ક્રિકેટર Ravindra Jadeja અને તેમના પત્ની Rivaba Jadejaનો આશાપુરા મંદિરમાં દર્શન કરવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ!


  • Published By :
  • Published Date : 2024-01-15 13:30:40

આપણા દેશમાં બધા માણસો માટે કાયદો એક સમાન છે. ઘણી જગ્યાએ નિયમો પણ બધા માટે એક સરખા જ છે. પણ આ નિયમોનું પાલન vip લોકો નથી કરતા તેને જોઈને તમારા કે મારા જેવા સામાન્ય માણસ તો એવું જ વિચારી લે છે કે આ નિયમો માત્ર આપણા માટે જ છે. 

રિવાબા અને રવિન્દ્રસિંહ પહોંચ્યા હતા આશાપુરા મઢ દર્શન કરવા 

ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની ધારાસભ્ય રીવાબા જાડેજા કચ્છના માતાના મઢ સ્થિત મા આશાપુરા મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જેનો ફોટો અત્યારે સોશિયલ મીડિમાં વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટરમાં પણ ફોટા સાથે આ ટ્વિટ વાયરલ થઇ રહી છે જેમાં લખવામાં આવ્યું છે કે :  


સામાન્ય માણસને માં આશાપુરાનો ફોટો પાડવાની પણ મનાઈ કરનારના ડબલ ધારા ધોરણ..

ભારતીય ક્રિકેટરને મંદિરમાં ફોટો સેલિબ્રેશન કરવાની છૂટ..

થોડા દિવસ પણ સરકારના એક મંત્રીને પણ ફોટો સેલિબ્રેશન કરવાની છૂટ આપવામાં આવી હતી. 

શું મંદિર માં સામાન્ય ભકતો અને વી.આઇ.પી. માટે અલગ અલગ નિયમો છે ? 



મા આશાપુરાના મંદિરમાં ફોટો પાડવાની છે મનાઈ 

તમને જણાવી દઈએ કે કચ્છમાં માતા મઢ સ્થિત માં આશાપુરાનું મંદિર કે જ્યાં ફોટોગ્રાફીની સખ્ત મનાઈ છે પછી એ પત્રકાર હોય કે પછી કોઈ પણ વ્યક્તિ જયારે માં આશાપુરાના મંદિરમાં કોઈ સામાન્ય માણસ જાય તો તેને પણ દર્શન માટે લાઈનમાં લાગવું પડે છે. ફોટોઝ પાડવા દેવામાં આવતા નથી પણ જયારે કોઈ vip જાય તો તેના માટે કેમ અલગ વ્યવસ્થા હોય છે તે સવાલ સૌ કોઈને થાય છે. 


સામાન્ય માણસ સાથે ભેદભાવ કેમ? 

vip કલ્ચરને બંધ કરવા નિયમો તો બનાવવામાં આવે છે પણ એ નિયમોનું પાલન નથી થતું. સામાન્ય માણસો માત્ર લાઈનમાં જ રહે અને ધક્કા ખાય એ કેવી રીતે ચાલે? કેમ સામાન્ય લોકો પણ માણસની જ શ્રેણીમાં આવે છે તો પછી આ ભેદભાવ કેમ?


થોડા સમય પહેલા પણ એક વીડિયો થયો હતો વાયરલ!  

રિવાબા જાડેજાએ અને રવિન્દ્ર જાડેજાએ મંદિરમાં કપલ ફોટો શૂટ કરાવ્યું એ પહેલા પણ તેમનો સિંહ વાળો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો. અત્યારે આ ટ્વિટ વાયરલ થઇ રહી છે જેને લઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. 


પીએમ મોદી પહોંચ્યા હતા ફ્લાવર શો જોવા અને પછી...  

આ પહેલા અમદાવાદમાં પણ એવું થયું હતું કે જ્યાં અચાનક નરેન્દ્ર મોદીનો ફ્લાવર શો જવાનો કાર્યક્રમ થયો અને ત્યાં હાજર લોકોને બહાર કાઢવામાં આવી હતી. પોલીસને ખબર પડી કે પીએમ અહીં આવવાના છે જેને લઈને પોલીસ પણ દોડતી થઇ હતી. લોકોએ લાઈનમાં ઉભા રહીને ટિકિટ લીધી હતી અને ફ્લાવર શોમાં ગયા હતા પણ પછી બહાર આવવું પડ્યું હતું. 


સામાન્ય માણસ માત્ર સામાન્ય બનીને રહી જાય છે. 

એટલે દર વખતે સામાન્ય લોકોને લાઈનમાં ઊભા રહેવાનું..સામાન્ય લોકોને ધક્કા ખાવાના. સામાન્ય લોકોને અફસોસ કરવાનો અને અફસોસ એ વાતનો કરવાનો કે અમે સામાન્ય માત્ર સામાન્ય બનીને રહી જતા હોઈએ છીએ અને અમારે ફક્ત vip અને vvip લોકોના તમાશા જ જોવાના?  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.