ક્રિકેટર Ravindra Jadeja અને તેમના પત્ની Rivaba Jadejaનો આશાપુરા મંદિરમાં દર્શન કરવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ!


  • Published By :
  • Published Date : 2024-01-15 13:30:40

આપણા દેશમાં બધા માણસો માટે કાયદો એક સમાન છે. ઘણી જગ્યાએ નિયમો પણ બધા માટે એક સરખા જ છે. પણ આ નિયમોનું પાલન vip લોકો નથી કરતા તેને જોઈને તમારા કે મારા જેવા સામાન્ય માણસ તો એવું જ વિચારી લે છે કે આ નિયમો માત્ર આપણા માટે જ છે. 

રિવાબા અને રવિન્દ્રસિંહ પહોંચ્યા હતા આશાપુરા મઢ દર્શન કરવા 

ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની ધારાસભ્ય રીવાબા જાડેજા કચ્છના માતાના મઢ સ્થિત મા આશાપુરા મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જેનો ફોટો અત્યારે સોશિયલ મીડિમાં વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટરમાં પણ ફોટા સાથે આ ટ્વિટ વાયરલ થઇ રહી છે જેમાં લખવામાં આવ્યું છે કે :  


સામાન્ય માણસને માં આશાપુરાનો ફોટો પાડવાની પણ મનાઈ કરનારના ડબલ ધારા ધોરણ..

ભારતીય ક્રિકેટરને મંદિરમાં ફોટો સેલિબ્રેશન કરવાની છૂટ..

થોડા દિવસ પણ સરકારના એક મંત્રીને પણ ફોટો સેલિબ્રેશન કરવાની છૂટ આપવામાં આવી હતી. 

શું મંદિર માં સામાન્ય ભકતો અને વી.આઇ.પી. માટે અલગ અલગ નિયમો છે ? 



મા આશાપુરાના મંદિરમાં ફોટો પાડવાની છે મનાઈ 

તમને જણાવી દઈએ કે કચ્છમાં માતા મઢ સ્થિત માં આશાપુરાનું મંદિર કે જ્યાં ફોટોગ્રાફીની સખ્ત મનાઈ છે પછી એ પત્રકાર હોય કે પછી કોઈ પણ વ્યક્તિ જયારે માં આશાપુરાના મંદિરમાં કોઈ સામાન્ય માણસ જાય તો તેને પણ દર્શન માટે લાઈનમાં લાગવું પડે છે. ફોટોઝ પાડવા દેવામાં આવતા નથી પણ જયારે કોઈ vip જાય તો તેના માટે કેમ અલગ વ્યવસ્થા હોય છે તે સવાલ સૌ કોઈને થાય છે. 


સામાન્ય માણસ સાથે ભેદભાવ કેમ? 

vip કલ્ચરને બંધ કરવા નિયમો તો બનાવવામાં આવે છે પણ એ નિયમોનું પાલન નથી થતું. સામાન્ય માણસો માત્ર લાઈનમાં જ રહે અને ધક્કા ખાય એ કેવી રીતે ચાલે? કેમ સામાન્ય લોકો પણ માણસની જ શ્રેણીમાં આવે છે તો પછી આ ભેદભાવ કેમ?


થોડા સમય પહેલા પણ એક વીડિયો થયો હતો વાયરલ!  

રિવાબા જાડેજાએ અને રવિન્દ્ર જાડેજાએ મંદિરમાં કપલ ફોટો શૂટ કરાવ્યું એ પહેલા પણ તેમનો સિંહ વાળો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો. અત્યારે આ ટ્વિટ વાયરલ થઇ રહી છે જેને લઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. 


પીએમ મોદી પહોંચ્યા હતા ફ્લાવર શો જોવા અને પછી...  

આ પહેલા અમદાવાદમાં પણ એવું થયું હતું કે જ્યાં અચાનક નરેન્દ્ર મોદીનો ફ્લાવર શો જવાનો કાર્યક્રમ થયો અને ત્યાં હાજર લોકોને બહાર કાઢવામાં આવી હતી. પોલીસને ખબર પડી કે પીએમ અહીં આવવાના છે જેને લઈને પોલીસ પણ દોડતી થઇ હતી. લોકોએ લાઈનમાં ઉભા રહીને ટિકિટ લીધી હતી અને ફ્લાવર શોમાં ગયા હતા પણ પછી બહાર આવવું પડ્યું હતું. 


સામાન્ય માણસ માત્ર સામાન્ય બનીને રહી જાય છે. 

એટલે દર વખતે સામાન્ય લોકોને લાઈનમાં ઊભા રહેવાનું..સામાન્ય લોકોને ધક્કા ખાવાના. સામાન્ય લોકોને અફસોસ કરવાનો અને અફસોસ એ વાતનો કરવાનો કે અમે સામાન્ય માત્ર સામાન્ય બનીને રહી જતા હોઈએ છીએ અને અમારે ફક્ત vip અને vvip લોકોના તમાશા જ જોવાના?  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે