Jamnagarમાં પકડાયેલી ગાયોની છે દયનિય હાલત! એક વીડિયો સામે આવ્યો જેમાં ઢોરોના મૃતદેહ જોવા મળ્યા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-09 11:57:38

અમદાવાદ હોય કે જામનગર, રોજકોટ હોય કે સુરત, કે પછી નાનકડું ગામ ત્યાં રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં રખડતા ઢોરને પકડી ઢોરવાસમાં મૂકવામાં આવે છે. થોડા સમય પહેલા અમદાવાદના ગ્યાસપૂરથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ગાયોના મૃતદેહને ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે! ઢોરડબ્બામાં અપૂરતો ઘાસનો જથ્થો હોવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. ત્યારે આવા દ્રશ્યો, ખરાબ પરિસ્થિતિમાં ગાયોને જામનગરમાં પણ રાખવામાં આવે છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જામનગરથી વીડિયો સામે આવ્યા છે જેમાં ઢોર ડબ્બામાં ગાયોની સારસંભાળ ન લેવાવાને કારણે સાતથી આઠ ગાયોના મોત પ્રતિદિન થઈ રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.        

શહેર બદલાય છે પરંતુ ગાયોની પરિસ્થિતિ સરખી રહે છે!

રાજ્યમાં રખડતા ઢોરને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકોના મોત પણ થયા છે. હાઈકોર્ટે આ મામલે તંત્રની અનેક વખત ઝાટકણી કાઢી છે. અનેક વખતની ફટકાર બાદ તંત્ર જાગ્યું છે અને રખડતા ઢોરને પકડવાની કામગીરી તેજ બનાવી છે. પ્રતિદિન અનેક પશુઓને પકડી ઢોરવાસમાં રાખવામાં આવે છે પરંતુ પશુઓની સારસંભાળ કોઈ નથી લેતું. ઢોરવાસમાં અનેક ગાયોના મોત થઈ રહ્યા છે તેવા વીડિયો અનેક વખત આપણી સામે આવી રહ્યા છે. અમદાવાદથી તો આવા દ્રશ્યો સામે આવ્યા પરંતુ જામનગરથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેર બદલાય છે પરંતુ પરિસ્થિતિ એવીને એવી હોય છે. જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઢોર ડબ્બામાં અપૂરતો ઘાસચારો અને સારસંભાળ ન લેવાવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. 

અપૂરતા ઘાસચારાને લઈ થઈ રહ્યા છે ગાયોના મોત!

રખડતા ઢોર પકડયા બાદ ઢોર ડબ્બામાં અનેક પશુઓના મોત થતા હોવાનો આક્ષેપ માલધારીઓ લગાવી રહ્યા છે અને પ્રશ્ન પણ પૂછી રહ્યા છે કે ઢોર પકડ્યા બાદ તેની સાર સંભાળ રાખવાની જવાબદારી કોની? માલધારીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. એક જાગૃત નાગરિકે  વીડિયો ઉતાર્યો જેમાં ઢોરડબ્બામાં અનેક ગાયો મૃતહાલતમાં જોવા મળી. માલધારીઓએ અનેક વખત આક્ષેપ કર્યો છે કે સારસંભાળ ન લેવાવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. તંત્ર ગાયોને પકડી તો લે છે પરંતુ ગાયોની સંભાળ કેવી રીતે લેવી તેમની તેમને ખબર નથી. અપૂરતો ઘાસચારો હોવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ કરી રહ્યા છે. માલધારીઓને આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.     



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.