જયારે ભારતના પ્રતિનિધિ મંડળના વિમાનને મોસ્કો એરપોર્ટ પર ઉતરવામાં પડી તકલીફ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-23 17:19:19

ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આમાંથી  એક ડેલિગેશન એટલેકે પ્રતિનિધિ મંડળ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યું છે. પરંતુ આ પ્રતિનિધિ મંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. કેમ કે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો.  

Image

ઓપરેશન સિંદૂર પછી ભારતે નાપાકને ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આ ૭ માંથી એક મલ્ટીપાર્ટી ડેલિગેશન રશિયાના મોસ્કોમાં પણ પહોંચ્યું છે. આ મલ્ટી પાર્ટી ડેલિગેશન DMKના સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં રશિયા પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળના વિમાનમાં DMKના સાંસદ કનિમોઝી , સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ રાય , રાષ્ટ્રીય જનતા દળના સાંસદ પ્રેમચંદ ગુપ્તા , કેપ્ટન બ્રિજેશ , અશોક કુમાર મિત્તલ અને રાજદૂત મંજીવ સિંહ પુરી હતા . પરંતુ આ વિમાન જેવું જ રશિયાની રાજધાની મોસ્કોના એરસ્પેસમાં પહોંચ્યું કે તેને મોસ્કોના એરપોર્ટ પર ઉતરવામાં તકલીફ પડી હતી કેમકે , તે જ સમયે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હતો . તાજેતરમાં યુક્રેને રશિયા પર ૧૦૦ ડ્રોન થકી ખુબ જોરદાર હુમલો કર્યો હતો . જેના કારણે ભારતીય પ્રતિનિધિ મંડળના વિમાને મોસ્કોના ચક્કર મારવા પડ્યા હતા તે પછી વિમાન મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થયું હતું. 

વાત કરીએ રશિયા યુક્રેન યુદ્ધની થોડાક સમય પેહલા તુર્કીમાં આ યુદ્ધને લઇને એક શાંતિવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં માત્ર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકી જ પહોંચ્યા હતા જયારે US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પહોંચ્યા જ નહોતા . પરંતુ બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિઓ જોરદાર રીતે એસ્કેલેટ થઇ રહી છે. ભારતે , વિશ્વના દેશોની ૩૩ રાજધાનીઓમાં ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનના સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમને ઉઘાડું પાડવા માટે મલ્ટી પાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. જેમાંથી એક ડેલિગેશન DMKના  સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં બનાવવામાં આવ્યું હતું. જે રશિયા તો પહોંચ્યું જ છે પણ સાથે સાથે સ્લોવેનિયા , ગ્રીસ, લાટવિયા અને સ્પેનની મુલાકાતે આ પ્રતિનિધિ મંડળ જવાનું છે . ભારતે કુલ ૫૯ લોકોના ૭ પ્રતિનિધિમંડળ બનાવ્યા છે. જેમાં વર્તમાન સાંસદોથી લઇને , ભૂતપૂર્વ મંત્રીઓ અને ડિપ્લોમેટસનો સમાવેશ થાય છે જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો નરેટિવ મજબૂત કરશે. 



ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આમાંથી એક ડેલિગેશન એટલેકે પ્રતિનિધિ મંડળ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યું છે. પરંતુ આ પ્રતિનિધિ મંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. કેમ કે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી .

અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.