Jamnagarમાં પકડાયેલી ગાયોની છે દયનિય હાલત! એક વીડિયો સામે આવ્યો જેમાં ઢોરોના મૃતદેહ જોવા મળ્યા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-09 11:57:38

અમદાવાદ હોય કે જામનગર, રોજકોટ હોય કે સુરત, કે પછી નાનકડું ગામ ત્યાં રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં રખડતા ઢોરને પકડી ઢોરવાસમાં મૂકવામાં આવે છે. થોડા સમય પહેલા અમદાવાદના ગ્યાસપૂરથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ગાયોના મૃતદેહને ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે! ઢોરડબ્બામાં અપૂરતો ઘાસનો જથ્થો હોવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. ત્યારે આવા દ્રશ્યો, ખરાબ પરિસ્થિતિમાં ગાયોને જામનગરમાં પણ રાખવામાં આવે છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જામનગરથી વીડિયો સામે આવ્યા છે જેમાં ઢોર ડબ્બામાં ગાયોની સારસંભાળ ન લેવાવાને કારણે સાતથી આઠ ગાયોના મોત પ્રતિદિન થઈ રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.        

શહેર બદલાય છે પરંતુ ગાયોની પરિસ્થિતિ સરખી રહે છે!

રાજ્યમાં રખડતા ઢોરને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકોના મોત પણ થયા છે. હાઈકોર્ટે આ મામલે તંત્રની અનેક વખત ઝાટકણી કાઢી છે. અનેક વખતની ફટકાર બાદ તંત્ર જાગ્યું છે અને રખડતા ઢોરને પકડવાની કામગીરી તેજ બનાવી છે. પ્રતિદિન અનેક પશુઓને પકડી ઢોરવાસમાં રાખવામાં આવે છે પરંતુ પશુઓની સારસંભાળ કોઈ નથી લેતું. ઢોરવાસમાં અનેક ગાયોના મોત થઈ રહ્યા છે તેવા વીડિયો અનેક વખત આપણી સામે આવી રહ્યા છે. અમદાવાદથી તો આવા દ્રશ્યો સામે આવ્યા પરંતુ જામનગરથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેર બદલાય છે પરંતુ પરિસ્થિતિ એવીને એવી હોય છે. જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઢોર ડબ્બામાં અપૂરતો ઘાસચારો અને સારસંભાળ ન લેવાવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. 

અપૂરતા ઘાસચારાને લઈ થઈ રહ્યા છે ગાયોના મોત!

રખડતા ઢોર પકડયા બાદ ઢોર ડબ્બામાં અનેક પશુઓના મોત થતા હોવાનો આક્ષેપ માલધારીઓ લગાવી રહ્યા છે અને પ્રશ્ન પણ પૂછી રહ્યા છે કે ઢોર પકડ્યા બાદ તેની સાર સંભાળ રાખવાની જવાબદારી કોની? માલધારીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. એક જાગૃત નાગરિકે  વીડિયો ઉતાર્યો જેમાં ઢોરડબ્બામાં અનેક ગાયો મૃતહાલતમાં જોવા મળી. માલધારીઓએ અનેક વખત આક્ષેપ કર્યો છે કે સારસંભાળ ન લેવાવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. તંત્ર ગાયોને પકડી તો લે છે પરંતુ ગાયોની સંભાળ કેવી રીતે લેવી તેમની તેમને ખબર નથી. અપૂરતો ઘાસચારો હોવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ કરી રહ્યા છે. માલધારીઓને આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.     



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.