે તેમ તેમ બિપોરજોય નામનું સંકટ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલે ગુજરાતમાં વાવાઝોડું ટકરાશે તેવું અનુમાન છે. વાવાઝોડાને લઈ તંત્ર પણ સજ્જ છે. તંત્રે પણ વાવાઝોડાથી નિપટવા માટે તૈયારીઓ કરી લીધી છે. ત્યારે જામનગરનું રસુલનગર ગામના લોકોએ વાવાઝોડાથી બચવા આ ઉપાય શોધી કાઠ્યો છે. બિપોરજોય વાવાઝોડાને લઇને સરકાર અને સ્થાનિક તંત્ર જે રીતે સજ્જ છે તે જ પ્રકારે ગુજરાતની ખમીરવંતી પ્રજા પણ આ કુદરતી આપત્તિનો સામનો કરવા અવનવા આયોજનો કરી રહી છે.. 


નીચાણવાળો વિસ્તાર હોવાથી રહેતું હોય છે સંકટ!  

જામનગરમાં એક એવું ગામ છે જ્યાં વાવાઝોડાંને પહોંચી વળવા લોકો દોરડા બાંધી રહ્યા છે.. પાણી પહેલા પાળ બાંધવી તે ઉક્તિને આ રસુલનગર ગામના લોકો સાર્થક કરી રહ્યા છે.. આ ગામ આશરે 1500 થી 1700 લોકોની વસતી ધરાવે છે. મોટેભાગે આ ગામડામાં માછીમારો રહે છે.. અને ખૂબ જ નીચાણવાળા વિસ્તારોમાં આ ગામ આવેલું છે..આથી જ્યારે જ્યારે વાવાઝોડાની દહેશત ઉભી થાય  છે ત્યારે આ લોકો ગામડાની મધ્યમાં ચારેબાજુ દોરડા બાંધી દે છે. જેથી વાવાઝોડાના સમયમાં આ દોરડાને પકડીને લોકો સલામત સ્થળે પહોંચી શકે. 


1998માં પણ આ ગામને સહન કરવો પડ્યો હતો કુદરતનો માર!

આ ગામ વર્ષ 1998માં આવેલા વિનાશક વાવાઝોડાનું પણ સાક્ષી રહ્યું છે. અને તે સમયે પણ ગામલોકોએ બિલકુલ આ જ રીતે દોરડા બાંધ્યા હતા. અને લોકોને સુરક્ષિત રહેવામાં આ તરકીબ મદદરૂપ સાબિત થઇ હતી. રસુલનગર ગામના આ લોકોની આ પ્રવૃત્તિ આપણને એવો સંદેશો આપી રહી છે કે આ કુદરતી આપદા સામે આપણે સૌએ સાથે મળીને લડવાનું છે. સરકાર, સેના અને સ્થાનિક અધિકારીઓ તો પોતાની જવાબદારી નિભાવશે જ પણ એક પ્રજા તરીકે આપણે પણ તેમને સહકાર આપવાનો છે.. અને મુસીબત સામે લડીને દુનિયા સામે એક સાહસિક પ્રજા તરીકેનું ઉદાહરણ પ્રસ્થાપિત કરવાનું છે..



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.