Jamnagarમાં પકડાયેલી ગાયોની છે દયનિય હાલત! એક વીડિયો સામે આવ્યો જેમાં ઢોરોના મૃતદેહ જોવા મળ્યા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-09 11:57:38

અમદાવાદ હોય કે જામનગર, રોજકોટ હોય કે સુરત, કે પછી નાનકડું ગામ ત્યાં રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં રખડતા ઢોરને પકડી ઢોરવાસમાં મૂકવામાં આવે છે. થોડા સમય પહેલા અમદાવાદના ગ્યાસપૂરથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ગાયોના મૃતદેહને ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે! ઢોરડબ્બામાં અપૂરતો ઘાસનો જથ્થો હોવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. ત્યારે આવા દ્રશ્યો, ખરાબ પરિસ્થિતિમાં ગાયોને જામનગરમાં પણ રાખવામાં આવે છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જામનગરથી વીડિયો સામે આવ્યા છે જેમાં ઢોર ડબ્બામાં ગાયોની સારસંભાળ ન લેવાવાને કારણે સાતથી આઠ ગાયોના મોત પ્રતિદિન થઈ રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.        

શહેર બદલાય છે પરંતુ ગાયોની પરિસ્થિતિ સરખી રહે છે!

રાજ્યમાં રખડતા ઢોરને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકોના મોત પણ થયા છે. હાઈકોર્ટે આ મામલે તંત્રની અનેક વખત ઝાટકણી કાઢી છે. અનેક વખતની ફટકાર બાદ તંત્ર જાગ્યું છે અને રખડતા ઢોરને પકડવાની કામગીરી તેજ બનાવી છે. પ્રતિદિન અનેક પશુઓને પકડી ઢોરવાસમાં રાખવામાં આવે છે પરંતુ પશુઓની સારસંભાળ કોઈ નથી લેતું. ઢોરવાસમાં અનેક ગાયોના મોત થઈ રહ્યા છે તેવા વીડિયો અનેક વખત આપણી સામે આવી રહ્યા છે. અમદાવાદથી તો આવા દ્રશ્યો સામે આવ્યા પરંતુ જામનગરથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેર બદલાય છે પરંતુ પરિસ્થિતિ એવીને એવી હોય છે. જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઢોર ડબ્બામાં અપૂરતો ઘાસચારો અને સારસંભાળ ન લેવાવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. 

અપૂરતા ઘાસચારાને લઈ થઈ રહ્યા છે ગાયોના મોત!

રખડતા ઢોર પકડયા બાદ ઢોર ડબ્બામાં અનેક પશુઓના મોત થતા હોવાનો આક્ષેપ માલધારીઓ લગાવી રહ્યા છે અને પ્રશ્ન પણ પૂછી રહ્યા છે કે ઢોર પકડ્યા બાદ તેની સાર સંભાળ રાખવાની જવાબદારી કોની? માલધારીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. એક જાગૃત નાગરિકે  વીડિયો ઉતાર્યો જેમાં ઢોરડબ્બામાં અનેક ગાયો મૃતહાલતમાં જોવા મળી. માલધારીઓએ અનેક વખત આક્ષેપ કર્યો છે કે સારસંભાળ ન લેવાવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. તંત્ર ગાયોને પકડી તો લે છે પરંતુ ગાયોની સંભાળ કેવી રીતે લેવી તેમની તેમને ખબર નથી. અપૂરતો ઘાસચારો હોવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ કરી રહ્યા છે. માલધારીઓને આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.