ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આમાંથી એક ડેલિગેશન એટલેકે પ્રતિનિધિ મંડળ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યું છે. પરંતુ આ પ્રતિનિધિ મંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. કેમ કે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો.
ઓપરેશન સિંદૂર પછી ભારતે નાપાકને ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આ ૭ માંથી એક મલ્ટીપાર્ટી ડેલિગેશન રશિયાના મોસ્કોમાં પણ પહોંચ્યું છે. આ મલ્ટી પાર્ટી ડેલિગેશન DMKના સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં રશિયા પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળના વિમાનમાં DMKના સાંસદ કનિમોઝી , સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ રાય , રાષ્ટ્રીય જનતા દળના સાંસદ પ્રેમચંદ ગુપ્તા , કેપ્ટન બ્રિજેશ , અશોક કુમાર મિત્તલ અને રાજદૂત મંજીવ સિંહ પુરી હતા . પરંતુ આ વિમાન જેવું જ રશિયાની રાજધાની મોસ્કોના એરસ્પેસમાં પહોંચ્યું કે તેને મોસ્કોના એરપોર્ટ પર ઉતરવામાં તકલીફ પડી હતી કેમકે , તે જ સમયે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હતો . તાજેતરમાં યુક્રેને રશિયા પર ૧૦૦ ડ્રોન થકી ખુબ જોરદાર હુમલો કર્યો હતો . જેના કારણે ભારતીય પ્રતિનિધિ મંડળના વિમાને મોસ્કોના ચક્કર મારવા પડ્યા હતા તે પછી વિમાન મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થયું હતું.
વાત કરીએ રશિયા યુક્રેન યુદ્ધની થોડાક સમય પેહલા તુર્કીમાં આ યુદ્ધને લઇને એક શાંતિવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં માત્ર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકી જ પહોંચ્યા હતા જયારે US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પહોંચ્યા જ નહોતા . પરંતુ બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિઓ જોરદાર રીતે એસ્કેલેટ થઇ રહી છે. ભારતે , વિશ્વના દેશોની ૩૩ રાજધાનીઓમાં ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનના સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમને ઉઘાડું પાડવા માટે મલ્ટી પાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. જેમાંથી એક ડેલિગેશન DMKના સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં બનાવવામાં આવ્યું હતું. જે રશિયા તો પહોંચ્યું જ છે પણ સાથે સાથે સ્લોવેનિયા , ગ્રીસ, લાટવિયા અને સ્પેનની મુલાકાતે આ પ્રતિનિધિ મંડળ જવાનું છે . ભારતે કુલ ૫૯ લોકોના ૭ પ્રતિનિધિમંડળ બનાવ્યા છે. જેમાં વર્તમાન સાંસદોથી લઇને , ભૂતપૂર્વ મંત્રીઓ અને ડિપ્લોમેટસનો સમાવેશ થાય છે જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો નરેટિવ મજબૂત કરશે.