Jamnagarમાં પકડાયેલી ગાયોની છે દયનિય હાલત! એક વીડિયો સામે આવ્યો જેમાં ઢોરોના મૃતદેહ જોવા મળ્યા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-09 11:57:38

અમદાવાદ હોય કે જામનગર, રોજકોટ હોય કે સુરત, કે પછી નાનકડું ગામ ત્યાં રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં રખડતા ઢોરને પકડી ઢોરવાસમાં મૂકવામાં આવે છે. થોડા સમય પહેલા અમદાવાદના ગ્યાસપૂરથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ગાયોના મૃતદેહને ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે! ઢોરડબ્બામાં અપૂરતો ઘાસનો જથ્થો હોવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. ત્યારે આવા દ્રશ્યો, ખરાબ પરિસ્થિતિમાં ગાયોને જામનગરમાં પણ રાખવામાં આવે છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જામનગરથી વીડિયો સામે આવ્યા છે જેમાં ઢોર ડબ્બામાં ગાયોની સારસંભાળ ન લેવાવાને કારણે સાતથી આઠ ગાયોના મોત પ્રતિદિન થઈ રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.        

શહેર બદલાય છે પરંતુ ગાયોની પરિસ્થિતિ સરખી રહે છે!

રાજ્યમાં રખડતા ઢોરને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકોના મોત પણ થયા છે. હાઈકોર્ટે આ મામલે તંત્રની અનેક વખત ઝાટકણી કાઢી છે. અનેક વખતની ફટકાર બાદ તંત્ર જાગ્યું છે અને રખડતા ઢોરને પકડવાની કામગીરી તેજ બનાવી છે. પ્રતિદિન અનેક પશુઓને પકડી ઢોરવાસમાં રાખવામાં આવે છે પરંતુ પશુઓની સારસંભાળ કોઈ નથી લેતું. ઢોરવાસમાં અનેક ગાયોના મોત થઈ રહ્યા છે તેવા વીડિયો અનેક વખત આપણી સામે આવી રહ્યા છે. અમદાવાદથી તો આવા દ્રશ્યો સામે આવ્યા પરંતુ જામનગરથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેર બદલાય છે પરંતુ પરિસ્થિતિ એવીને એવી હોય છે. જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઢોર ડબ્બામાં અપૂરતો ઘાસચારો અને સારસંભાળ ન લેવાવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. 

અપૂરતા ઘાસચારાને લઈ થઈ રહ્યા છે ગાયોના મોત!

રખડતા ઢોર પકડયા બાદ ઢોર ડબ્બામાં અનેક પશુઓના મોત થતા હોવાનો આક્ષેપ માલધારીઓ લગાવી રહ્યા છે અને પ્રશ્ન પણ પૂછી રહ્યા છે કે ઢોર પકડ્યા બાદ તેની સાર સંભાળ રાખવાની જવાબદારી કોની? માલધારીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. એક જાગૃત નાગરિકે  વીડિયો ઉતાર્યો જેમાં ઢોરડબ્બામાં અનેક ગાયો મૃતહાલતમાં જોવા મળી. માલધારીઓએ અનેક વખત આક્ષેપ કર્યો છે કે સારસંભાળ ન લેવાવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. તંત્ર ગાયોને પકડી તો લે છે પરંતુ ગાયોની સંભાળ કેવી રીતે લેવી તેમની તેમને ખબર નથી. અપૂરતો ઘાસચારો હોવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ કરી રહ્યા છે. માલધારીઓને આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.