જયારે ભારતના પ્રતિનિધિ મંડળના વિમાનને મોસ્કો એરપોર્ટ પર ઉતરવામાં પડી તકલીફ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-23 17:19:19

ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આમાંથી  એક ડેલિગેશન એટલેકે પ્રતિનિધિ મંડળ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યું છે. પરંતુ આ પ્રતિનિધિ મંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. કેમ કે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો.  

Image

ઓપરેશન સિંદૂર પછી ભારતે નાપાકને ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આ ૭ માંથી એક મલ્ટીપાર્ટી ડેલિગેશન રશિયાના મોસ્કોમાં પણ પહોંચ્યું છે. આ મલ્ટી પાર્ટી ડેલિગેશન DMKના સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં રશિયા પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળના વિમાનમાં DMKના સાંસદ કનિમોઝી , સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ રાય , રાષ્ટ્રીય જનતા દળના સાંસદ પ્રેમચંદ ગુપ્તા , કેપ્ટન બ્રિજેશ , અશોક કુમાર મિત્તલ અને રાજદૂત મંજીવ સિંહ પુરી હતા . પરંતુ આ વિમાન જેવું જ રશિયાની રાજધાની મોસ્કોના એરસ્પેસમાં પહોંચ્યું કે તેને મોસ્કોના એરપોર્ટ પર ઉતરવામાં તકલીફ પડી હતી કેમકે , તે જ સમયે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હતો . તાજેતરમાં યુક્રેને રશિયા પર ૧૦૦ ડ્રોન થકી ખુબ જોરદાર હુમલો કર્યો હતો . જેના કારણે ભારતીય પ્રતિનિધિ મંડળના વિમાને મોસ્કોના ચક્કર મારવા પડ્યા હતા તે પછી વિમાન મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થયું હતું. 

વાત કરીએ રશિયા યુક્રેન યુદ્ધની થોડાક સમય પેહલા તુર્કીમાં આ યુદ્ધને લઇને એક શાંતિવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં માત્ર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકી જ પહોંચ્યા હતા જયારે US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પહોંચ્યા જ નહોતા . પરંતુ બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિઓ જોરદાર રીતે એસ્કેલેટ થઇ રહી છે. ભારતે , વિશ્વના દેશોની ૩૩ રાજધાનીઓમાં ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનના સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમને ઉઘાડું પાડવા માટે મલ્ટી પાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. જેમાંથી એક ડેલિગેશન DMKના  સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં બનાવવામાં આવ્યું હતું. જે રશિયા તો પહોંચ્યું જ છે પણ સાથે સાથે સ્લોવેનિયા , ગ્રીસ, લાટવિયા અને સ્પેનની મુલાકાતે આ પ્રતિનિધિ મંડળ જવાનું છે . ભારતે કુલ ૫૯ લોકોના ૭ પ્રતિનિધિમંડળ બનાવ્યા છે. જેમાં વર્તમાન સાંસદોથી લઇને , ભૂતપૂર્વ મંત્રીઓ અને ડિપ્લોમેટસનો સમાવેશ થાય છે જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો નરેટિવ મજબૂત કરશે. 



સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.