પારડીના ઉમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારા તરફ જતા નવનિર્મિત બ્રિજના પિલ્લર નમીને આડા થઈ ગયા!


  • Published By :
  • Published Date : 2024-08-05 14:48:39

ગુજરાતમાં અનેક એવા બ્રિજો છે જ્યાં ખાડા પડી ગયા છે. અનેક રસ્તાઓ એવા છે જે બિસ્માર હાલતમાં છે. જ્યારે કોઈ બાંધકામ કરવામાં આવે છે ત્યારે તેમાં ભ્રષ્ટાચાર થાય છે તે કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. માત્ર થોડા સમયની અંદર બાંધકામ બિસ્માર થઈ જાય છે.. પરંતુ હવે જાણે નવો ટ્રેન્ડ નિકળ્યો હોય તેવું લાગે છે. પુલ બને એની પહેલા જ પિલ્લર તૂટી રહ્યા છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાનો આ બનાવ છે. પારડીના ઉમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારા તરફ જતા નવનિર્મિત બ્રિજના પિલ્લર નમીને આડા થઈ ગયા છે. હજુ તો બ્રિજ બની રહ્યો છે.. ત્યાંનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

કામની ગુણવત્તાને લઈ ઉઠે ગંભીર સવાલ 

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નિર્મણાધીન કે નવનિર્મિત રસ્તાઓ અને બ્રિજમાં ગાબડા પડવાની અને ખાડા પડવાની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક બનાવ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડીમાં સાડા નવ કરોડના ખર્ચે બની રહેલા પેડેસ્ટલ બ્રિજનો પીલર ખાડીમાં આવેલા પાણીના કારણે ઉખડી જતા કામની ગુણવત્તાને લઈ ગંભીર સવાલ ઉઠ્યા છે. જો આ બ્રિજ બની ગયા બાદ આ પ્રકારની ઘટના બની હોતો તો? સ્વભાવિક છે કે, જે ખાડીમાં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તે ખાડીમાં પાણી આવવાનું જ છે. તેને ધ્યાનમાં રાખીને જ આ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 



પાણી આવતા જ બ્રિજનું ફાઉન્ડેશન...!

તેમ છતાં જે ખાડીમાં આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં પાણી આવતા બ્રિજ માટે જે ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું તે જ ધોવાઈ જતા બે પીલર ઉખડી ગયા હતા અને એપ્રોચ બાંધકામના ટેકે અટકી ગયા હતા. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ખાતે GEBના સબસ્ટેશન પાસે 126 મીટર લાંબો અને સાડા પાંચ મીટર પહોળો વલસાડ આર એન્ડ બીના નિરીક્ષણ હેઠળ સોના બિલ્ડર નામની એજન્સી આ પેડેસ્ટલ બ્રિજ 9.50 કરોડના ખર્ચે બનાવી રહી છે. 



ટુરિઝમ વિકસાવવા કરવામાં આવ્યું બ્રિજનું નિર્માણ

અમદાવાદના સાબરમતી નદી ઉપર નિર્માણ પામેલા અટલ બ્રિજની પેટર્ન ઉપર વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી દરિયા કિનારા ટુરિઝમ વિકસાવવા માટે બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નદીનું વહેણ અટકાવી નદી ઉપર નિર્માણ પામી રહેલા પેડેસ્ટલ બ્રિજની કામગીરી ચાલી રહી છે. જે દરમિયાન નદીમાં કરેલા પુરાણમાં ધોવાણ થતા પેડેસ્ટલ બ્રિજનો એક પોલ જમીનમાં ઉખડી ગયો હતો. જેને લઈ સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.