ક્રિકેટર Ravindra Jadeja અને તેમના પત્ની Rivaba Jadejaનો આશાપુરા મંદિરમાં દર્શન કરવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ!


  • Published By :
  • Published Date : 2024-01-15 13:30:40

આપણા દેશમાં બધા માણસો માટે કાયદો એક સમાન છે. ઘણી જગ્યાએ નિયમો પણ બધા માટે એક સરખા જ છે. પણ આ નિયમોનું પાલન vip લોકો નથી કરતા તેને જોઈને તમારા કે મારા જેવા સામાન્ય માણસ તો એવું જ વિચારી લે છે કે આ નિયમો માત્ર આપણા માટે જ છે. 

રિવાબા અને રવિન્દ્રસિંહ પહોંચ્યા હતા આશાપુરા મઢ દર્શન કરવા 

ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની ધારાસભ્ય રીવાબા જાડેજા કચ્છના માતાના મઢ સ્થિત મા આશાપુરા મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જેનો ફોટો અત્યારે સોશિયલ મીડિમાં વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટરમાં પણ ફોટા સાથે આ ટ્વિટ વાયરલ થઇ રહી છે જેમાં લખવામાં આવ્યું છે કે :  


સામાન્ય માણસને માં આશાપુરાનો ફોટો પાડવાની પણ મનાઈ કરનારના ડબલ ધારા ધોરણ..

ભારતીય ક્રિકેટરને મંદિરમાં ફોટો સેલિબ્રેશન કરવાની છૂટ..

થોડા દિવસ પણ સરકારના એક મંત્રીને પણ ફોટો સેલિબ્રેશન કરવાની છૂટ આપવામાં આવી હતી. 

શું મંદિર માં સામાન્ય ભકતો અને વી.આઇ.પી. માટે અલગ અલગ નિયમો છે ? 



મા આશાપુરાના મંદિરમાં ફોટો પાડવાની છે મનાઈ 

તમને જણાવી દઈએ કે કચ્છમાં માતા મઢ સ્થિત માં આશાપુરાનું મંદિર કે જ્યાં ફોટોગ્રાફીની સખ્ત મનાઈ છે પછી એ પત્રકાર હોય કે પછી કોઈ પણ વ્યક્તિ જયારે માં આશાપુરાના મંદિરમાં કોઈ સામાન્ય માણસ જાય તો તેને પણ દર્શન માટે લાઈનમાં લાગવું પડે છે. ફોટોઝ પાડવા દેવામાં આવતા નથી પણ જયારે કોઈ vip જાય તો તેના માટે કેમ અલગ વ્યવસ્થા હોય છે તે સવાલ સૌ કોઈને થાય છે. 


સામાન્ય માણસ સાથે ભેદભાવ કેમ? 

vip કલ્ચરને બંધ કરવા નિયમો તો બનાવવામાં આવે છે પણ એ નિયમોનું પાલન નથી થતું. સામાન્ય માણસો માત્ર લાઈનમાં જ રહે અને ધક્કા ખાય એ કેવી રીતે ચાલે? કેમ સામાન્ય લોકો પણ માણસની જ શ્રેણીમાં આવે છે તો પછી આ ભેદભાવ કેમ?


થોડા સમય પહેલા પણ એક વીડિયો થયો હતો વાયરલ!  

રિવાબા જાડેજાએ અને રવિન્દ્ર જાડેજાએ મંદિરમાં કપલ ફોટો શૂટ કરાવ્યું એ પહેલા પણ તેમનો સિંહ વાળો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો. અત્યારે આ ટ્વિટ વાયરલ થઇ રહી છે જેને લઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. 


પીએમ મોદી પહોંચ્યા હતા ફ્લાવર શો જોવા અને પછી...  

આ પહેલા અમદાવાદમાં પણ એવું થયું હતું કે જ્યાં અચાનક નરેન્દ્ર મોદીનો ફ્લાવર શો જવાનો કાર્યક્રમ થયો અને ત્યાં હાજર લોકોને બહાર કાઢવામાં આવી હતી. પોલીસને ખબર પડી કે પીએમ અહીં આવવાના છે જેને લઈને પોલીસ પણ દોડતી થઇ હતી. લોકોએ લાઈનમાં ઉભા રહીને ટિકિટ લીધી હતી અને ફ્લાવર શોમાં ગયા હતા પણ પછી બહાર આવવું પડ્યું હતું. 


સામાન્ય માણસ માત્ર સામાન્ય બનીને રહી જાય છે. 

એટલે દર વખતે સામાન્ય લોકોને લાઈનમાં ઊભા રહેવાનું..સામાન્ય લોકોને ધક્કા ખાવાના. સામાન્ય લોકોને અફસોસ કરવાનો અને અફસોસ એ વાતનો કરવાનો કે અમે સામાન્ય માત્ર સામાન્ય બનીને રહી જતા હોઈએ છીએ અને અમારે ફક્ત vip અને vvip લોકોના તમાશા જ જોવાના?  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.